દરેક સોસાયટીમાં જુદા-જુદા રીતીરીવાજ, જુદી-જુદી માન્યતા તેમજ જુદી વિચારધારા ધરાવનાર લોકો રહેતા હોય છે. સૌ કોઈ લોકો સાથે હળી મળીને રહેવું તેને સાચી માનવતા કહેવાય છે. પરંતુ અત્યારે કેટલાક લોકો એવા કારનામાઓ કરી બેસે છે કે, જેને કારણે તેની આસપાસમાં રહેતા લોકોના પણ સુખ ચેન છીનવાઈ જતા હોય છે..
અત્યારે એક એવી જ ઘટના લક્ષ્મીનગર વિસ્તાર પાસે આવેલી નીતુ નગર સોસાયટીમાંથી સામે આવી ગઈ છે. આ સોસાયટીની અંદર અંદાજે 50 જેટલા મકાનમાં જુદી-જુદી જગ્યાએથી આવેલા લોકો રહે છે. આ સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ નામના એક વ્યક્તિએ હાલમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને પડોશમાં રહેતો ચેતન નામનો યુવક એવા કારનામાં કરવા લાગ્યો છે..
કે તેને કારણે સોસાયટીના સૌ કોઈ રહીશોના શોકના માહોલમાં ચાલ્યા ગયા છે, તો કેટલાય લોકોના માથા હલબલી ગયા છે કે, આખરે આ વ્યક્તિને કારણે તેમને ઘણું ખોટું સહન કરવું પડી રહ્યું છે. તેમજ તેમના બાળકો પર પણ થવા લાગી છે. કંટાળી જઈને તેઓએ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે..
તેઓએ જણાવ્યું કે, ચેતન તેના માતા-પિતાથી દૂર અહીં તેમની પડોશમાં રહે છે. તે તેના ઘરમાં એકલો રહે છે. સાંજના સમયે તેના મિત્રો તેના ઘરે આવી પહોંચતા હતા અને દારૂ જેવી નશાકારક ચીજ વસ્તુઓનું સેવન કરીને જોરથી બૂમ બરાડા પાડે છે. તેમજ કેટલીક વાર તો મારામારીના દ્રશ્યો પણ સામે આવી જતા હતા..
સોસાયટીમાં રેહતા લોકોને ચેતનની આ કામગીરીને લઈને ઘણી દખલગીરી અનુભવવાનો વારો આવતો હતો. કેટલીક વખત હેરાન પરેશાન પણ થઈ જતા હતા. તેઓએ ઘણી બધી વાર ચેતનને આ પ્રકારની પ્રવૃત્તિઓ સોસાયટીની અંદર ન કરવા માટે જણાવ્યું પરંતુ આ મકાન તેનું પોતાનું ખરીદેલું હોવાને કારણે તે ક્યારે પણ અન્ય વ્યક્તિઓની વાતચીત સાંભળતો હતો નહીં..
અને મન ફાવે તેવી પ્રવૃત્તિઓ આચરવા લાગ્યો હતો, સોસાયટીના પ્રમુખ સહિત સૌ કોઈ લોકોએ ઘણી વખત તેને મનાવવાની કોશિશ કરી અને તેની સામે ફરિયાદ નોંધાવાની પણ વાતો કરી હતી. પરંતુ કોઈ પણ વ્યક્તિની વાત મગજમાં લીધા વગર તે રોજબરોજ સોસાયટીના લોકોને ખલેલ પહોંચે એ રીતે એવા કારણો કરવા લાગ્યું હતું કે, તેનાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા..
આ ઉપરાંત તેમની સોસાયટીમાં મકાનની લે-વેચ કરવામાં પણ હવે ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવા લાગી હતી. કારણ કે આસપાસની સોસાયટીઓમાં એવી વાત થઈ ગઈ હતી કે, આ સોસાયટીની અંદર રહેતા રહેશો દારૂડિયા અને રેઢીયાર છે. આ સોસાયટીમાં શાંતિ નામની કોઈપણ ચીજ વસ્તુ નથી એટલા માટે અહીં મકાન ન કરી દેવી જોઈએ..
જ્યારે આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ ત્યારે સોસાયટીમાં રહેલા મકાનના ભાવ પણ નીચે આવી ગયા હતા. એટલા માટે અંતે સૌ કોઈ લોકોએ ભેગા મળીને ફરિયાદ નોંધાવીને તેને સોસાયટીમાંથી કાઢી મુકવા માટે જણાવ્યું હતું. ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ આપણી નજર સામે આવતી હોય છે..
અને એવા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણવા માટે લોકોને મથામણ અનુભવવી પડે છે. પરંતુ પોલીસ તંત્રમાં આપેલી ફરિયાદને કારણે આવા લોકોને સીધા પાટે લાવી શકાતા હોય છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે, ચેતન આ કામગીરીને કારણે તેમના નાના બાળકો ઉપર ખૂબ જ માઠી અસર થઈ રહી છે..
કારણ કે, તે રાતના સમયે વારંવાર સોસાયટીમાં જોર જોરથી ગાળો બોલવા લાગતો હતો અને એવા તમાશાઓ કરતો હતો કે, તે જોઈને તેમના બાળકોને ડર લાગવા લાગ્યો છે. આ ઉપરાંત કેટલાક બાળકોની તો અભ્યાસમાં પણ ખલેલ પહોંચી રહી છે. આ તમામ અશાંતિ ફેલાવનાર લોકો ને સોસાયટીમાંથી કાઢી મુકવા માટે રહીશોએ પોલીસની મદદ લેવાનો પ્રયત્ન કર્યો છે. આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]