અત્યારના સમયમાં ભેજાબાજુ બાજુ લોકો એવું મગજ દોડાવે છે અને બીજા લોકોની ચીજ વસ્તુઓને ઝડપી લેવાની કોશિશ કરતા હોય છે. અત્યારના લોકોના મગજને ઓળખવામાં મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની જતા હોય એ પ્રકારની ચાલ લોકો ચાલે છે અને ભલભલા લોકોને આ ચાલની અંદર ફસાવી દેતા હોય છે..
અત્યારે એક સોસાયટીમાં ભારે ડરના દ્રશ્યો સર્જાઈ ગયા છે. આ ઘટના કમલા નગર વિસ્તારના પાછળના ભાગે આવેલી મીના પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીની હદ પૂરી થતાની સાથે જ એક સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં અવારનવાર મૃત લોકોને અંતિમ સંસ્કારની કામગીરી કરવામાં આવતી હોય છે..
સ્મશાનને અડીને આવેલા ચાર મકાનો માં કેટલાક વ્યક્તિઓ રહે છે. આ મકાનમાં રહેતા અનિલભાઈ નામના વ્યક્તિ જુના મકાનની લે-વેચનું કામકાજ કરતા હતા. એક દિવસ સ્મશાન પાસેના મકાનમાં રહેતા ચંદુભાઈએ અનિલભાઈને આવીને જણાવ્યું હતું કે, રોજ રાત્રે તેમના ઘરે કોઈ વ્યક્તિના રડવાનો અવાજ આવે છે..
આ વાત સાંભળીને તેમના બાળકોને તેમની પત્ની ખૂબ જ ડરી જાય છે. આ સાથે સાથે આ અવાજ એટલો બધો ડરામણો છે કે તે ક્યાંથી આવી રહ્યો છે તેની જાણકારી મેળવવામાં પણ મને ડર લાગી રહ્યો છે. અનિલભાઈ જણાવ્યું કે, નજીકના જ વિસ્તારમાં સ્મશાન આવેલું છે. એટલા માટે કોઈ ડરામણી વસ્તુઓનો પડછાયો તમારા ઘર ઉપર પડી ગયો હશે અને તમારા ઘરમાં કોઈ વ્યક્તિનો વાસ આવી ગયો હશે..
એટલા માટે આ ડરામણો અવાજ તમારા ઘરે આવી રહ્યો છે. ચંદુભાઈ આ વાતો સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે હવે સ્મશાન પાસેના મકાનમાં રહેવું જોઈએ નહીં અને મકાન ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા માટે જતું રહેવું જોઈએ. જ્યારે તેઓ આ ઘટનાની જાણકારી તેમના અન્ય સ્નેહીજનોને આપી ત્યારે તેઓએ કહ્યું કે, માત્ર આ ડરામણા અવાજને કારણે આપણે ઘર વેચી દેવું ન જોઈએ..
કારણ કે આ ઘરની કિંમત ખૂબ જ વધારે બોલાય છે અને આ વિસ્તાર પણ ખૂબ જ સારો છે. આ અવાજ ક્યાંથી આવે છે. તેની તપાસ કરવી જોઈએ એટલા માટે સ્નેહીજનો ચંદુભાઈના ઘરે રોકાવા માટે આવી ગયા હતા અને રાત્રિના સમયે જ્યારે આવાજ આવવા લાગ્યો ત્યારે સાહસ કરીને તેઓ જોવા માટે સમગ્ર પરિવાર એ તપાસ ચલાવી હતી..
અને એ વખતે એવી ચીજ વસ્તુઓ મળી આવી છે કે, તે જોઈને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. તેમના ઘરના નીચેના માળે એક સ્પીકર મૂકવામાં આવ્યો હતો. અને આ સ્પીકરની અંદરથી આ ડરામણો અવાજ આવતો હતો. આ ઘટનાની જાણકારી જ્યારે તેઓને મળી ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે, આખરે એવું તો કહ્યું વ્યક્તિ હશે કે જેણે આપણને ડરાવવા માટે આટલી હલકી કક્ષાની કામગીરીઓ કરવા લાગ્યા છે..
આ સ્પીકરને કોણ વ્યક્તિ લેવા માટે આવે છે. તેની રાહ જોઈને તેવો બેઠા હતા અને થોડીવારની અંદર જોયું તો તેમના મકાનની બાજુમાં રહેતા અનિલભાઈ નામના વ્યક્તિ અહીં આવ્યા અને આ સ્પીકરને ઊંચકીને ત્યાંથી રવાના થવા લાગ્યા હતા. ચંદુભાઈ તરત જ તેમના ઘરની બહાર નીકળ્યા અને અનિલભાઈને પાછળથી કોલર પકડીને ખેંચી લીધા હતા..
અને તરત જ બે થી ત્રણ લાફા પણ ચોડી દીધા હતા. ત્યાર બાદ તેઓએ અનિલભાઈને પૂછ્યું હતું કે, તમે શા માટે અમારા પરિવારને ડરાવવાની કોશિશ કરો છો. ત્યારે અનિલભાઈએ કહ્યું કે, તેઓ જૂના મકાનની લે વેચનો ધંધો કરી રહ્યા છે અને તેઓએ વિચાર્યું કે જુઓ તમને ડરાવવામાં આવે અને તમે મકાન ખાલી કરીને અહીંથી જતા રહો તો આ મકાનનો કબજો હું મેળવી લઉં..
અને આ મકાનને ખૂબ જ સસ્તા ભાવે ખરીદીને ખૂબ ઊંચા ભાવે વેચી શકું અને સારા પૈસા કમાઈ શકું. એટલા માટે મેં આ કામગીરીઓ કરી હતી. ચંદુભાઈ અનિલભાઈના મોઢેથી સાંભળેલા આ શબ્દો જે ખૂબ જ દુઃખી અને નારાજ થયા હતા. તેઓએ તરત જ પોલીસમાં ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી કે, તેમના પડોશમાં રહેતા અનિલભાઈ નામના વ્યક્તિ તેમને ડરાવીને તેમનું મકાન ખાલી કરવા માંગતા હતા.
આ બાબતને લઈને કાયદેસરની કાર્યવાહીઓ અત્યારે ચલાવવામાં આવી રહી છે. આખરે અનિલભાઈએ કેવું ભેજુ દોડાવ્યું કે, જેના કારણે એક પરિવાર ડરના માહોલમાં ચાલ્યો ગયો હતો. બીચારાઓ પોતાનું મકાન મૂકીને અહીંથી દૂર રહેવા માટે જતા જ રહેવાના હતા. પરંતુ તેમના સ્નહીજનોની સાહસિકતાને કારણે અત્યારે આ તમામ ઘટનાનો પરદા ફાશ થઈ ચૂક્યો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]