બદલતી જતી આ દુનિયામાં હવે ઋતુઓ પણ ખૂબ જ અનિયમિત બની ગઈ છે, ક્યારે માવઠુ અને વરસાદ આવી પહોંચે તેનું નક્કી હોતું નથી, તો ક્યારેક ગરમી કે ઠંડીનું મોજુ ફરી વળે તેનો પણ નક્કી હોતું નથી, હવામાનની આવી અનિયમિતતાને કારણે ખેતી ઉપર ખૂબ જ વધારે આડ અસર દેખાઈ રહી છે..
એવા માં પણ હવે છેલ્લા કેટલાક સમયથી તો વાતાવરણમાં અનિયમિતતા સર્જાઈ ગઈ છે, અને દક્ષિણ ભારત તરફથી પ્રવેશેલા એક ચક્રવાતી તુફાનને કારણે સમગ્ર દેશમાં વાતાવરણમાં હલચલ સર્જાય છે. હકીકતમાં હવામાન વિભાગની આગાહી આપીને જણાવ્યું હતું કે, દક્ષિણ ભારત તરફથી મોકા નામનું એક ખૂબ જ મોટું ચક્રવાત તુફાન ભારતની નજીક આવી રહ્યું છે..
મોકા નામનું આ વાવાઝોડું 12 તારીખે સવારના સમયે અતિશય ભયંકર ચક્રવાતમાં પરિવર્તન પામી ચૂક્યું હતું, અને તે ધીમે ધીમે બંગાળની ખાડી તરફથી મધ્યભાગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. આ બાબતને લઈને IMDએ ચેતવણીઓ પણ આપી દીધી હતી અને કહ્યું કે, આ ચક્રવાત જો વધુ ઝડપ ધારણ કરી લેશે તો ઉત્તર અને પૂર્વ દિશામાં પણ આગળ વધી શકે છે..
આ ચક્રવાતને લઈને ચારેકોર આગાહીઓ આપી દેવામાં આવી હતી, આ તબાહી મચાવનાર ભયંકર ચક્રવાત મોકા સમગ્ર દેશ માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. આ ચક્રવાતની આગાહીને પગલે દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. તેમજ આ ભયંકર ચક્રવાતને લઈને અમુક દિવસો કાઢવા સૌ કોઈ લોકો માટે ખૂબ જ ભારે બની જવાના છે..
હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, 14 તારીખના રોજ આ ચક્રવાત 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાક થી 175 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ગતિ પકડી શકે છે. આટલી બધી ભયંકર તીવ્રતાથી ત્રાટકવા જઈ રહેલું મોકા નામનું આ વાવાઝોડું હવાને ફંગોળીને દેશના કેટલાક વિસ્તારમાં તબાહી પણ મચાવી શકે છે..
આ વાવાઝોડાને લઈને આગામી ત્રણથી ચાર દિવસો સૌ કોઈ લોકો માટે ખૂબ જ ભારે સાબિત થવાના છે, ઉનાળાના કાળજાળ ગરમી ભર્યા દિવસોમાં અચાનક જ આ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અને વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે ધડાકેદાર વરસાદ પણ વરસી રહ્યો છે..
15 અને 16 તારીખ આસપાસ પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં અતિશય ભારે વરસાદ વરસી શકે છે. તેમજ આ ચક્રવાતી તુફાનને લઈને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગના કાર્યા લઈએ જહાજ, હોડિઓ તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દીધી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]