Breaking News

સવારે ફોન આવ્યો કે, તમારી દીકરીએ ફાંસો ખાધો છે, માં-બાપ તાબડતોબ સાસરીયે પહોચ્યા અને નજરે ફેરવતા જ… વાંચો..!

આજકાલ જીવનમાં રહેલા દુઃખોને લઈને માણસ ખૂબ જ ચિંતિત હોય છે. ચિંતા મને ચિંતામાં માણસનું મગજ એટલું બધું ખવાઈ જાય છે કે, અંતે તેઓ આપઘાતનું પગલું ભરીને જીવ ટૂંકાવી આત્માને શાંતિ આપવાની કોશિશ કરે છે. પરંતુ જીવ ટૂંકાવી દેવો કોઈ સહેલી બાબત નથી. જ્યારે માણસ ખૂબ જ કંટાળી ગયો હોય અને હવે તેમની સામે કશું જ દેખાતું ન હોય ત્યારે તેઓ આપઘાતનું પગલું ભરે છે..

એવા સમયમાં જો તેને કોઈ સારા વ્યક્તિનો સાથ મળે તો કદાચ તેઓ આ પગલું કરતા અટકી પણ શકે છે. ગઈકાલે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામમાંથી 22 વર્ષની એક પરિણીત મહિલાએ આપઘાત કરી લેતા આસપાસના તમામ વિસ્તારોમાં અરેરાટી મચી ગઈ છે..

22 વર્ષની આ પરણીત મહિલાનું નામ પ્રીતિબેન દિલીપભાઈ દાફડા છે. તેના લગ્ન આથી ત્રણ વર્ષ પહેલા થયા હતા. હાલ તેના લગ્નજીવન દરમિયાન એક પણ સંતાન ન હતું. પ્રીતિ બહેનને તેના સાસરિયાંઓ તરફ મળતા હોવાની માહિતીઓ સામે આવી છે. અવારનવાર તેના સાસરિયાંઓ ત્રાસ પહોંચાડીને પૈસાની માંગણીઓ કરવા લાગતા હતા..

અને કહેતા કે તું પિયર માંથી પૈસા લઈને આવજે પરણીતા સાથે થયેલા તમામ દુઃખો તે પોતાના પિયરમાં કહેતી અને પિયરથી તેને પૈસા પણ આપતા હતા. આ પૈસાની અને તે સાસરે પણ આવતી હતી. એક દિવસ તેઓએ દીકરીના માતા-પિતાને ફોન કરીને જણાવી કે, તમારી દીકરીનો મોબાઇલ ફોન લઈ જજો…

આ ફોન અમને ખૂબ જ નડે છે. એટલા માટે દીકરીને માતા પિતા મોબાઈલ ફોન લઈ ગયો હતાં. ત્યારબાદ એક દિવસ દીકરીને માતા-પિતાની તબિયત સારી ન હોવાથી તેણે જમાઈને ફોન કરીને કહ્યું કે, અમારી તબિયત ખૂબ જ બગડી ગઈ છે. એટલા માટે તમે પ્રીતિને થોડાક દિવસ માવતરે મોકલો..

પરંતુ જમાઈએ જવાબ આપતા જણાવ્યું કે, અત્યારે તેને માવતર મોકલવામાં નહીં આવે.. અને તમે તેડવા પણ આવતા નહીં. એટલે કે દિન પ્રતિદિન સાસરીયા પક્ષ અને પિયર પક્ષ બંને એકબીજા સાથે ખૂબ જ તંગદીલીનો માહોલ સર્જાઈ ગયો હતો. અને આ પરણીતા સતત ત્રાસનો અનુભવ કરી રહી હતી…

એક દિવસ સવારના 05:00 વાગ્યા આસપાસ પ્રીતિના પિતાને પ્રીતિના સસરાએ ફોન કરીને જણાવ્યું કે, તમારી દીકરીએ ફાંસો ખાઈ લીધો છે. આ શબ્દો સાંભળતા જ પ્રીતિ બહેનના પિતા ઘણા બધા સવાલો કરવા લાગ્યા હતા. પરંતુ સામેવાળા વ્યક્તિ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા પ્રીતિના પિતાએ વિચાર્યું કે મારી દીકરી કોઈપણ કારણે ગળા ફાસો તો ન જ ખાઈ…

તે વારંવાર રિસામણા આવી જતી હતી. અને તેના સાસરીયા વાળા લોકો પૈસાની બાબતને લઈને તેને પિયરમાં મોકલી દેતા હતા. સવાર સવારમાં ફોન આવ્યો કે, તમે જલ્દી અહીંયા પહોંચી જાઓ જ્યારે દીકરીના માતા-પિતા ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો તેમની દીકરીએ જીવ ગુમાવી દીધો હતો. આ મામલામાં સાસરીયા પક્ષની કામગીરી સંડાવાયેલી હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે આ દીકરીએ પોતાના ઘરે જ ફાંસો ખાઈ લીધો હતો. પરંતુ આટકોટ પોલીસના તમામ બાબતોની જાણકારી એ પહેલા જ સાસરીયા વાળા લોકોએ પ્રીતિ બહેનના મૃતદેહને નીચે ઉતારીને તેના પર કપડું પણ ઢાંકી દીધું હતું. અને ત્યારબાદ તેના પિયરના લોકોને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. ઘણા બધા કલાકો વીત્યા બાદ પણ આટકોટ પોલીસને આ બાબતની જાણ ન કરતા આ તમામ બનાવો હાલ શંકામાં ફેરવાઈ ગયો છે… તો બીજી તરફ પ્રીતિબેનના માતા પિતાએ પ્રીતિના સાસુ-સસરા જેઠ તેમજ દિયર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *