રોજબરોજ ઘણા બધા લોકો કોઈને કોઈ બાબતોથી કંટાળી જઈને અંતે એટલું બધું એકલાપણું અનુભવ કરવા લાગે છે કે, છેલ્લે કોઈ ઉપાય બાકી ન બચતા તેઓ અવળું પગલું ભરીને હંમેશા હંમેશા માટે અલવિદા કહી દેતા હોય છે. અત્યારે રાજપુર ગામમાં રહેતા 35 વર્ષના વિનોદ નામના યુવક સાથે કંઈક આવી જ એક ઘટના બની જવા પામી છે..
35 વર્ષનો વિનોદના લગ્ન 13 વર્ષ પહેલાં થયા હતા, આ લગ્ન જીવન દરમિયાન તેણે બે બાળકો પણ છે. વિનોદ તેના પરિવારનું પાલનપોષણ કરવા માટે મજૂરી કામ કરીને પૈસા કમાતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે દારૂ પીવાના રવાડે ચડી ગયો હતો, તે અવાર નવાર દારૂનો નશો કરીને ઘરે આવતો..
પરંતુ તેની પત્ની આ તમામ બાબતો સહન કરતી હતી, એક દિવસ તેણે સવારના સમયે જાગીને ગામની અંદર આંટાફેરા મારવાના શરૂ કર્યા હતા અને સાત વાગ્યા આસપાસ ઘરે આવી ગયા બાદ તેને તેના રૂમમાં જઈને આપઘાત કરી લીધો હતો. લાંબા સમય સુધી વિનોદ ઘરની અંદરથી બહાર ન આવ્યો ત્યારે તેની પત્ની દરવાજો ખટખટ આવવાની કોશિશ કરી..
પરંતુ વિનોદ એ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો નહીં અને દરવાજો પણ ન ખોલતા વિનોદની પત્ની રૂમનો દરવાજો પડોશીની મદદથી તોડાવી નાખ્યો હતો અને અંદર જોતાની સાથે જ તેમની આંખોના મોતિયા મરી ગયા હતા, કારણકે તેઓએ વિનોદ અને મૃત હાલતમાં જોઈ લીધો હતો..
તાત્કાલિક ધોરણે ઘટનાની જાણકારી પોલીસને પહોંચાડવામાં આવી કે, રાજપુર ગામમાં રહેતો 35 વર્ષનો વિનોદ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધુ છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાશ ને કબજામાં લઈ નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. વિનોદએ કયા કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..
તેનું કારણ જાણવા માટે જુદી-જુદી તપાસ ચલાવવામાં આવી રહી છે. તેના આસપાસના રહેતા લોકોનું કહેવું છે કે, વિનોદ હંમેશા ખુશખુશાલ રહેતો હતો, તેને કોઈપણ વાતનું દુઃખ હતું નહીં. છતાં પણ તેને શા માટે આપઘાત કરી લીધો છે તે સમજણ પડતી નથી. તેના બંને દીકરા પણ રડી રડીને બેહાલ થયા હતા..
તો વિનોદની પત્ની તો આ દુઃખની ઘડી સહન કરી શકી નથી અને ત્યાંને ત્યાં જ નીચે ઢળી પડી હતી. વિનોદના માતા-પિતાને જ્યારે ખબર પડી ત્યારે તેમના પણ હાલ બેહાલ થઈ ગયા હતા. સૌ કોઈ લોકો વિનોદના મૃત્યુને કારણ જાણવા માટે મથામણ કરી રહ્યા છે. હાલ આ ઘટનાએ ચકચાર મચાવી દીધો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]