ગામડાની અંદર રહેતા લોકો હંમેશા નીડર હોય છે, કારણ કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવી પડી એ તેઓને પરિસ્થિતિનો સામનો કરવા માટે નીકળી જવું પડતું હોય છે. પરંતુ અત્યારે એક ગામડામાં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો છે, અને સૌ કોઈ લોકોમાં ભારે ફાફડાટનો માહોલ પણ સર્જાઈ ગયો હતો..
કારણ કે દરેક લોકોની અંદર એવી વાતો ફેલાઈ ચૂકી હતી કે, ગામના પાદરે આવેલા સ્મશાનની ઓરડીમાંથી રોજ રાત્રે કોઈ મહિલાની ચીખો સંભળાય છે અને આ મહિલા અન્ય કોઈ વ્યક્તિ નહીં, પરંતુ આજથી 15 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી તેમના જ ગામની એક યુવતી છે. આ યુવતીને ગામના કેટલાક લોકોએ અન્યાય કરીને મોતને ઘાટ ઉતારી નાખી હતી..
જેની આત્મા આ સમસાનની આસપાસ ભટકી રહી છે અને રોજબરોજ તે ગામના લોકોને હેરાનગતિ પહોંચાડી રહી છે. આવી અફવા ગામના દરેક લોકો સુધી પહોંચી જતા દરેક લોકોમાં ભારે ભયનો માહોલ પણ સર્જાઈ ગયો હતો, પરંતુ આ વાતને લઈ ગામના સરપંચ બિલકુલ જુદી જ વિચારસરણી ધરાવતા હતા..
તેઓનું કહેવું હતું કે, આ સમયની અંદર કોઈ પણ અંધશ્રદ્ધા રાખવી જોઈએ નહીં અને હંમેશા આંખે જોયેલું અને કાનેથી સાંભળેલી ચીજ વસ્તુઓનો જ વિચાર અને વિશ્વાસ કરવો જોઈએ. એટલા માટે તેઓ એક દિવસ સાંજના સમયે સ્મશાનની ઓરડી પાસે જઈને આ ચીખો ક્યાંથી આવી રહી છે તેમજ હકીકત શું છે, તે જાણવા માટે તેઓ હિંમત કરીને આ સ્મશાનની ઓરડીની નજીક ગયા હતા..
પરંતુ તેમની સાથે પણ એવી ઘટના બની ગઈ કે, ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો. હકીકતમાં ગામનો સરપંચ હિંમત કરીને સ્મશાનની ઓરડી પાસે જોવા માટે ગયો હતો કે, હકીકતમાં અહીં એવું તો શું બની રહ્યું છે કે, સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તે જ્યારે સ્મશાનની ઓરડી પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું તો ત્યાં અંધારાની અંદર એક લાઉડ સ્પીકર મૂકવામાં આવ્યું હતું..
અને એમાંથી કોઈ મહિલાની ડરામણી ચીખો સંભળાતી હતી, આ અલાઉડ સ્પીકર જોતાની સાથે જ તે સમજી ગયો કે, આ કોઈ પણ ભૂત કે આત્માની વાત નથી. પરંતુ આ ઘટનાને લઇ ગામનો જ કોઈ યુવક ગામના લોકો સાથે મજાક મશ્કરી કરી રહ્યો છે. પરંતુ તેઓએ બીજી ક્ષણે તરત જ વિચાર્યું કે, જો આ ઘટનાનો પરદા ફાશ તે અત્યારે જ કરી નાખશે તો આ ઘટના પાછળ કયા વ્યક્તિનો હાથ છે..
તેની જાણકારી મળશે નહીં, એટલા માટે તેને ડરવાની એક્ટિંગ કરી અને તે તરત જ ત્યાંથી પરત આવી ગયો હતો. બીજા દિવસે તેણે ગામના લોકોને જણાવ્યું કે, ગામના સ્મશાનની આસપાસ કોઈપણ વ્યક્તિએ જવું નહીં કારણકે ત્યાં ડરામણી ચીખો સંભળાય છે અને એ જ રાત્રે ગામનો સરપંચ ફરી પાછો સ્મશાને પહોંચી ગયો હતો..
ત્યારે તેણે જોયું કે, સ્મશાનની બાજુમાં રહેતા નારાયણભાઈ નામના યુવક આ લાઉડ સ્પીકરને ત્યાં સેટ કરવા માટે આવ્યા છે અને ત્યારે સરપંચે આ યુવકને પકડી પાડ્યો હતો અને ગામના દરેક લોકોની સામે આ ઘટનાનો ભાંડો ફોડી નાખ્યો હતો, ત્યારે નારાયણભાઈએ જણાવ્યું કે, હકીકતમાં સ્મશાનની જમીનને તેઓ ઝડપી લેવા માંગતા હતા..
એટલા માટે ગામના લોકોને ડરાવીને આ જમીન તેવો પોતાના નામે કરાવી ત્યાં મોટું મકાન બનાવવા માંગતા હતા એટલા માટે તેઓએ આ નુસખો અપનાવ્યો હતો, પરંતુ સરપંચની બુદ્ધિની સામે તેમનો આ નુસખો નિષ્ફળ રહ્યો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]