ખાવા પીવાની દરેક ચીજ વસ્તુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ તેમજ સ્વાદમાં સારી હોય તો લોકોએ ખર્ચેલા રૂપિયાનું તેમને પૂરેપૂરૂ વળતર મળ્યું હોય તેમ કહી શકાય છે પરંતુ આજકાલના સમયમાં શુદ્ધ વસ્તુઓ ખૂબ જ ઓછી મળી રહી છે અને શુદ્ધ વસ્તુઓના નામે ભેળસેળ કરીને ગ્રાહકોને વેચવામાં આવે છે.
ગ્રાહકો સાથે આવી છેતરપિંડી ખૂબ જ બની રહી છે. પરંતુ લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે મજબુર થઈ રહ્યા છે. અવારનવાર બનતા ગ્રાહકો સાથેના છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો રાજગઢ જિલ્લામાં બન્યો હતો.
રાજગઢ નજીક આવેલા ખૈરાસી ગામમાં ઘણા સમયથી દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. ખૂબ જ જોશમાં આ કારોબાર ચાલી રહ્યો હતો. સફેદ દૂધના નામે લોકોને કેમિકલ વાળું દૂધ વેચવામાં આવતું હતું. જેના કારણે કલેકટરને આ વાતની જાણ મળતા તેઓએ ખાદ્ય વિભાગના જિલ્લા અધિકારી તેમજ રાજગઢ કોતવાલી પોલીસ ટીમને આ વાતની જાણ કરી હતી.
જેના કારણે ફૂડ વિભાગના કર્મચારીઓ તેમજ પોલીસો આ ગામમાં પહોંચ્યા હતા. ગામમાં આવેલા એક મકાનમાં હેમરાજ સુથાર નામના યુવક રહેતા હતા અને તેઓ પોતાના જ ઘરે દૂધ વેચવાનો ધંધો કરી રહ્યા હતા પરંતુ કલેક્ટરને બાતમી મળી હોવાને કારણે ફૂડ વિભાગ વહીવટી તંત્ર અને પોલીસની ટીમે આ મકાનને પહોંચીને દરેક દૂધના વાસણોને ચેક કરાવ્યા હતા.
હેમરાજ સુથારના આખા ઘરને ચેક કરવામાં આવ્યું હતું. દૂધ જે પાત્રમાં ભરવામાં આવતું હતું. તે વાસણોને પણ ચેક કરવામાં આવ્યા હતા. અને દૂધના સેમ્પલ લઈ લેવામાં આવ્યા હતા. તેમજ નકલી દૂધ બનાવતા હોવાની જાણ થઈ હોવાની લીધે દરોડા પાડવામાં આવ્યા હતા. અને તે સમયે ઘટના સ્થળ પરથી કેમિકલના ડબા તેમજ..
મિલ્ક પાવડર તેલ અને અન્ય સામગ્રી મળી આવી હતી. આ દરેક વસ્તુઓનો ઉપયોગ નકલી દૂધ બનાવવા માટે કરતા હતા. જેના કારણે ફૂડ વિભાગના કર્મચારીઓએ દરેક વસ્તુના જથ્થાને જપ્ત કરી લીધો હતો અને નકલી દૂધને ત્યાંને ત્યાં ઢોળી દેવામાં આવ્યું હતું. ગામના લોકો હેમરાજ સુથારના ઘરેથી ઘણા સમયથી દૂધ લઈ જતા હતા.
જેના કારણે ગ્રાહકોની આંખ ખોલી દેવામાં આવી હતી. ગ્રાહકો ઘણા સમયથી સફેદ શુદ્ધ દેશી દૂધના નામે નકલી દૂધ પી રહ્યા હતા અને કેમિકલ વાળું દૂધ પીને તેઓ પોતાના સ્વાસ્થયને પણ ખરાબ કરી રહ્યા હતા. ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોવાને કારણે હેમરાજ સુથારની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
અને નકલી દૂધ બનાવવા માટે બજારમાંથી આવતા આવા કેમિકલ જે તેઓ દૂધને ફેટ વધારવા માટે ઉપયોગમાં કરતા હતા અને દૂધમાં ચરબીનું પ્રમાણ વધારવા માટે તેમજ દૂધમાંથી ઘી તેમજ વધારે માત્રામાં દૂધની બનાવટી વસ્તુઓ વેચતા હતા. અને દૂધના ફેટ વધારીને દૂધમાંથી ઘી બનાવવામાં આવતું હતું.
અને ત્યારબાદ તેમાં તેલ ભેળવીને લોકોને વેચતા હતા. આવી છેતરપિંડી કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય અને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. જેના કારણે દરેક લોકોએ ચોકી જવું જોઈએ અને પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા દૂધનું પૂરતું ચેકિંગ કરવું જોઈએ. ખૂબ જ મોટા પ્રમાણમાં આ દૂધનો નાશ કરવામાં આવ્યો હતો.
ફુડ વિભાગના કર્મચારીઓ આ દૂધનો જથ્થો જોઈને જ ચોકી ગયા હતા. લોકો પોતાના સ્વાસ્થયને જોખમમાં મૂકી રહ્યા હતા. જેના કારણે દૂધના જથ્થાનો નાશ કરીને લોકોને ચેતવણી આપી દેવામાં આવી હતી. લોકો આવી ભેળસેળ કરીને હલકી ગુણવતાની વસ્તુઓને વેચી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]