દિવાળીના તહેવારમાં લોકો સામાન્ય રીતે પોતાના ઘરની બહાર ફટાકડા ફોડતા હોય છે. પરંતુ કેટલાક લોકો ફટાકડા દ્વારા અન્ય લોકોને હેરાન કરતા હોય છે. ગ્વાલિયર શહેરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પડોશીદ્વારા ઘરની બહાર મોટા અવાજ વાળા ફટાકડા ફોડ્યા બાદ ઘર ના માલિક દ્વારા મનાઈ કરતા તેની સાથે મારપીટ કરવામાં આવી છે.
મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલિયર જિલ્લાના ખુરેરી મહોલ્લામાં મુકેશ રજક અને તેનો પરિવાર રહે છે. તેની પડસમાં પીનૂ શાહ, અને નિયામત શાહ રહે છે. તેમજ તેની સામેના ઘરમાં મહબુબ ખાન રહેતો હતો. દિવાળીની રાત્રે મહોલ્લાના સૌ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા.
આ દરમિયાન પીનું શાહ, નિયામક શાહ અને મહેબુબ ખાનએ મુકેશ રજક ને હેરાન કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓએ મુકેશ રજકના ઘરની આગળ મોટા અવાજ વાળા ફટાકડા ફોડી રહ્યા હતા. જેથી મુકેશ નો 2 વર્ષીય પુત્ર ડરી રહ્યો હતો. આ દરમિયાન મુકેશ રજકે તેમને તેના ઘર આંગણે ફટાકડા ફોડવા માટે ના પાડી હતી.
પરંતુ તે ત્રણેય પડોશી માની રહ્યા ન હતા. તેમજ ફટાકડા ફોડવાનું શરૂ રાખ્યું હતું. જેથી મુકેશ રજત દ્વારા પીનુ શાહ, નિયામક શાહ અને મહબુબ ખાન ને ઠપકો આપ્યો હતો. જેથી તે ત્રણેય વ્યક્તિએ ગુસ્સામાં આવીને મુકેશ રજક અને તેના પરિવારજનો સાથે મારપીટ કરી હતી.
તેઓ લાકડી લઈને મુકેશના પરિવાર પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન તેઓએ મુકેશ નાનાભાઈ વિકાસ અને તેની પત્ની સાથે પણ મારપીટ કરી હતી. જેથી મુકેશ રજકે ગ્વાલિયર પોલીસ સ્ટેશનમાં તે ત્રણેય વિરુદ્ધ મારપીટ અને તેના ઘર આંગણે મોટા અવાજના ફટાકડા ફોડવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.
ગ્વાલિયર ના મુરાર પોલીસ સ્ટેશનમાં મુકેશ દ્વારા ફરિયાદ લખાવના સમયે એ પણ જણાવવામાં આવ્યું છે કે તે ત્રણેય દ્વારા ફોડવામાં આવતા ફટાકડાના કારણે તેનો 2 વર્ષીય પુત્ર ડરતો હતો. જેથી મૂકેશએ તેઓને પોતાના ઘર આંગણે ફટાકડા ફોડવા માટે ની મનાઈ કરી હતી. પોલીસ દ્વારા તે ત્રણેય વ્યક્તિની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. તેમજ સમગ્ર તપાસ બાદ તેમના પર આગળની કાયદેસરની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]