Breaking News

શું નવરાત્રીમાં પણ કડાકા ધડાકા સાથે વરસાદ આવશે? જાણો શું કહ્યું હવામાન વિભાગે.. ગરબા રસિકો ખાસ વાંચે..!

ગુલાબ અને શાહીન વાવાઝોડાના હાહાકાર વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અનિયમિત અને અવિરતપણે ગાંડોતુર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સવાલ થાય છે આ વરસાદ ક્યારે થંભશે? કેમ કે ગુજરાતન લોકપ્રિય તહેવાર નવરાત્રી હવે નજીક જ છે પરતું વરસાદના કારણે નવરાત્રીમાં ગરબે ઘૂમવાનું બગડે એ તો ગુજરાતીઓને ન પોસાય..

ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. હવે ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાના આરે છે.

ત્યારે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં 6 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઇ લેશે. પરંતુ વિદાય લેતા લેતા આગામી પાંચ દિવસ સુધી નહિવત વરસાદ વરસી ને જશે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.

વાવાઝોડા અંગે હવામાન વિભાગે શું જણાવ્યું : હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. નવરાત્રી 7 તારીખે શરુ થવાની છે જયારે ગુજરાત માંથી વરસાદ 6 તારીખે વિદાઈ લઈ લેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે.

વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી 400 કિમી દૂર નીકળી ગયુ છે. તેથી હવે શાહીનનો ખતરો ટળી ગયો છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે.

6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *