જો તમને કોઈ વ્યક્તિ કહે કે, અત્યારે મૃત પામેલો વ્યક્તિ આવતા એક મહિના પછી તે જીવતો થશે તો તમને કદાચ આ વાત ગળે ઉતારવી મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન સમાન લાગશે, પરંતુ મધ્યપ્રદેશના રિવા જિલ્લામાંથી અત્યારે ખૂબ જ અજીબ ઘટના સામે આવી છે. જ્યાં સાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના બકચરા ગામમાંથી આ ઘટના સામે આવતા ભલભલા લોકોના ડોળા ફાટી ગયા હતા.
આ ગામમાં અનિતા નામની મહિલા રહે છે. અનિતાના ચાર વર્ષના દીકરો ઘરના આંગણમાં રમતી વખતે અચાનક જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેને ડોક્ટરો મૃત જાહેર કરી દીધો હતો. ત્યારબાદ તેની અંતિમ વિધિની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી..
આ બાળકના મૃત્યુના સમાચાર તેના માતા-પિતાને આપવામાં આવ્યા ત્યારે તેઓ સહન કરી શક્યા નહીં, કારણકે તેમનો વ્હાલસોયો માત્ર ચાર વર્ષનો દીકરો જ તેમની નજર સામે રમતો રમતો મૃત્યુ પામ્યો હતો. આ બાળકના મૃત્યુના એક મહિના પછી તેની માતા અનિતાને રાત્રે માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને જણાવ્યું કે સતત પૂજા અર્ચના કરવાથી તારો દીકરો જીવતો થઈ જશે..
બીજે દિવસે સવારે અનિતાએ આ સ્વપ્નની વાત તેના પરિવારજનોને પણ કરી હતી અને પરિવારજનો માતાજીની સલાહ મુજબ તેમના ગામથી 20 કિલોમીટર દૂર આવેલા કુળદેવીના મંદિરમાં જઈ પૂજા અર્ચના કરવા લાગ્યા હતા. આ પૂજા સતત અને સતત દસ દિવસ સુધી ચાલી અને આ બાળકને ફરી એક વખત જીવતો કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા.
શરૂઆતમાં તો ગામજનોને આ તમામ બાબતો બકવાસ લાગી પરંતુ ત્યારબાદ એ લોકો પણ આ પ્રક્રિયામાં જોડાઈ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ સોશિયલ મીડિયા પર થઈ ત્યારે પત્રકારો સહિતનો કાફલો પણ આ ગામે દોડી ગયો હતો અને ત્યાં વારાફરતી દરેક લોકોના ઇન્ટરવ્યૂ પણ લેવા લાગ્યા હતા..
સૌ કોઈ લોકો આ બાબતને ચમત્કાર ગણાવતા હતા. અનિતા નામની મહિલાએ જણાવ્યું કે, તેને સ્વપ્નમાં માતાજી આવ્યા હતા. અને તેણે જણાવ્યું કે, તેના બાળકને જે જગ્યા પર અંતિમ વિધિ કરવામાં આવી છે તે જગ્યા પરની માટી માંથી તેના બાળકનો જન્મ થશે, આ માટીના અમુક સેમ્પલ લઈને તેઓ એક ટોપલા નીચે રાખ્યા છે..
આ માટીમાંથી ધીમે ધીમે ફૂલ ઊગ્યું છે, અને આ ફૂલની અંદરથી તેનો દીકરો પાછો જીવતો થશે તેવું અનિતાને લાગે છે. અને આ માટે તેઓ છેલ્લા દસ દિવસથી મંદિર પૂજા અર્ચના અને સત્સંગ ભજન, કીર્તન કરી રહ્યા છે. ભણેલ ગણેલા કેટલાક લોકો આ બાબતને ખૂબ જ નકારી કાઢી છે..
અને કહી રહ્યા છે કે મનના તમામ વહેમોને કાઢી નાખવા જોઈએ અને હંમેશા વૈજ્ઞાનિક કારણો ઉપર મન લગાવી વિશ્વાસ કરી લેવો જોઈએ. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, માતાજીએ આપેલા સ્વપ્ન અને સલાહ મુજબ હકીકતમાં આ દીકરો થોડા દિવસો પછી જીવિત થશે..
સૌ કોઈ લોકો પોત પોતાની મરજી પ્રમાણે નિવેદનો આપી રહ્યા છે. પરંતુ હકીકતમાં આ મનનો વહેમ હોઈ શકે છે અને આ વહેમના કારણે જ સમગ્ર ગામના લોકો પોતાનો કામ ધંધો મૂકીને આ કામગીરીમાં લાગી પડ્યા છે. આ પ્રકારના દરેક કિસ્સાઓથી દુર રેહવું જોઈએ અને હમેશા કોઈ તથ્ય પર જ વિશ્વાસ કરવો જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]