ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર બાળકો સાથે આવી ઘટનાઓ બનતી જોવા મળી રહી છે જેને કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બ્રુહાનપુરમાં બની હતી. દીકરીના માતા-પિતા આ વિસ્તારમાં રહેતા હતા.
એક માસુમ દિકરી સાથે કરુણ ઘટના બની જતા તેમના પરિવારના સભ્યો આઘાતમાં આવી ગયા હતા. દીકરી એક દિવસ તેમના માતા પિતા સાથે રહેવા માટે દાદીના ઘરેથી આવી હતી. દીકરીનું નામ શાહીન હતું. તે મોટાભાગે પોતાના દાદી સાથે રહેતી હતી. તેમની દાદી અમદાવાદમાં રહેતી હતી.
દીકરી તેમની સાથે જ રહીને અભ્યાસ કરતી હતી પરંતુ રજા હોવાને કારણે દીકરી તેમના માતા પિતા સાથે રહેવા આવી હતી. તે સવારના સમયે આવી હતી અને સાંજ થતા તેની સાથે કરુણ ઘટના બની ગઈ હતી. દીકરી પોતાના ઘરની બહાર ઓટલે બેઠી હતી. તે સમયે અચાનક જ તેનું અપહરણ થઈ ગયું હતું.
જેના કારણે તેમની માતાએ દીકરીને આસપાસ બધે જ શોધી હતી પરંતુ દીકરી મળી ન હતી. જેના કારણે તેમના પિતાની સાથે ઘટનાની જાણ કરવામાં આવી હતી પિતાએ તરત જ પોલીસ સ્ટેશનમાં દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
તેના બીજા દિવસે આઝાદ વોર્ડ વિસ્તારમાંથી દીકરીનો મૃત્દેહ મળી આવ્યો હતો. પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ અઘાતમાં આવી ગયા હતા અને દીકરીની માતા પોતાનું ભાન ભુલાવી બેઠી હતી તેની દીકરીનું અચાનક જ મૃત્યુ થઈ છતાં તે આઘાત જ સહન કરી શકી હતી નહીં દીકરી સવારના સમયે પોતાના દાદીને ત્યાંથી આવી હતી.
અને સાંજ થતા તેની સાથે આવી ઘટના બની જતા પરિવાર શોકમાં આવી ગયું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. તે સમયે પોલીસને જણાવ્યું હતું કે દીકરીનો મૃતદેહ જે જગ્યાએથી મળ્યો હતો. તેના 50 મીટરની ત્રિજ્યામાં જ આરોપી હોવાનું મળ્યું હતું. જેના કારણે પોલીસ કડક તપાસ કરી રહી હતી.
આજકાલ દીકરીઓ સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે દરેક માતા પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. શાહીન પોતાની દાદીની ખૂબ જ લાડકી દીકરી હતી દાદી તેમની પાસે શાહીને રાખતા હતા પરંતુ ક્યારેક પોતાના માતા પિતાને યાદ કરતી જેના કારણે દાદી ને આ વાતની જાણ થતા તેઓ આઘાત સહન કરી શક્યા નહીં અને તેઓ બેભાન થઈ ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]