Breaking News

‘તારું તારા સસરા સાથે લફરું છે’ એમ કહીને સાસુ અને પતિ ત્રાસ આપતા, એક દિવસ પરણીતાએ ભરી લીધું મોટું પગલું જે જોઈને સૌ હક્કા બક્કા રહી ગયા..!

કોઈપણ માણસ ઉપર જોયા વિચાર્યા વગર શક કરવો એ ખૂબ જ મોટી મૂર્ખામી છે. જ્યાં સુધી આંખે જોયેલી વાત અને કાને સાંભળેલી વાત સત્ય સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને એક શબ્દ પણ કહેવો જોઈએ નહીં કારણ કે કોઈ પણ વ્યક્તિ ઉપર લગાવેલા આક્ષેપ જો ખોટા હોય તો ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ જતો હોય છે..

કંઈક આ પ્રકારનો જ એક મોટો બખેડો ગાંધીનગરના રાંધેજા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં બખેડો સર્જાયા બાદ 23 વર્ષની એક પરણીતા એ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. શૈલેષભાઈ અંબાલાલભાઈ પટેલ ગોઝારીયા ગામમાં રહે છે. અને તેઓ ઉમિયા સાયકલ સ્ટોરમાં બેસી સાયકલ રીપેરીંગ નો ધંધો ચલાવી રહ્યા છે..

તેમની એકની એક લાડકવાયી દીકરી હેતલ ના લગ્ન સાત મહિના પહેલા ગાંધીનગરના રાંધેજા ખાતે રહેતા બળદેવભાઈ કાંતિભાઈ પટેલના દીકરા ધ્રુમિલ સાથે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ શરૂઆતના એક બે મહિના લગ્નજીવન ખૂબ સારું ચાલ્યું હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સાસુ તેમજ તેના પતિનો અસલી રંગ સામે આવતો ગયો હતો…

હેતલબેનના સાસુ વિમળાબેન અવારનવાર હેતલને કહેતા કે, તારું તારા સસરા બળદેવભાઈ સાથે લફરું છે. એમ કહીને તેને મેણા ટોણા મારતા અને કામની બાબતને લઈને વાંધા વચકા કાઢતા હતા. આ ઉપરાંત તેનો પતિ પણ વહેલું મોડું થાય તો ખૂબ જ ત્રાસ પહોંચાડીને માથાકૂટ કરવા લાગતો હતો…

લગ્નના 7 મહિનાની અંદર અંદર હેતલબેન ત્રણ વખત કંટાળીને પોતાના પ્યારે આવી ગઈ હતી. પરંતુ હેતલબેન ને તેમના પિતા લાડ પ્રેમથી સમજાવીને પોતાના સાસરીયે પરત મોકલતા હતા અને કહેતા કે હજુ લગ્નની શરૂઆત છે. એટલા માટે આ તમામ પ્રોબ્લેમ સહન કરવા પડશે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ બધું જ સરખું થઈ જશે..

પરંતુ હેતલબેન સાથે બધું સરખું થવાને બદલે ધીમે ધીમે મામલો ખૂબ જ બગડતો જતો હતો. કામકાજની બાબતને લઈને તેની નણંદ પણ તેને હેરાન પરેશાન કરતી હતી. જ્યારે હેતલબેનને તેનો પતિ પણ તેના પિતા એટલે કે બળદેવભાઈ સાથે લફરું હોવાની વાત સાચી માની ને તેને ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો…

રોજ રોજની આ ત્રાસની વાતોથી હેતલબેન ખૂબ જ કંટાળી ગયા હતા અને એક દિવસ તેઓએ આપઘાત કરીને એવડું મોટો પગલું ભરી લીધું છે કે જેના કારણે પરિવારજનો દોડતા થયા છે. રાત્રિના સમયે શૈલેષભાઈના મોટાભાઈ પંકજભાઈ શૈલેષભાઈને ફોન કરીને જણાવ્યું કે, હેતલ ખૂબ જ બે વાર પડી ગઈ છે..

એટલા માટે આપણે રાંધેજા હેતલની ખબર કાઢવા જવાનું છે. શૈલેષભાઈ તેમજ તેમની પત્ની હેમલતાબેન તેમજ પંકજભાઈ આ ત્રણેય વ્યક્તિઓ રાંધેજા તેની ખબર કાઢવા માટે જતા હતા. હકીકતમાં પંકજભાઈ ને જાણ થઈ ગઈ હતી કે, હેતલે તેના સાસરીમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે…

પરંતુ તેઓ તેમના નાનાભાઈ શૈલેષ તેમજ હેમલતાબેનને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે ખબર કાઢવાનું બહાનું બતાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં જઈને શૈલેષભાઈ પોતાની વહાલસોઈ દીકરીની લાશ જોતા તેઓ ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા હતા કારણ કે પોતાની એકની એક દીકરીને લગ્નજીવનના માત્ર સાત મહિનાની અંદર જ આ હાલતમાં જોવી કોઈ પણ મા-બાપ માટે સહેલી વાત નથી..

હેતલનો પતિ ધ્રુમિલ દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. એટલા માટે તે ત્યાં રહેતો હતો શૈલેષભાઈ પોલીસમાં ફરિયાદ પણ આપી છે કે, તેમની દીકરીને તેના સસરા સાથે લફરું હોવાની વાત કહી શારીરિક અને માનસિક ત્રાસ ગુજરવામાં આવતો હતો પોલીસે પણ હેતલબેનના પતિ તેમજ સાસુ સસરા અને નણંદ સામે ગુનો નોંધીને જરૂરી તપાસ પણ હાથ ધરી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *