Breaking News

સુવા જાવ છું કહીને રૂમ બંધ કરી દીધી અને પાંખે લટકીને ફાંસો ખાઈ લીધો, પિતાએ બારણું ખોલીને જોયું તો ડોળા ફાટી ગયા.. વાંચો..!

રોજ આપઘાતના બનાવો એટલા બધા વધી ગયા છે કે, હવે જે તે વ્યક્તિને થોડું ઘણું પણ દુઃખ આવી પહોંકે કે તરત તેઓને તાત્કાલિક આપઘાત કરવાના વિચારો આવવા લાગ્યા છે. હાલ રહસ્યમય આપઘાતનો એક કિસ્સો ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ૩૦ વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ લીધો છે..

પેથાપુર જૈન દેરાસર પાસે વસાહત આવેલી છે. તેમાં અરવિંદભાઈ ભાવસાર નામના વ્યક્તિ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું જીવન ગુજારે છે. તેમની પત્નીનું થોડા સમય પહેલાં અવસાન થઈ ગયું હતું. તેમજ સંતાનમાં તેઓને બે દીકરા છે. બંને દીકરાને ભરણપોષણ પોતે અરવિંદભાઈ કરે છે. તેઓ બે પુત્રોની સાથે આ વસાહતમાં રહે છે..

તેમનો ત્રીસ વર્ષનો દીકરો કૃણાલ પણ છુટક મજુરી કામ કરતો હતો. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તેણે આ મજૂરી કામ કરવાનું છોડી દીધું હતું. તે હંમેશા ચિંતિત રહેતો હતો. અને અવારનવાર તેના લગ્નની બાબતને લઈને તેના પિતાજી સામે આજીજી કરતો હતો. કારણ કે ત્રીસ વર્ષનો કૃણાલ ઉંમરલાયક થઈ ગયો હતો. પરંતુ તેના લગ્ન થયા હતા નહીં.

એક દિવસ રાત્રીના સમયે તે પોતાના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો અને વહેલી સવારે તે પોતાના ઘરે આવ્યો અને પિતા સાથે ચા-નાસ્તો કર્યા પછી તેણે તેના પિતાને કહ્યું કે હું રૂમમાં સુવા માટે જાવ છું. અરવિંદભાઈ કહ્યું હા વાંધો નહિ તું થાકીને આવ્યો હશે એટલે તું થોડો આરામ કરી લે..

બપોરના 10 વાગ્યા છતાં પણ કૃણાલ તેની રૂમમાંથી બહાર આવ્યો હતો નહીં. એટલા માટે અરવિંદભાઈ કૃણાલ રૂમને ખોલીને તેને જગાડવા નો પ્રયત્ન કરવા ગયા હતા. અરવિંદભાઈ જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું કે એમનો ત્રીસ વર્ષનો દીકરો કુણાલ પંખા સાથે લટકી રહ્યો છે.

આ જોતાની સાથે જ તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને વિચારમાં પડી ગયા હતા કે આખરે દીકરાને એવું તો શું દુઃખ આવી પડ્યું હતું કે જેના કારણે તેણે ગળા ફાંસો ખાઈ લીધો છે. એક બાજુ વિચારવાનું મનોમંથન અરવિંદભાઈના મનમાં ચાલતું હતું તો બીજી તરફ કૃણાલની લાશ દેખાઈ હતી.

આ મામલાની જાણ પેથાપુર પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓએ કૃણાલ પિતાની પૂછતાછ શરૂ કરી હતી. જેમાં અરવિંદભાઈ જણાવ્યું હતું કે કૃણાલ ના માતાના મૃત્યુ પછી તે ખૂબ જ ચિંતિત રહેતો હતો અને બન્ને ભાઈઓના લગ્ન થયા નથી એટલા માટે તે હંમેશા માનસિક તણાવમાં બેસી રહેતો હતો.

આગળ પણ તેણે બેથી ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ ગયો હતો. અને તેનો જીવ બચી ગયો હતો. પરંતુ આજે ઘરે રૂમ બંધ કરીને એકલતાનો લાભ લીધો હતો અને તેણે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. પોલીસે આ બનાવને પગલે અકસ્માતમાં મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *