Breaking News

સ્મશાનમાં સળગતી લાશ ઉપર કુદીને યુવકે ભર્યું એવું પગલું કે બિચારી વિધવા માતા રડી રડીને બેહાલ થઈ ગઈ, કારણ જાણીને મોતિયા મારી જશે તમારા..!

આજકાલ મોંઘવારીનો માર એટલો બધો વધી ગયો છે કે સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. તેમજ જુદા-જુદા ટેન્શનના કારણે કોઈ પણ માણસની સહન શક્તિ ધીમે-ધીમે નબળી પડતી જાય છે. અત્યારે સામાન્ય માણસને વિચારવા પર મજબુર કરી દે તેવો એક કિસ્સો વડોદરા પાસેના એક ગામડામાં બની જવા પામ્યો છે.

નેશનલ હાઈવેની બાજુમાં આવેલા એક ગામડામાં પુરુષોતમભાઈ નામનો એક યુવક રહે છે. પુરુષોતમભાઈ તેની ઘરડી માતા સાવિત્રીબેન સાથે વસવાટ કરતા હતા. પુરુષોતમ મજૂરી કામ કરીને જીવન ગુજારતો હતો. જ્યારે સાવિત્રીબહેન નજીકની કેમિકલ કંપનીમાં સાફ સફાઈનું કામ કરતા હતા.

પુરુષોતમને તબિયત બરાબર ન લાગતા તે છેલ્લા 20 દિવસથી મજૂરી કામ છોડીને આરામ કરતો હતો. એ સમય દરમ્યાન તે ગામના સોનાફળીયામાં રેહતા મકનશેઠ નામના વ્યક્તિનું અવસાન થયું હતું. આખા ગામમાં શોકનો માહોલ છવાયેલો હતો. તેમજ સ્મશાનમાં મકનશેઠના મૃતદેહની અંતિમ વિધિ પણ શરૂ થઈ ચૂકી હતી.

મૃતકના સગા સંબંધીઓ પણ સ્મશાનમાંથી જતા રહ્યા હતા પરંતુ તેની લાશ પર આગ તો હજુ પણ ચાલુ હતી. એ વખતે એવી ઘટના બની જવા પામી છે કે જેને જોઈને બધાના હોશ ઉડી ગયા છે. આ સમયે પુરુષોતમ લાશની નજીક ગયો અને અચાનક જ સળગતા આગના ભડકામાં કૂદકો મારી દીધો હતો.

આ સ્મશાન ગૃહ રોડની એકદમ નજીક આવેલું છે. તેથી ત્યાં ઉભેલા યુવાનોએ આ દ્રશ્ય જોયું. અને તેઓએ તરત જ દોડીને પુરૂશોતમની  માતાને ખેંચી લાવ્યા કે, તમારો પુત્ર આ સળગતી આગમાં કુદી પડ્યો છે. જ્યારે આગ ઠંડી પડી ત્યારે જોયું તો પુરુષોતમનો મૃતદેહ મળી ગયો હતો.

તેણે હાથમાં સોનાની વીંટી અને કડું પહેર્યું હતું. તેમજ હાથના પંજા ઉપરથી તેની માતા સાવિત્રીબહેને પુષ્ટિ કરી હતી કે, આ યુવક તેમનો પુત્ર જ છે. પુરુષોતમને એવું તો શું થયું કે, તેણે પોતાનો જીવ સળગતી લાશમાં કુદકો મારીને ગુમાવી દીધો હતો તે જાણવા સૌ કોઈ લોકો મજબુર બન્યા છે. પુરુષોતમની આસપાસ રહેતા લોકોને કહેવું છે કે, પુરુષોતમ છેલ્લા 20 દિવસથી ખૂબ અસાધારણ વર્તન કરતો હતો…

તે શાંતિથી ઘરમાં સૂતો હોય ત્યારે તે એકાએક જ ઊભો થઈ જતો હતો. આગ લાગી છે મારે તેને બુઝાવવા જવું પડશે તેવું કહેતો હતો. અને અચાનક જ જાગી જતો હતો ક્યારેક ક્યારેક તો તે જાહેર રસ્તા ઉપર વચ્ચે ઊભો રહી જતો હતો. અને ત્યાંથી હટવાનું નામ લેતો નહોતો. આ બધી બાબતો પરથી પુરુષોતમની માતા સાવિત્રીબેને જણાવ્યું હતું કે, તેમના દીકરાની માનસિક હાલત બરાબર ન હોય તેવું લાગતું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *