લોકોની સુરક્ષા એ આવનારા સમયનો સૌથી મોટો પડકાર જનક પ્રશ્ન બનીને ઉભો થવા જઈ રહ્યો છે. સોસાયટીમાં તેમજ એપાર્ટમેન્ટમાં રેતા લોકો પોતાની સુરક્ષા વોચમેન ઉપર મૂકીને શાંતિથી સૂઈ જતા હોય છે. આ ઉપરાંત શહેરનું તંત્ર પણ સુરક્ષા પૂરી પાડવામાં કોઈ પણ કચાશ બાકી મૂકતું નથી. હંમેશા તેઓ શહેરના નાગરિકોની મદદથી આવવા માટે તૈયાર હોય છે..
પરંતુ અત્યારે સોસાયટીના વોચમેનની એવી કાળી કરતુતો સામે આવી છે કે, તેને જાણીને તેને તરત જ ઘર ભેગો કરી દેવો પડ્યો હતો. અને સોસાયટીમાં હલ્લો મચી ગયો હતો. આ ઘટના ઈશ્વરગઢ પાસે આવેલી ચંદુનગર સોસાયટીનો છે. આ સોસાયટીમાં અંદાજે 150 કરતા વધારે મકાન છે.
જેના કુલ છ થી સાત ગેટ પણ છે. જેની શેરી નંબર ત્રણમાં એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના બન્યા બાદ સૌ કોઈ લોકોને એવી શંકા હતી કે, ઘટનાની પાછળ કોઈ નજીકના જ વ્યક્તિનો હાથ હોય તેવું લાગી રહ્યું છે. સોસાયટીમાં વીરજીભાઈ નામના એક મોટા બિઝનેસમેન રહે છે.
તેઓ જ્યારે તેમના પરિવાર સાથે ફરવા માટે બે થી ત્રણ દિવસ ઘર મૂકીને જતા હોય ત્યારે તેમના ઘરે ખૂબ મોટી ચોરી થઈ જતી હતી. આવું એક કે બે વખત નહીં પરંતુ પાંચ વાર બની ચૂક્યું હતું. જ્યારે આ પ્રકારની ઘટના વારંવાર પુનરાવર્તન થવા લાગી ત્યારે સોસાયટીના સૌ કોઈ રહીશો જાણવા માટે મજબુર બન્યા હતા કે, આ ઘટના પાછળ નક્કી કોઈ નજીકના જ વ્યક્તિનો હાથ હોવો જોઈએ..
વીરજી ભાઈ નામના બિઝનેસમેનને તેમના આસપાસના પડોશી ઉપર શંકા જવા લાગી હતી. કારણ કે તેઓ જ્યારે બહારગામ ફરવા માટે જતા ત્યારે જ તેમના ઘરે છોરી થઈ જતી અને તેઓ બહારગામ જવાના છે. તેની જાણકારી આસપાસના પાડોશીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચતી હતી નહીં…
જ્યારે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે સોસાયટીમાં બેસેલો વોચમેન કયા વ્યક્તિ કેટલા વાગ્યે સોસાયટીની અંદર પ્રવેશ કરે છે. એને કેટલા વાગે સોસાયટીની બહાર જાય છે. તેની જાણકારી મેળવી રાખતો હતો અને આ જાણકારીને તે તેના નજીકના વ્યક્તિ સુધી પહોંચાડતો..
આ નજીકના વ્યક્તિ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ચોર લૂંટારા હતા. જ્યારે પણ વિરજીભાઈ તેમના પરિવાર સાથે બહારગામ જતા ત્યારે સોસાયટીનો વોચમેન તેના સાથીદારોને જાણકારી પહોંચાડી દેતો હતો. આ ઉપરાંત તેને તેના સાથીદારોને સોસાયટીની અંદર પ્રવેશ કરવાનો એક રસ્તો પણ દેખાડી દીધો હતો.
આ રસ્તેથી તેના સાથીદાર અંદર આવી જતા અને વીરજીભાઈના મકાનમાંથી ચોરી કરીને બહાર નીકળી જતા હતા અને કોઈ વ્યક્તિને ખબર પણ પડતી હતી નહીં. સોસાયટીનો વોચમેન લુટારા સાથે મળેલો હોવાને કારણે સોસાયટીમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનવા લાગી હતી.
એક વખત જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા ત્યારે આ વોચમેન કેટલાક વ્યક્તિ સાથે અવારનવાર વાતચીત કરતો હતો અને તેને કોઈ મકાનનું સરનામું દેખાડી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે વોચમેનની કડક પૂછતાછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેણે જણાવી દીધું કે, આ ચોરીની ઘટનાઓ તેના કારણે જ થઈ રહી છે..
અને તે જ તેના સાથીદારોને આ ઘટનાની જાણકારી પહોંચાડતો હતો. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સોસાયટીના વોચમેનને તાત્કાલિક ધોરણે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. સોસાયટીમાં પણ હલ્લો મચી ગયો કે, જો અંદરના જ વ્યક્તિ આ પ્રકારની હરકતો કરતા હોય તો સોસાયટીમાં રહેતા લોકો કેવી રીતે સુરક્ષિત જિંદગી જીવી શકશે. સોસાયટીના પ્રમુખે આ વોચમેન સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]