સમાજમાં દીકરીઓ સાથે છેડતી અને .દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. જેના કારણે દીકરીઓ આજકાલ પોતાના ઘરેથી એટલી બહાર નીકળી શકતી નથી. નાની બાળકીથી લઈને મહિલાઓ સાથે આવી ઘટનાઓ બની રહી છે. જેને કારણે પરિવારના લોકો બાળકીઓ અને મહિલાઓને ઘરેથી એકલા બહાર જવા દેતા નથી.
ક્યારે તેની સાથે શું બની જાય? તે કહી શકાતું નથી. આજ કાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. કોઈના પર વિશ્વાસ રહ્યો નથી. અવારનવાર આવી ઘટનાઓ બનવાને કારણે દીકરીઓ પોતાની શાળાએ પણ સલામત રહી નથી. શિક્ષણ લેવા માટે દીકરીને શાળાએ અને ટ્યુશનમાં ભણતર માટે મોકલવામાં આવે છે.
પરંતુ તેની સાથે ત્યાં પણ છેડતીની ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાને કારણે દીકરીઓના માતા-પિતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં અવારનવાર દીકરીઓ સાથે છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી શાળાની વિદ્યાર્થીની સાથે આ ઘટના બની હતી. નારણપુરા વિસ્તારમાં એક નામચીન સેટ ઝેવિયર્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. શાળા ખૂબ જ પ્રતિષ્ઠિત છે. જેને કારણે વાલીઓ પોતાના બાળકોને સારા શિક્ષણ માટે આ સ્કૂલમાં મોકલી રહ્યા છે.
આ સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના કરી હતી. તેણે દીકરીને માનસિક ત્રાસ આપ્યો હતો. તેની સાથે શારીરિક સંબંધની માંગ કરી હતી. સ્કૂલમાં કામ કરતા શિક્ષકનું નામ રવિરાજ ચૌહાણ હતું. તે શાળામાં પીટી ટીચરની ફરજ બજાવતા હતા. તે દરેક વિદ્યાર્થીઓને પીટીનું માર્ગદર્શન આપતા હતા.
રમતગમતની સાથે તેઓ વિદ્યાર્થીઓને હેરાન પણ કરી રહ્યા હતા. ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને તેણે સોશિયલ મીડિયામાં મેસેજ કર્યા હતા. ખરાબ મેસેજ કરીને વિદ્યાર્થીનીઓને તેણે માનસિક ત્રાસ આપ્યો હતો. ધોરણ 9 ના ક્લાસ શાળામાં ચાલુ થતા આ શિક્ષક વિદ્યાર્થીનીઓના ક્લાસમાં પીટીનો લેક્ચર લેવા માટે આવ્યા હતા.
ત્યાં વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીને શિક્ષણનું માર્ગદર્શન આપવાને બદલે તેની સાથે ક્લાસમાં ખરાબ ખરાબ વાતો કરતા હતા. ક્યારેક તેની નજીક આવીને તેના શરીરને અડતા હતા. જેને કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગઈ હતી. રવિરાજસિંહ વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયામાં મેસેજ કરતા હતા.
જેને કારણે વિદ્યાર્થીનીઓએ મળીને શાળાના પ્રિન્સિપાલને આ ઘટનાની જાણ કરી હતી. પ્રિન્સિપાલ રવિરાજસિંહને એકવાર વોર્નિગ આપી હતી. છતાં પણ રવિરાજસિંહ સમજ્યા ન હતા. જ્યારે વિદ્યાર્થીનીઓને પીટીનો પીડીયર હોય ત્યારે મેદાનમાં રમવા માટે લઈ જતા હતા. તે સમયે તેઓ વિદ્યાર્થીઓને સતત જોતા રહેતા હતા.
કસરત તેમજ રમત રમાડવાને બદલે તેઓ વિદ્યાર્થીઓને ખરાબ નજરે જોઈને તેને હેરાન કરી રહ્યા હતા. જેને કારણે એક વિદ્યાર્થીની કહ્યું હતું કે તે પોતાના માતા પિતાને આ ઘટનાની જાણ કરશે. તે સમયે તેને સોશિયલ મીડિયામાં ધમકી પણ આપી હતી. તેને ખરાબ ખરાબ ઇમોજી મોકલીને, તેમજ મેસેજ મોકલીને વિદ્યાર્થીને ડરાવી હતી.
ત્યારબાદ વાલીઓને આ ઘટનાની જાણ તેને દીકરીઓએ કરી હોવાને કારણે વાલીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. તેની દીકરી સાથે ત્રણ મહિનાથી આ ઘટના થતી હોવાને કારણે સ્કૂલના મેનેજર ફ્રાન્સિસ મેકવાને આ વાત જણાવવામાં આવી હતી. ત્રણથી ચાર છોકરીઓ અને શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પીટી ટીચરની પોલીસ કડક પૂછપરછ કરી રહી હતી. આ શિક્ષક સામે બે વર્ષ પહેલાં આક્ષેપો થયા હતા. હાલમાં પણ તેણે આ ઘટના કરી હોવાની કારણે વાલીઓએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધીને શાળાએ જઈને પીટી ટીચરની પૂછપરછ કરી હતી.
તેમની સામે કાર્યવાહી કરી હતી. માસુમ દીકરી સાથે શાળાના શિક્ષકે આવી ઘટના કરી હોવાની કારણે દીકરીઓ માનસી ત્રાસમાં આવી ગઈ હતી. તે શાળાએ જતા પણ ડરી રહી હતી. જેને કારણે પોલીસ આ શિક્ષકની પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]