શહેરોમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે જ્યાં જુઓ ત્યાં મારામારી અને ઝઘડાઓ ચાલી રહ્યા છે. જેને કારણે આવનારી યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. લોકો નાની-નાની વાતમાં બીજા લોકો સાથે દુશ્મનાવટ કરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ભોજપુર જિલ્લામાં બની હતી.
એક સોનાના મોટા વેપારી સાથે કરુણ ઘટના બની ગઈ હતી. વેપારીનું નામ હરીજી ગુપ્તા હતું. વેપારી પોતાના પરિવાર સાથે રાજી ખુશીથી રહેતા હતા. તેમને પરિવારમાં પત્ની અને પાંચ દીકરા હતા. તેઓ ખૂબ જ મોટા સોનાના વેપારી હતા. તેઓ ઘણી બધી ભાડાની દુકાનો અને સોનાની દુકાનો ચલાવતા હતા. આરા પટના શહેરમાં જ્વેલરીની પાંચ દુકાનો તેમની જ હતી.
અને ધરહારા બલુહી પાસે આવેલી બજારમાં તેઓ ભાડા ની દુકાનો ચલાવતા હતા જેના કારણે એક દિવસ તેઓ પોતાના ઘરેથી માર્કેટમાં ભાડું લેવા માટે જાય છે તેમ જણાવીને ઘરેથી પોતાની બાઈક લઈને નીકળ્યા હતા અને તેઓ બલુહીની બજારમાં પહોંચ્યા હતા ત્યારબાદ ઘણો સમય થઈ જતા તેઓ ઘરે પરત આવ્યા ન હતા.
જેના કારણે તેમના દીકરા તેમને શોધવા માટે બજારમાં પહોંચ્યા હતા પરંતુ વેપારી બજારમાં મળ્યા ન હતા જેના કારણે દીકરાઓ એ આસપાસના વિસ્તારમાં તપાસ ચાલુ કરી હતી છતાં પણ તેઓ કસેના મળતા ભોજપુર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જેના કારણે પોલીસે તપાસ હાથમાં લીધી હતી.
પોલીસે તપાસ કરતા તેમના દીકરાઓને જણાવ્યું હતું કે તેમના પિતાનું અપહરણ થયું છે જેના કારણે પાંચે દીકરા અને તેમની પત્ની ખૂબ જ વેપારીની પત્ની ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને તેમના પરિવારમાં ખળભળા મચી ગયો ત્યારબાદ થોડા દિવસ જતા જ આરાપટના બાયપાસ રોડ પાસે બલુહી વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકની લાશ સ્થાનિક લોકોને મળી હતી.
જેના કારણે પોલીસ શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની ઓળખ કરતા જણાયું હતું કે આ યુવક બીજા કોઈને સોનાના મોટા વેપારી હરિજી ગુપ્તાહ હતા જેને કારણે પોલીસે આરા બકસરના મુખ્ય માર્ગ પર આવેલા રાણીસાગર ગામ પાસે બંધાયેલા નવા પુલ પાસે તેમના દીકરાઓને બોલાવ્યા હતા.
અને તેમના પિતાનું મૃત્યુ થઈ ગયા નું જણાવ્યું હતું દીકરાઓ ઘટના સ્થળે પહોંચતા જ તેમના પિતાની આ હાલત જોઈને તેઓ આઘાતમાં આવી ગયા હતા તેમના પિતાનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢતા જોયું તો તેમના શરીર ઉપર એક મોટો પથ્થર મુકવામાં આવ્યો હતો. જેના કારણે તેમના મૃતદેહ પાણીમાંથી બહાર આવ્યો ન હતો.
રોડ બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે તે પથ્થર હરિજીના મૃતદેહને નીચે ડુબાડવામાં વાપરવામાં આવ્યો હતો. પોલીસે તમામ તપાસને હાથ ધરી હતી અને વેપારીના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. મૃત્યુની જાણ સગા સંબંધીઓને થતા ઘણા બધા વેપારીઓ અને સગા સંબંધીઓ વેપારીના ઘરે પહોંચી ગયા હતા.
આ કરુણ ઘટના વેપારી સાથે બની જતા દરેક લોકો આઘાતમાં આવી ગયા હતા. એક સરળ સ્વભાવના વેપારીનું પહેલા અપરણ કરી તેમને મારી નાખવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસ કડક તપાસ કરી રહી હતી અને વેપારીનું અપરણ જે કારમાં કરવામાં આવ્યું હતું. તે કાર બકસર જિલ્લાના કરહાથા ગામમાંથી મળી આવી હતી. જેને કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]