ચોમાસાની સીઝન પૂરી થાય એટલે તરત જ વાતાવરણની અનિયમિતતાને કારણે વાવાઝોડાઓ સક્રિય થઈ જતા હોય છે. આ ઉપરાંત દરિયામાં ઉદ્ભવતી લો પ્રેશર પ્રક્રિયાને કારણે વારંવાર વરસાદ અને માવઠા પણ સર્જાતા હોય છે. ખેડૂતોને ખેતીમાં કમોસમી વરસાદ અને માવઠાઓ ખૂબ જ નુકશાનકારક સાબિત થાય છે..
કારણ કે તેઓએ નાના છોકરાની જેમ પોતાના ખેતરમાં પાકને ઉછેર કરીને મોટો કર્યો હોય અને અચાનક જ કમોસમી વરસાદ કે માવઠાઓ ત્રાટકી પડે તો પાકની હાલત ખૂબ જ નાજુક થઈ જતી હોય છે. તો કેટલીક વખત સમગ્ર ખેતરમાં વરસાદી પાણી અને તોફાની પવનને કારણે ભાગ નષ્ટ પણ થઈ જતો હોય છે..
અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે. એવામાં જાણકારી મળી આવી છે કે, દિવાળીના દિવસે જ કેટલાક વિસ્તારોમાં સિતરંગ વાવાઝોડું ત્રાટકી શકે છે. આ વાવાઝોડું અત્યારે ઉત્તર અંદમાનના દરિયા કિનારો તેમજ દક્ષિણ અંદમાનના દરિયા કિનારા પાસે લો પ્રેશર માં સક્રિય બન્યું છે.
જે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી આસપાસના વિસ્તારોમાં પણ આગળ વધી રહ્યું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ચક્રવાત તોફાનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ કોઈ વિસ્તાર ઉપર ત્રાટકી શકે છે. હાલ આ ચક્રવાતની કોઈ ગતિમાન દિશા નોંધાઇ નથી. પરંતુ આ ચક્રવાતનું નામ સિતરંગ હોવાનું પણ સામે આવ્યું છે..
થાઈલેન્ડ દેશે આ ચક્રવાતને સિતરંગ નામ આપ્યું છે. આ ચક્રવાત ને પગલે પૂર્વ ભારતના મણીપુર, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ ,ઓડીશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ સહિતના વિસ્તારોને અસર થઈ શકે છે. આ ઉપરાંત જો તેની દિશા પશ્ચિમ દિશા તરફની રહી તો તે ધીમે ધીમે મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન તરફ પણ આગળ આવી શકે છે..
જ્યારે વાવાઝોડા ત્રાટકવાના આ સમાચાર સામે આવ્યા ત્યારે ખેડૂતોમાં એકાએક ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે પરંતુ ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી કારણ કે, આ વાવાઝોડાની દિશા જો પશ્ચિમ બાજુની થશે તો જ તે ગુજરાત બાજુ આવવા જઈ રહ્યું છે..
પરંતુ હાલ આ વાવાઝોડાની દિશાને લઈને હવામાન વિભાગે કોઈપણ જાણકારી આપી નથી. હવામાન જણાવ્યું છે કે, આવા વાવાઝોડું ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારો પાસે દિવાળીના દિવસે તે એના પછીના દિવસે ત્રાટકવા જઈ રહ્યું છે. આ ઘટનાને લઈને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે.
કારણ કે દરિયામાં ખુબ ઊંચા મોજા ઊછળી રહ્યા છે. કુલ 13 સભ્ય દેશોની એક પેનલ બનાવવામાં આવી છે. આ પેનલ ચક્રવાતને લગતી તમામ માહિતીઓ જાહેર કરે છે. આ 13 દેશોમાં ભારત, ઈરાન, બાંગ્લાદેશ, ઓમન, પાકિસ્તાન, માલદીવ, મ્યાનમાર, સાઉદી અરેબિયા ,થાઈલેન્ડ, શ્રીલંકા, કતાર, યમન અને સંયુક્ત આરબ અમીરાતની પણ સમાવેશ થાય છે.
જ્યારે જ્યારે પણ ચક્રવાતની માહિતી મળે ત્યારે આ 13 દેશોમાંથી કોઈ દેશ ચક્રવાતનું નામ પણ સૂચવતું હોય છે. જેમાં આ ચક્રવાત નું નામ થાઈલેન્ડ દેશે સિતરંગ સૂચવ્યું છે. દિવાળીના દિવસે તેમજ તેના પછીના દિવસે પૂર્વ ભારતના કેટલાક રાજ્યો માટે ખૂબ જ મોટું સંકટ આવવી પડ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]