Breaking News

સીલીન્ડર ફાટતા મોત પામેલા માં-દીકરાના કેસમાં આવ્યો મોટો વળાંક, હકીકતમાં સાસરીયાના લોકો જ મહિલાને…. જાણો..!

કોના ઉપર વિશ્વાસ કરવો અને કોના ઉપર વિશ્વાસ ન કરવો તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. અત્યારે ઘરના અંદરના સભ્યો પણ એવી હેરાનગતિ પહોંચાડતા હોય છે. જે જાણીને તમે પણ કહેશો કે તેમના ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. પરિવારજનોની હેરાન ગતિને કારણે આજે 25 વર્ષની એક મહિલા અને તેના એક વર્ષના દીકરાનો જીવ ગયો છે..

આ બનાવો મધ્યપ્રદેશના રેવાનો છે. અહીં ત્રણ દિવસ પહેલા રસોડાની અંદરથી 25 વર્ષની અંજના અને તેના એક વર્ષના લાડકા દીકરા અર્પિતની લાશ અડધી સળગેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને લઈને જ્યારે પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી ત્યારે પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, અંજના તેના દીકરાની સાથે રસોડામાં ખાવાનું બનાવતી હતી..

અને ત્યારે સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી અને બંને વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ પોલીસને પરિવારના દરેક સભ્યોના નિવેદનમાં વિરોધાભાસ દેખાયો હતો. એટલા માટે દરેક વ્યક્તિનું કડક નિવેદન નોંધીને વધુ એક વખત પૂછપરછ કરવામાં આવી હતી અને આ પૂછપરછને અંતે બનાવ બન્યાના ત્રણ દિવસ બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો છે..

જેમાં જાણવા મળ્યું છે કે, અંજનાના લગ્ન આજથી છ વર્ષ પહેલાં અમિત નામના યુવક સાથે થયા હતા. લગ્ન થતાની સાથે જ તેના સાસરીયા વાળા લોકો દહેજની બાબતને લઈને અંજના ને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. અંજનાએ વિચાર્યું કે, એક વખત તે બાળકની માતા બની જશે ત્યારબાદ પરિવારજનો તેને હેરાનગતિ પહોંચાડવાનું બંધ કરી દેશે..

અંજનાએ અર્પિત નામના એક દીકરાને જન્મ પણ આપ્યો હતો. જે એક વર્ષનો હતો. પરંતુ પરિવારજનોની હેરાનગતી ઓછી થઈ નહીં અને એક દિવસ કંટાળી જઈ તેને રસોડામાં આપઘાત લીધો હતો. આ ઉપરાંત તે અંતિમ નોટ પણ લખી હતી કે, જેમાં તેણે લખ્યું હતું કે સાસરિયાવાળા લોકો તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડે છે.

અને તેની ગતિને કારણે તે જીવ આપવા જઈ રહી છે. જ્યારે સાસરીયા વાળા લોકોએ જોયું કે અંજનાએ તેના એક વર્ષના દીકરા સાથે આપઘાત કર્યો છે અને દોષનો ટોપલો તેમના માથે આવશે એટલા માટે તેઓએ આ આપઘાતના કિસ્સાને સિલિન્ડર બ્લાસ્ટ દેખાડીને આકસ્મિક બનાવવામાં રૂપાંતર કરવાનું નક્કી કરી નાખ્યું હતું..

અને એ મુજબ તેઓએ અંજનાને તેના દીકરા સાથે એક રૂમમાં બંધ કરી દીધા અને સિલિન્ડર લીકેજ કર્યા બાદ ત્યાં દિવાસળી મૂકી દીધી હતી. આ તમામ ઘટનાનો ખુલાસો હાલ થઈ ચૂક્યો છે. પોલીસે અંજનાના પતિ અમિત તેમજ તેના અન્ય પરિવારના સભ્યોને ગિરફતાર કરી તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે…

અંજનાના માતા પિતા તો દુઃખની આ ઘડી સહન કરી શક્યા નથી. તેઓ વારંવાર તેની દીકરીના મૃત્યુના સમાચારને લઈને રડવા લાગે છે. અંજનાના પિતાનું કહેવું છે કે, બિચારી તેમની દીકરી તેમજ તેમની દીકરીના લાડકા દીકરા અર્પિતનો એવો તો શું વાંક હશે કે તેમને જીવ ગુમાવી દેવો પડ્યો છે. આ ઘટનાને લઈને ચાર કોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *