આજકાલ સામાન્ય માણસ માટે મોંઘવારીનો માર સહન કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. કારણકે કોરોનાના અઘરા સમય આવતા રોજગારીની તકો સામાન્ય માણસ માટે ધીમે-ધીમે ઘટતી ગઈ છે. જ્યારે મોંઘવારીનો માર દિવસેને દિવસે આસમાનની ઉંચાઈઓ ને અડકી રહયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે જીવન જીવવું અને પરિવારના દરેક સભ્યોને ખુશ રાખવા ખૂબ જ મુશ્કેલી ભરી બાબત છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ, કરિયાણાના ભાવ, અનાજના ભાવ, દૂધના ભાવ તેમજ ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારાના કારણે સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ જ નહીં પરંતુ અતિ મુશ્કેલ બની રહ્યું છે. ફરી એક વખત સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે.
આ સમાચાર વાંચતાની સાથે જ ગૃહિણીઓનું બજેટ ખોવાઈ ગયું છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ખૂબ મોટો વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કપાસના ભાવમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી સતત વધારો જોવા મળી રહ્યો છે. તો સિંગતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી વધારો જોવા મળી રહ્યો છે.
સિંગતેલના ભાવ માં રોજ 15-15 રૂપિયાના વધારાની સાથે ટોટલ 35 રૂપિયા નો ભાવ વધારો થયો છે. જયારે કપાસિયા તેલમાં રોજ 15 થી 20 રૂપિયાના વધારા સાથે ટોટલ 45 રૂપિયાનો વધારો ઝીંકયો છે. આ ભાવ વધારાના સાથે સીંગતેલના ડબ્બા નો ભાવ 2295 રૂપિયા થયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2170 રૂપિયા થયો છે.
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ભડકે બળવા ની પાછળ એક મોટું કારણ છુપાયેલું છે. આ વર્ષે સિંગ નું ઉત્પાદન ખૂબ ઓછી માત્રામાં થયું છે તેમજ કપાસનું ઉત્પાદન પણ કુદરતી આફતોના કારણે ખૂબ જ ઓછી માત્રામાં થયું છે. જેના પગલે કપાસિયા અને શીંગ નું તેલ કાઢવા માટે પૂરતો જથ્થો મળી રહે તેમ નથી.
એટલા માટે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. સન ફ્લાવર તેમજ વનસ્પતિ ઘીના ભાવ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે. જયારે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં હજુ પણ ખૂબ મોટો વધારો થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાતા લોકો મજબૂત બનીને ખરીદી રહ્યા છે.
જ્યારે ઘણા લોકો સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બા અને મૂકીને સનફ્લાવર તેમ જ કોર્ન ઓઇલ તરફ વળ્યા છે. આ ભાવ વધારા બાદ ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ખરેખર મોંઘવારીનો માર સામાન્ય માણસના જીવન પર ખુબ અસરકારક નીવડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]