બાળકો સાથે આજકાલ એવી ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. જેના કારણે બાળકોના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બાળકો પોતાના ઘરની બહાર તેમના મિત્રો સાથે રમી રહ્યા હોય છે. અને ત્યારે અચાનક માતા-પિતાનું ધ્યાન ન રહેતા બાળકો સાથે અચાનક જીવલેણ ઘટનાઓ થઈ રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના હરિયાણાના પાણીપત શહેરના વિસ્તારમાં બની હતી. પરિવારનું મૂળ વતન ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં આવેલા અહેમદગઢમાં છે, પરંતુ પરિવાર છેલ્લા 5 વર્ષથી પાણીપત શહેરના હરીનગરમાં રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના બે બાળકો રહેતા હતા. પિતાનું નામ મોહિત ભાઈ છે અને દીકરાનું નામ મોનુ હતું.
મોનુની ઉમ્ર 6 વર્ષની હતી. મોનું ધોરણ 1 માં અભ્યાસ કરતો હતો. મોનુંથી મોટી એક બહેન હતી. બહેનનું નામ નયના છે. નયના ધોરણ 3 માં અભ્યાસ કરે છે. બંને ભાઈ બહેન પરિવારમાં ખૂબ જ ખુશીથી રહેતા હતા. મોનુંના પિતા ચોકીદારનું કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે, મોનુ દરરોજ તેમના આસપાસના મિત્રો સાથે ઘરની બહાર રમવા જતો હતો.
દરરોજની જેમ તે એક દિવસ પણ સાંજના સમયે તેમની માતાન, ‘મમ્મી હું બહાર રમવા જાવ છું, તેમ કહીને ઘરની બહાર નીકળી ગયો હતો’ ત્યારબાદ તે શેરીના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક જ શેરીમાં લાઈટના લોખંડના થાંભલા મુકેલા હતા પરંતુ આ લોખંડના થાંભલા પર બાંધવામાં આવેલા વીજ વાયર ટુટેલા હતા.
અને બાળકને આ વાતનું ધ્યાન ન હતું જેના કારણે મોનું એ શેરીમાં રમતી વખતે અચાનક આ લોખંડના થાંભલાને અડક્યો હતો. લોખંડના થાંભલાને અડતા જ મોનુંને વિજ કરંટ લાગ્યો જેના કારણે તે વીજ થાંભલા સાથે ચોંટી ગયો અને અચાનક જ કરંટ છૂટો પડતાં તે બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો, ત્યારબાદ મોનુ સાથે રહેલા તેના બીજા મિત્રો બુમાબુમ કરવા લાગ્યા હતા.
જેના કારણે પાડોશીના લોકો અને મોનુંની માતા ઘરની બહાર આવી હતી. તરત જ પાડોશીના લોકોએ મોનુંને તાકીદે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરે મોનુને મૃત જાહેર કર્યો જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાએ પહોંચી ગઈ હતી. પરિવારના લોકોને જાણ કરવામાં આવી હતી.
જેને કારણે શેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો અને વીજ નિગમ લોકો સામે પરિવારના લોકો ગુસ્સે થયા હતા. અવારનવાર બાળકો ઘરની બહાર રમી રહ્યા હોય છે, પરંતુ વીજ નિગમ લોકોની બેદરકારીને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાય છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. મોનુના મૃત્યુને કારણે પરિવારમાં માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]