જે પરિવાર હસતો ખેલતો જીવન જીવતો હોય અને અચાનક જ એ પરિવારના દરેક સભ્યોનું મૃત્યુ થઈ જાય તો એવી ઘટનાને કોઈ વ્યક્તિ સહન કરી શકતું નથી. અત્યારે વિશ્વનાથ સોસાયટીમાં રહેતા લોકોમાં ફફળાટ મચી જવા પામ્યો છે. સોસાયટીમાં રહેતા લોકોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષથી તેમની સોસાયટી ની અંદર એક પણ ઘરની અંદર કોઈ માઠો બનાવ બન્યો નથી..
કે કોઈ ચોરીની ઘટના પણ નોંધાઈ નથી, આ સાથે સાથે કોઈપણ ઘરમાં ક્યારે લડાઈ ઝઘડો પણ થતો નથી. પરંતુ અત્યારે એક ઘરની અંદર એક જ સાથે ચાર વ્યક્તિના એવી રીતે મૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેને જાણ્યા બાદ સોસાયટીના લોકોમાં હડકંપ મચી ગયો છે. કોઈ વ્યક્તિ હજુ પણ વિશ્વાસ મૂકી શકતો નથી કે, એક જ ઘરની અંદર ચાર વ્યક્તિનું એક જ રીતે શા માટે મૃત્યુ થયું હશે..
વિશ્વનાથ સોસાયટીમાં 36 વર્ષની રેખા રાઠોડ તેના બાર વરસના દીકરા વંશ 10 વર્ષનો દીકરો પારસ અને આઠ વર્ષની દીકરી માહિતી સાથે જીવન ગુજારે છે. એક દિવસ જ્યારે સવારના સમયે તેના પાડોશીઓ તેમના ઘરે કોઈ ચીજ વસ્તુ લેવા માટે ગયા ત્યારે જોયું તો બહારથી દરવાજો બંધ હતો.
ત્યારે તેઓએ બારીમાંથી જોવાની કોશિશ કરી તો અંદર ત્રણ સંતાનોની સાથે સાથે તેની માતા રેખા પણ નીચે ઢળી પડેલી હાલતમાં હતી અને તમામ લોકોના મૃત્યુ થઈ ગયા હોય તેવું લાગતું હતું. એટલા માટે પડવા સિવાય તરત જ પોલીસને ફોન કરીને જાણકારી આપી કે રેખા ના ઘરની અંદર તેના ત્રણેય બાળકોને રેખા મૃત હાલતમાં હોય તેવું તેમને શંકા છે..
તાત્કાલિક પોલીસનો કાફલો આ સોસાયટીમાં પહોંચી આવ્યો અને બહારનું તાળું તોડીને અંદર પ્રવેશીને જોયું તો આ ચારે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. આ જોઈને જ સૌ કોઈ લોકોના કાળજા ફાટી ગયા હતા. પાડોશી તો પડશે અને વિચારમાં મુકાઈ ગયા કે, આ ઘરે આ ચારેય વ્યક્તિને એવું તો શું થયું હશે કે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે..
એટલું જ નહીં પરંતુ બહારના દરવાજે તાળું મારેલું હોવાથી કોઈ વ્યક્તિએ તેમને મોતને ઘાટ ઉતારીયા બાદ બહારથી તાળું મારીને જતો રહ્યો છે. આ ઘટનાની અંદર આરોપી તેમના જ પરિવારનો કોઈ સભ્ય હોય તેવું લાગી રહ્યું છે. તેમના પરિવારના દરેક સભ્યોને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જેનાથી આગળની માહિતીઓ મળી શકે આસપાસના પડોશીનું કહેવું છે કે, તેમના ઘરે રેખાની સહેલી પાર્લરનું કામકાજ શીખવા માટે આવતી હતી. તે થોડા સમય માટે આવતી અને ત્યારબાદ તરત જ ત્યાંથી જતી રહેતી હતી. રેખા પણ આસપાસના લોકોથી ખૂબ જ ઓછી વાતચીત અને સંબંધો રાખતી હતી..
તે વારંવાર જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ઘરને તાળું મારીને જ બહાર નીકળતી જ્યારે તેના બાળકો ચૂપચાપ ઘરની અંદર બેસી રહેતા પરંતુ અત્યારે એક માતાની સાથે સાથે તેમાં ત્રણેય સંતાનોને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હશે. આ ઘટના સાંભળીને સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, આરોપીને રેખા કરતા તેના ત્રણેય બાળકો ઉપર એક પણ વાર દયા આવી નહીં હોય કે શું..?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]