સીંગતેલના ભાવમાં વારંવાર ઉતાર ચઢાવ નોંધાતો હોય છે. કોઈક વખત 30 રૂપિયાનો વધારો કરવામાં આવે, તો કોઈક વખત 50 સુધીનો પણ વધારો કરવામાં આવે છે. જ્યારે ઘટાડાના ભાગરૂપે માત્ર ૧૦ કે ૧૫ રૂપિયાનો નજીવો ઘટાડો કરીને લોકોને રાજી કરવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવે છે. દિન પ્રતિદિન જીવન જરૂરિયાતથી વસ્તુઓના ભાવ વધવાને કારણે મધ્યમ વર્ગીય લોકો રાડો ફાડી ગયા છે..
કારણકે કમાણી પ્રમાણે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે અને ઓછા પૈસામાં ઘર ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. દૂધના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવે તો તમામ હદોને વટાવી દીધી છે. જ્યારે હવે સિંગતેલના ભાવમાં પણ દિન પ્રતિદિન વધારો નોંધાતા ગૃહિણીઓ પણ લાલ આંખો કરી બેઠી છે.
તહેવારની સીઝન શરૂ થતા આ ઉપરાંત કેટલાક વેપારીઓ સંગ્રહ કરીને વેગ આપી રહ્યા છે. જેના કારણે સિંગતેલના ભાવમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આ સાથે સાથે સીંગતેલની ૯૦ ટકા કરતાં વધારે મિલો પણ અત્યારના સમયે બંધ હોવાને કારણે બજારમાં સિંગતેલની માંગ ખૂબ જ વધી રહી છે..
જ્યારે જોઈએ તેટલા પ્રમાણમાં સિંગતેલના ડબ્બા માર્કેટમાંથી મળી રહેતા નથી જેના કારણે માત્ર એક અઠવાડિયાની અંદર સીંગતેલના ડબ્બામાં સો રૂપિયાથી લઈ ₹125 નો વધારો થઈને હવે નવો ભાવ ₹3,000 ની સપાટીને કુદાવી ગયો છે. આ વર્ષે ખૂબ સારો વરસાદ નોંધાયો છે. તેમજ ગયા વર્ષે જ મગફળીના ખૂબ વધારે ભાવ મળ્યા હતા..
છતાં પણ મગફળીનું વાવેતર માં આ વર્ષે 10% નો ઘટાડો થયો છે. જ્યાં સુધી મગફળીની નવી આવક માર્કેટિંગ યાર્ડમાં ન થાય ત્યાં સુધી લોકોને સિંગતેલના વધારે ભાવોનો બહુ જ સહન કરવો પડશે. સીંગતેલના ભાવની સાથે સાથે કપાસિયા તેલ પામોલીન તેલ અને સનફ્લાવર તેલમાં પણ વધારો નોંધાયો છે..
કપાસિયા તેલનો ભાવ 2600ને કૂદાવી ગયો છે. મોટા મોટા વેપારીઓનું કહેવું છે કે, અત્યારે બજારમાં મગફળીના સૌથી મોટામાં મોટો સ્ટોક સરકાર પાસે છે. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓ પણ બજારના હવે મગફળીના માલને ધીમે ધીમે વેચી રહી છે. જ્યાં સુધી સિંગતેલની મિલોને જરૂરિયાત પૂરતો મગફળીનો માલ નહીં મળે ત્યાં સુધી મિલો બંધને બંધ રહેશે..
જેના કારણે ભાવ હજુ પણ મજબૂત સ્થિતિએ પહોંચી જાય તેવી આશાઓ રહેલી છે. સીંગતેલ ની મિલો ચલાવનાર વેપારીઓનું કહેવું છે કે સરકારે મગફળીનો જથ્થો બજારમાં છૂટો મૂકવો જોઈએ, બજારમાં હાલ જોઈએ જેટલી મગફળી મળતી નથી જેના કારણે મીલ ચલાવી પણ ખૂબ જ માથે પડે છે અને મિલ માલીકો પોતાની મિલ બંધ કરીને બેસી ગયા છે..
જ્યાં સુધી સરકાર મગફળીનો જથ્થો બજારમાં છૂટો નહીં મૂકે ત્યાં સુધી સિંગતેલના ભાવ હજુ પણ આસમાનની ઊંચાઈએ અડતા રેહશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ અઠવાડિયે તો અતિશય ભાવ વધવાને કારણે સૌ કોઈ લોકો આ ભાવ વધારાની સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]