આજે સવારે જ એક એવા સમાચાર આવ્યા કે જે સાંભળીને જ બીગ બોસના ફેન લોકોમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો. બીગ બોસના વિનર તેમજ બીગ બોસની આન બાન અને શાન એવા સિદ્ધાર્થ શુક્લાનું હર્ત એટેકના કારણે 40 વર્ષે નિધન થયું છે. સમગ્ર બોલીવુડમાં આ ન્યુઝ પ્રસરતા જ લોકો અચંભિત થયા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવવા લાગ્યા હતા.
હસી ખેલતી જિંદગીને અચાનક જ અલવિદા કહી દેશે તેવું કોણે વિચાર્યું હતું. સિદ્ધાર્થ શુક્લાની બોલવાની કળા પર લોકો ફિદા હતા. આ સાથે સાથે તેની એક્ટિંગ પણ કમાલની હતી. તેઓ પેહેલા એક ધારાવાહિકમાં કામ કરતા હતા ત્યાર બાદ તે બીગબોસ માં આવ્યા હતા. બીગબોસના વિનર બન્યા બાદ તેમની ઓળખાણો ખસી વધી ગઈ હતી.
સિદ્ધાર્થના મૃત્યુના સમાચારે ટીવીથી બોલીવુડ ઈન્ડસ્ટ્રી સુધીના લોકોને હચમચાવી દીધા છે. કરોડો ફેન્સ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી. સેલેબ્રીટી અને ફેન્સ લોકો ઇન્સ્તાગ્રામમાં સ્ટોરી મૂકીને શ્રદ્ધાંજલિ પાઠવવા લાગ્યા છે.
સિદ્ધાર્થ શુકલાએ સુતા પહેલા કેટલીક દવાઓ લીધી હતી : અહેવાલ મુજબ સિધાર્થ શુક્લાએ રાત્રે સુતા પહેલા કેટલીક દવાઓ લીધી હતી અને ત્યાર બાદ તે સવારે જાગ્યો નહોતો. કારણકે તેને હાર્ટ એટેક આવી ગયો હતો. ગઈ રાત સુધીતો સિદ્ધાર્થની તબિયત એકદમ ઘોડાની માફક સરસ હતી. અચાનક જ આ પ્રકારનો એટેક આવતા મત થયું એ વાત ફેન્સને ગળે નથી ઉતરતી.
સિદ્ધાર્થ શુક્લાએ સૂતા પહેલા કેટલીક દવાઓ ખાધી હતી, ત્યારબાદ તે સવારે ઉઠ્યો ન હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ એટેક આવ્યો છે. ગઈ રાત સુધી સિદ્ધાર્થ એકદમ ફિટ હતો. આવી સ્થિતિમાં, સિદ્ધાર્થ શુક્લ માટે કોઈ પણ બીમારી વગર અચાનક જ આ દુનિયાને અલવિદા કહેવું એકદમ આઘાતજનક છે.
View this post on Instagram
મોતની ખબર સાંભળતા જ શહેનાઝએ શુટિંગ છોડી દીધું : સિદ્ધાર્થ શુક્લાની સૌથી નજીકની મિત્ર શહનાઝ ગિલ અભિનેતાના મૃત્યુના સમાચાર બાદ તેનું શૂટિંગ છોડી દીધું છે. તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલ સિદ્ધાર્થની સૌથી નજીક હતી. થોડા દિવસો પહેલા બંને ડાન્સ દિવાનેમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. બિગ બોસના ઈતિહાસમાં સિદ્ધાર્થ શુક્લા સૌથી પ્રિય હતા. શોમાં સિદ્ધાર્થે પોતાના આકર્ષણથી લાખો દિલોને દિવાના બનાવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]