પરિવારની સ્થિતિ જોઈને યોગ્ય રીતે જીવન જીવવું જોઈએ પરંતુ અત્યારના દેખાદેખીના સમયની અંદર લોકો પાણીની જેમ પૈસાની રેલમછેલ બોલાવી રહ્યા છે. સમાજમાં કેવી રીતે સિક્કા પાડી શકાય અને મોભો જમાવી શકાય બસ એ જ વિચારીને મન ફાવે તેમ દેખાડો કરવા માટે રૂપિયા ખર્ચે છે..
પરંતુ પાછળ તેઓ તેમના પરિવારની મૂળ સ્થિતિ જોતા નથી જેને કારણે એકની એક દિવસ તેમને ખૂબ જ મોટુ નુકસાન સહન કરવાનો પણ વારો આવી જતો હોય છે અને તેઓ અંતે એવી સ્થિતિની અંદર મુકાઈ જાય છે કે, તેમાંથી બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ સાબિત થઈ જતું હોય છે..
અત્યારે એક ટકનો રોટલો રળીને ખાતા પરિવારના દીકરાએ એવડું મોટું દેવળું ફૂંકી નાખ્યું હતું કે, પરિવાર રાતોરાત રોડ ઉપર આવી ગયો હતો. પરંતુ અંતે ભગવાનના ચમત્કારે આ પરિવારને સગી વગે કરી નાખ્યો છે. આ બનાવ ઝાપનાથના બંગલાની પાછળના ભાગે આવેલી નેશનાથ સોસાયટીની છે..
આ સોસાયટીમાં એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામકાજ કરતા વિનોદભાઈ તેમના પરિવારજનોની સાથે રહે છે, તેમનો 23 વર્ષનો દીકરો રોહન ધોરણ 12 નો અભ્યાસ કર્યા બાદ વિદેશ જવાની ઈચ્છા ધરાવતો હતો. એટલા માટે તેના પરિવારજનોએ તનતોડ મહેનત કરીને પૈસા એકઠા કર્યા અને તેમના દીકરાને વિદેશ ભણવા માટે મોકલ્યો હતો..
પરંતુ વિદેશ ગયેલા આ દીકરાએ વિદેશથી ભરત આવીને એવડું મોટું દેવળો ફૂંકી નાખ્યું કે, પરિવારજનો આ દેવાળાની રકમ સાંભળતાની સાથે જ હોશ ખોઈ બેઠા હતા. બહારના લોકો તરફથી જ્યારે વિનોદભાઈને ખબર પડી કે, તેમના દીકરા રોહને વિદેશમાં ઘોડાની રેસની અંદર પૈસા લગાવ્યા હતા..
અને તેમાં કરોડો રૂપિયા તેણે ગુમાવી દીધા છે, આ તમામ પૈસા તેણે અન્ય વ્યક્તિઓ પાસેથી વ્યાજે લીધા હતા અને આ કરોડો રૂપિયાનો દેવળો ફૂંકાઈ જતા હવે તેમનો દીકરો ગુમ થઈ ગયો છે. અને કોઈ વ્યક્તિના ફોન પણ ઊંચકી રહ્યો નથી, હાલ તે ક્યાં છે અને કઈ હાલતમાં છે તેની કોઈ પણ માહિતી નથી..
આ આ વાતની જાણ થતાની સાથે જ વિનોદભાઈનો શ્વાસ એકદમ અધ્ધર થઈ ગયો હતો, તેઓ વિચારવા લાગ્યા કે, તેમના દીકરાએ અન્ય વ્યક્તિના કરોડો રૂપિયા ગુમાવી દીધા છે. અને હવે તે આટલી મોટી રકમ કેવી રીતે ચૂકવશે તે તેની જમીન સંપત્તિ તેમજ મકાન અને ઘરેણા સહિતની તમામ ચીજ વસ્તુ વેચી નાખશે છતાં પણ તે આટલી મોટી રકમ ચૂકવી શકે તેમ નથી..
તેઓ દિવસ રાત મહેનત કરવા માટે તૈયાર છે, પરંતુ તેમના દીકરાએ તેમની જિંદગી બરબાદ કરી નાખી હતી. તેઓ આ વાતને લઈને ખૂબ જ દુઃખી હતા. આ ઘટનાને લઈ વિનોદભાઈની પત્ની પણ અત્યંત દુઃખી હતી. પરંતુ કહેવાય છે કે, જે માણસની નીતિ સાચી હોય તેમને ભગવાન એકને એક દિવસ જરૂર મદદ કરે છે..
વિનોદભાઈના મગજમાં સતત એક જ વાત ચાલતી હતી કે, તેમના દીકરાએ ભૂલ કરીને અન્ય વ્યક્તિના પૈસા ડુબાડી દીધા છે. પરંતુ આ વ્યક્તિઓના પૈસાને હું ખોટા થવા દઈશ નહીં અને એકને એક દિવસ જરૂર તેમને આ રકમ પરત આપી દઈશ, બસ આ નીતિ ઉપર ચાલવાને કારણે ભગવાનનો ચમત્કાર તેમને ફળ્યો હતો..
તેમના દૂરના સગા સંબંધી તેમની પાસે આવ્યા અને કહ્યું કે, આવા મુશ્કેલભર્યા સમયની અંદર અમે તમને પૈસા આપીશું અને તમે તમારા દીકરાએ જેની પાસેથી પૈસા લીધા છે, તેને ચૂકવી દેજો તમે દિવસ રાત મહેનત કરવા લાગો અને જે પણ રૂપિયા કમાવો તેમાંથી બચેલી રકમ અમને જમા કરાવતા જાજો..
અને તમારી રકમ અમે પરત લેતા જશું. આવા અઘરા સમયની અંદર આ સગા સંબંધી તેમના માટે ભગવાન બનીને સામે આવ્યા હતા. વિનોદભાઈ તેમની પાસેથી રૂપિયા લઈને તેમના દીકરાનો તમામ દેવાળું ચૂકતું કરી દીધું હતું અને ત્યારબાદ તેઓ અન્ય વ્યવસાયની અંદર લાગી પડ્યા હતા..
ધીમે ધીમે તેઓ આગળ વધતા ગયા અને તેમના સગા સંબંધીના પૈસા ચૂકવવા લાગ્યા હતા, હજુ પણ તેઓ આ રૂપિયા ચૂકવી રહ્યા છે. જ્યારે તેમના દીકરાનો હજુ પણ કોઈ અતોપતો મળ્યો નથી. કહેવાય છે કે, જુવાનીના સમયની અંદર જો એક પણ ખોટું કામ થઈ ગયું હોય તો તેને સુધારવા માટે તેમના માતા-પિતાને આખી જિંદગી પર ઘસાવવું પડતું હોય છે. એટલા માટે ડગલેને પગલે બાળકોએ ખૂબ જ ધ્યાન રાખીને દરેક કામકાજ કરવા જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]