મોંઘવારીના સમયમાં ગૃહિણીઓ માટે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. કારણ કે રોજ રોજ શાકભાજીની સાથે સાથે સીંગતેલ તેમજ અનાજ-કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ થોડાક દિવસ સુધી સ્થિર હતા. પરંતુ અત્યારે ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે..
જેના પગલે સિંગતેલમા 60 રૂપિયા અને કપાસિયાતેલમાં 50 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારો સીંગતેલ અને કપાસિયા તેલ ની સટ્ટાખોરી અને સંગ્રહખોરી ના લીધે થયો છે તેવું મનાઇ રહ્યું છે. જાણકાર લોકો જણાવી રહ્યાં છે કે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો જોવા મળશે કારણ કે આ વર્ષે મગફળી તેમજ કપાસિયાનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે…
તેથી સીંગતેલ અને કપાસિયા તેલ સસ્તુ મળશે. તેવું લાગતું હતું પરંતુ સંગ્રહ કોઈ ના કારણે સીંગતેલના ભાવો આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલ મોટાભાગે ખાવામાં વપરાય છે. તેમજ પામોલિન અને મકાઈના તેલના ભાવોમાં પણ ૫૦ રૂપિયાનો વધારો નોંધાતાં લોકોમાં હાહાકાર મચી ગયો છે…
સીંગ તેલના ડબ્બાનો ભાવ 2400 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા નો ભાવ 2200 રૂપિયાને અડી ગયો છે. દિવસે ને દિવસે ખાદ્ય તેલના ભાવ વધારો થાય છે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે. શાકભાજી તેમજ પેટ્રોલના ભાવમાં પણ નોંધપાત્ર વધારાને કારણે મધ્યમવર્ગનાં લોકો માટે જીવન જીવવું દિવસેને દિવસે અઘરું બનતું જાય છે…
કારણ કે રોજ તો ભાવ વધારો ઘર ચલાવવા માટે મુશ્કેલી જનક સાબિત થાય છે. એમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાની સાથે જ શાકભાજી અને ફળો તેમજ દૂધના ભાવ ખુબ જ વધી ગયા છે. રોજગારીની તકો દિવસે ને દિવસે ઘટતી જાય છે તો ભાવ વધારો દિવસે ને દિવસે વધતો જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]