Breaking News

સુરતમાં ધોળે દિવસે હીરા દલાલની ઓફીસમાં ઘુસીને અજાણ્યા લોકોએ કરી નાખી હત્યા, ભલભલાના હોશ ઉડાવી દે તો બનાવ..!

સુરત શહેરમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. સુરતના પોલીસ તંત્રના અધિકારીઓ ગુનાખોરીને ડામવા માટે ખૂબ જ પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ગુનાખોરીનું પ્રમાણ વધવા લાગ્યું છે. થોડા દિવસ પહેલાં સરથાણાના એક હીરા વેપારીને ઉપર ફાયરિગની ઘટના સામે આવી હતી..

અને હવે વરાછા વિસ્તારમાં કમલ પાર્ક સોસાયટીની અંદર ઓફિસ ધરાવતા એક હીરા દલાલ ઉપર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. 62 વર્ષના પ્રવીણભાઈ નકુમ હીરા દલાલ તરીકે કામ કરે છે. અને તેમની ઓફિસ કમલ પાર્ક સોસાયટીમાં આવેલી છે. તેઓ તેમની ઓફિસ હતા એ દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા હતા..

અને બોથડ પદાર્થો વડે ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોલીસને જાણ થતાની સાથે મોટા મોટા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને જરૂરી તપાસો શરૂ કરી હતી. પોલીસહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે આવીને આ હ.ત્યા. કયા કારણોસર કરવામાં આવી છે..? તેમજ કેવી રીતે કરવામાં આવી છે..?

તેની જાણકારી મેળવી રહી છે, વરાછા પોલીસ મથકના ઇન્સ્પેક્ટરએ જણાવ્યું છે કે, તેમને બોથડ પદાર્થ મારીને ઈજા પહોંચાડીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. તેઓ હીરા દલાલ હતા એટલે તેમની સાથે કોઈ લૂંટફાટનો બનાવ બન્યો છે કે, નહીં તેની પણ તપાસ ચલાવવામાં આવશે.

જ્યારે તેમના પરિવારજનોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈને કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની હતી નહીં. આ ઉપરાંત પરિવારને કોઈ પણ વ્યક્તિ ઉપર શંકા પણ નથી. પોલીસે અત્યારે હત્યાનો ગુનો નોંધ્યો છે. અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને જરૂરી તપાસ પણ શરૂ કરી દીધી છે..

પરિવારના મોભીનું મૃત્યુ થતાં આ દુઃખને સહન કરવું તેમના પરિવારજનો માટે સહેલું નથી. હીરા દલાલ પ્રવીણભાઈ નકુમના દીકરા કિશોરભાઈ નકુમને જ્યારે જાણ થઈ કે, તેમના પિતા ઉપર હુમલો કરીને બીજા પહોંચાડવામાં આવી છે. તેઓ ત્યારે ઓફિસે હતા. તેમને જાણ થઈ કે, તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..

તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, પોલીસ યોગ્ય તપાસ કરીને જલ્દીથી જલ્દી આરોપીઓને શોધી કાઢશે અને તેમના પપ્પાને ન્યાય અપાવવામાં મદદ કરશે. દિન પ્રતિ દિન વધતી ગુનાખોરીએ સૌ કોઈ લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. આખરે ક્યારે આ ગુનાખોરીઓના બનાવો બનવાનું બંધ થશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *