Breaking News

દિવાળીના દિવસે તબાહી મચાવવા આવી રહ્યું છે મહાકાય “સિતરંગ વાવાઝોડું”, આ રાજ્યોમાં ચક્રવાતને લઈને આપી મોટી આગાહી.. વાંચો..!

ચોમાસામાં વાવણીનો વરસાદ પૂર્ણ થઈ ગયા બાદ મહાકાય વાવાઝોડા તબાહી મચાવવા માટે આવી પહોંચતા હોય છે. આ ઉપરાંત કમોસમી વરસાદ અને માવઠાનો પણ ખૂબ જ ડર રહેતો હોય છે. વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલા તમામ પાકો તહેશ-મહેશ થઈ જતા હોય છે..

અને ભારે નુકસાની સહન કરવાનો વારો આવતો હોય છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પવનને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પુર તેમજ ઘર પણ પડી જવાની સંભાવના રહે છે. અત્યારે દિવાળીના દિવસે જ મહાકાય સિતરંગ નામનુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. આ વાવાઝોડા ત્રાટકવાના સમાચાર આવતાની સાથે જ એકાએક ખળભળાટ પણ મચી ગયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તરા અંદમાનના દરિયા કિનારે અને દક્ષિણ અંદમાનના દરિયા કિનારા સાથે સાથે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પાસે પણ એક મજબૂત લો પ્રેસર સક્રિય થયું છે. જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમનો વિસ્તારોમાં આગળ વધવા જઈ રહ્યો છે. આ ઉપરાંત 23 તારીખના રોજ તે બંગાળની ખાટીમાં સંપૂર્ણ રીતે ફેલાઈ જશે..

અને ત્યારબાદ દિવાળીના દિવસે જુદા જુદા રાજ્યો તરફ પણ આગળ વધે તેવી શક્યતાઓ રહેલી છે. અને આ લો પ્રેશર ચક્રવતી તોફાનમાં પણ ફેરવાઈ જશે. ચક્રવાત ત્રાટકવાના સમાચાર આવવાની સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે એક બાજુ ખેતરમાં ઊભો પાક દેખાઈ રહ્યો છે..

અને જો આ વાવાઝોડાનો ઠંડો અને તોફાની પવન કે વરસાદ ખાબકશે તો ખેતરમાં ઉભેલો તમામ પાક નષ્ટ થઈ જવાના પણ અણસાર રહેલા છે. આ ચક્રવતી તોફાનનું નામ સિતરંગ રાખવામાં આવ્યું છે. આ નામ થાઈલેન્ડ દેશે સૂચવ્યું છે. હવામાન વિભાગએ વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે 24 અને 25 તારીખના રોજ એટલે કે દિવાળીના સમયે..

પૂર્વ ભારતનો ઓડિશા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા સહિતના વિસ્તારોમાં ભારતીય અધિકારો વરસાદ વરસવા જઈ રહ્યો છે. જો આ ચક્રવાતની દિશા ફંટાશે તો દેશના અન્ય રાજ્યોમાં પણ ખૂબ જ ભારે અસર દેખાશે. વાવાઝોડાને લઈને અધિકારીઓને એલર્ટ લેવા માટે જણાવ્યું છે..

આ ચક્રવાતના દરેક સંભવિત જિલ્લાઓના અધિકારીને આદેશો આપી દેવામાં આવ્યા છે. જ્યારે સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે. જેના પગને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે આ વાવાઝોડું નજીક લાગશે ત્યારે દરિયાકાંઠાનો વિસ્તારોમાં 45 થી 65 kmની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *