Breaking News

તળાવનું ખોદકામ કરતા મળી આવી એવી વસ્તુ કે લોકો જોવા માટે લગાવી રહ્યા છે લાઈનો, ખુદ મામલતદાર પણ છે હેરાન.. વાંચો..!

જુદા જુદા બનાવોને લઇને જુદી જુદી પ્રતિક્રિયા પણ થતી હોય છે. ગઈકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 9:00 આસપાસ આકાશમાં ચાલતી ટ્રેન જેવી કૃતિઓ દેખાઈ આવતા કુતૂહલ સર્જાયું હતું. અને હવે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટપુરા ગામમાં તળાવના ખોદકામ કરતી વખતે એવી ચીજવસ્તુ મળી આવી છે કે જેને જોતાની સાથે જ કુતૂહલ સર્જાયું છે..

દૂર દૂરથી લોકો આ કૃતિને જોવા માટે દોડી આવ્યા છે. અભેટાપુરા ગામમાં તળાવનું ખોદકામ કરવામાં આવતું હતું. એ સમય દરમ્યાન ખોદતા ખોદતા અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંડુ ખોદકામ કરી નાખવામાં આવ્યું હતું. આ તળાવમાંથી જે માટે નીકળી હતી આ તમામ માટીને રેલવેના કોરિડોર બનાવવા માટેની કામગીરી માટે ખસેડવામાં આવી હતી..

આ માટીને ખસેડીને જ્યારે ખોદકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ડાબી બાજુની જગ્યા પરથી ખુબ જ જુના વૃક્ષના થડીયા જેવો એક આકાર મળી આવ્યો હતો. સૌ કોઈ લોકોને થયું કે આ ખૂબ જ જૂનું પુરાણું વ્રુક્ષ હશે. તેનું થડ હજુ પણ જમીનમાં દટાયેલું છે. આમ વિચારીને સૌ કોઈ લોકો પરિવાર પોતાના કામે લાગી ગયા હતા.

પરંતુ એ પછીના દિવસે વરસાદ શરૂ થઈ જતાં વિસ્તારમાં ગાજવીજ વરસાદ વરસ્યો હતો અને વરસાદ બંધ થતા સૌ કોઈ લોકો ફરિવાર કામે લાગ્યા હતા. અને જોયું તો ઝાડના થડ પરથી વરસાદી પાણીના કારણે માટી ધસી ગઈ હતી. અને અંદરથી શિવલિંગ જેવો એક પથ્થર મળી આવ્યો હતો.

આ શિવલિંગની ઊંચાઈ ખૂબ જ વધારે હતી. ખોદકામ કરતાં શિવલિંગ મળી આવતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને સૌ કોઈ લોકો આ શિવલિંગના દર્શન કરવા માટે દૂરદૂરથી આવવા લાગ્યા હતા. આ બાબતની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા અને શિવલિંગ પાસે જઈને સૌ કોઈ લોકો પૂજા આરાધના કરતા હતા તે તમામ લોકોને ત્યાંથી દૂર જવા માટે કહ્યું હતું..

કારણ કે કોઈ પણ સમયે તળાવની ભેખડો ધસી આવવાની સંભાવના રહેલી હતી. આ બાબતની જાણ બોરસદના મામલતદાર થઈ ત્યારે તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ બાબતને લઈને મામલતદાર આરતીબેન ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ મામલો પુરાતન વિભાગનો વિષય છે.

એટલા માટે આ વિભાગ જરૂરી તપાસ ચલાવશે અને હકીકતમાં આ શિવલિંગ છે કે પછી અન્ય કોઈ કૃતિ છે. તે બાબતની પુષ્ટિ કરશે. હાલ તમામ ગ્રામજનોનેના આ તળાવથી દુર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું છે. આ વાતની જાણ જ્યારે અન્ય ગામો થઇ ત્યારે આસપાસના ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

અને શિવલિંગ જેવી આ પ્રતિમાના દર્શન કરવા લાગ્યા હતા. લોકો દ્વારા બીલીપત્ર ચડાવીને અગરબતી પૂજા પણ કરવામાં આવી છે. આ બાબતના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ગામના લોકોએ શિવલિંગની પૂજા પણ કરી છે. આ મામલો હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *