ઉનાળામાં કાળજાળ ગરમી પડતા જ સૌ કોઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, હકીકતમાં ગરમીને સહન કરવી કોઈ પણ વ્યક્તિ માટે સહેલું નથી. ગરમી થી રાહત મેળવવા માટે બપોરના સમયે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. તેમજ ઠંડા પીણા અને શરબત જેવી ચીજ વસ્તુઓનો સહારો પણ લેવામાં આવતો હોય છે..
આખો દિવસ સુધી બળબળતો તાપ પડવાને કારણે ઘર પણ ખૂબ જ ગરમ થઈ ગયા હોય છે, અને રાત્રિના સમયે કેટલાક લોકો પોતાની અગાસી ઉપર સુવા માટે જતા રહે છે. ત્યાં ઠંડા પવનમાં સૂઈને નિરાંતે પોતાની ઊંઘ પૂરી કરી લેતા હોય છે. એવી જ રીતે એક પરિવાર રોજની જેમ તેમના ઘરની અગાસી ઉપર સુવા માટે ચાલ્યો ગયો હતો..
ત્યાં પથારી કરીને સમગ્ર પરિવાર સૂઈ ગયો, પરંતુ વહેલી સવારે આ પરિવાર સાથે એવી ઘટના બની ગઈ હતી કે, સમગ્ર સોસાયટીના રહીશો બુમ બરાડા પાડવા લાગ્યા હતા, આ હચમચાવતો વિચિત્ર કિસ્સો જાણીને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઈ જશો, આ ઘટના ફાતિમા નગર કોલોનીની છે..
આ કોલોનીમાં અમિતભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની બીનાબેન તેમનો 12 વર્ષનો દીકરો રાજ અને તેમની 22 વર્ષની દીકરી તન્વી રાજી ખુશીથી જીવન જીવતા હતા. સમગ્ર પરિવાર અગાસી ઉપર સુવા માટે ગયો હતો, ત્યારે વહેલી સવારે અચાનક જ તેમની અગાસી ઉપર એક વાંદરો આવી પડ્યો હતો..
અને આ વાંદરાએ અમિતભાઈની દીકરી તન્વી સાથે એવી હરકતો કરી નાખી હતી કે, જેને જોતાની સાથે સૌ કોઈ લોકો બુમ બરાડા પાડવા લાગ્યા હતા. આ વાંદરો આગાસીમાં આવી પહોંચ્યો અને તન્વી જે ધાબળો ઓઢીને સૂતી હતી, તે ધાબળો ઊંચો કરીને તન્વીને બચકા ભરી લીધા હતા..
આ ઉપરાંત તન્વીની બાજુમાં સૂતેલો તેનો બાર વરસનો ભાઈ રાજ પણ આ વાંદરા ને જોઈને ખૂબ જ ડરી ગયો હતો. વાંદરાએ રાજને પણ બચકા ભરી લીધા હતા અને ત્યાંથી ભાગવાની કોશિશ કરતો હતો. વાંદરાએ બચકા ભરતાની સાથે જ તાત્કાલિક તન્વી અને રાજે બૂમ કરવાનું શરૂ કરી દીધું હતું..
આ બુમો સાંભળીને અમિતભાઈ પણ ઉઠી ગયા અને શું થયું છે તે જાણવા લાગ્યા હતા. અમિતભાઈ ઉઠતાની સાથે જ વાંદરો ફરી એક વખત રાજને બચકા ભરવા માટે આગળ વધી રહ્યો હતો, પરંતુ અમિતભાઈ તરત જ ઉભા થઈ જતા વાંદરો પાછળ ચાલ્યો ગયો હતો. આ ઘટનાને લઈ સમગ્ર સોસાયટીમાં હલ્લો મચી ગયો હતો..
અમિતભાઈની અગાસી ઉપરથી કૂદીને તેમના પડોશમાં રહેતા હરકિશન ભાઈની અગાસી ઉપર પણ વાંદરો પહોંચી ગયો હતો, અને ત્યાં સુતેલા લોકોને પણ હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો, આ ઘટનાને લઈ જવા પામ્યો હતો. સોસાયટીના રહીશોનું કહેવું છે કે, તેમની સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો ખૂબ જ ડર રહેલો છે..
કારણ કે તેમની સોસાયટી શહેરની બહાર જંગલ વિસ્તારમાં આવેલી હોવાથી ત્યાં વાંદરા તેમજ અન્ય જંગલી પ્રાણીઓનો પણ ખૂબ જ ડર રહે છે. આ ઘટનાને લઈને તેઓએ વન્યજીવના અધિકારીઓને પણ ફરિયાદ પહોંચાડી છે કે, તેમની સોસાયટીમાં ખૂબ જ અજુગતી ઘટના બની ચૂકી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]