બાળકોના ઉછેરનો આધાર તેના માતા-પિતા ઉપર હોય છે, તેમજ તેઓ કેવી જગ્યા ઉપર રહે છે, તેમજ કેવા વ્યક્તિઓની સાથે રોજ ઉઠક બેઠક કરે છે તેના ઉપર પણ રહે છે, બાળકો તેમના આસપાસના પડોશમાં રહેતા નાના બાળકોની સાથે જ હસી મજાક કરીને રમત રમતા હોય છે. મોટાભાગના મા બાપ પોતાના કામકાજની અંદર વ્યસ્ત હોય છે..
જ્યારે તેમના બાળકો એકલા રમવા લાગતા હોય છે, નાની ઉંમરના બાળકોને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. પાછળના સમયમાં આપણે એવા ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા છીએ કે, જેમાં માત્ર સહેજ અમથી ચૂક થઈ જવાને કારણે બાળકો સાથે એવી ઘટના ઘટી જતી હોય છે કે માતા પિતાને ડોળા ફાડીને રોવાનો વારો આવી જતો હોય છે..
હાલ પણ એક સોસાયટીની અંદર રમતા બાળકો સાથે એવી ઘટના ઘટી ગઈ હતી કે, બાળકોને એકલા મુકતા પહેલા દરેક વાલીઓના જીવ ફફડી જવાના છે. આ મામલાને સાંભળ્યા બાદ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવો પણ ખૂબ જ જરૂરી છે. વિચિત્ર કિસ્સો રમણનાથ કોલોની માંથી સામે આવ્યો છે..
આ કોલોનીની અંદર વિષ્ણુભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન ગુજારે છે, પરિવારમાં તેમની પત્ની કામિનીબેન તેમજ તેમનો નાનકડા દીકરાના નૈતિકનો સમાવેશ થાય છે. નૈતિક સાત વર્ષનો હતો, તે તેની સોસાયટીમાં રહેતા અન્ય વ્યક્તિઓની સાથે રમી રહ્યો હતો. નૈતિકની સાથે મુકુંદ કૃષ્ણ અને પિંકી નામના ત્રણ બાળકો પણ રમતા હતા..
અંદાજે બપોરના સમયે કોલોનીના દરેક લોકો પોત પોતાના ઘરકામની અંદર વ્યસ્ત હતા, ત્યારે આ બાળકો એકલા શેરીની અંદર રમતા હતા એ વખતે કોઈ અજાણ્યો યુવક ત્યાં આવ્યો અને મુકુંદ તેમજ નૈતિકને ચોકલેટ લઈ દેવાને બહાને તેની સાથે ગાડી ઉપર બેસી જવાનું કહ્યું હતું..
મુકુંદ ચોકલેટનું નામ સાંભળતાની સાથે જ આ અજાણ્યા વ્યક્તિની ગાડીની પાછળ બેસવા માટે રાજી થઈ ગયો હતો, પરંતુ નૈતિકને તેના માતા પિતાએ શીખવ્યું હતું કે, ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિને જવાબ આપવો જોઈએ નહીં અને કોઈ વ્યક્તિ ચોકલેટ કે અન્ય ચીજ વસ્તુઓ લઈ દેવાની લાલચ આપે તો તેને પણ મનાઈ કરી દેવી જોઈએ..
નૈતીકે તો ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી, પરંતુ આ અજાણ્યા યુવકે નૈતિક અને મુકુંદ બંનેને ઊંચકીને પોતાની બાઈક ઉપર બેસાડી દીધા હતા, અને ત્યારબાદ તે સોસાયટીના ગેટમાંથી બહાર નીકળવા લાગ્યો હતો. સોસાયટીનો વોચમેન પણ એ સમયે હાજર ન હોવાને કારણે આ ઘટના ખૂબ જ જલ્દી બની ચૂકી હતી..
મુકુંદ અને નૈતિકની સાથે રમનારી પિન્કી નામની દીકરી તરત જ નૈતિકના ઘરે પહોંચી ગઈ અને નૈતિકના મમ્મીને જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા વ્યક્તિ નૈતિકને ગાડી ઉપર બેસાડીને લઈ ગયા છે, જ્યારે આ વાત કામિનીબેન સાંભળી ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા, તેઓ તાબડતો કોલોનીમાં બહાર પહોંચ્યા તો નૈતિક અને મુકુંદ બંને ગાયબ હતા..
આ વાતની જાણકારી તેઓએ વિષ્ણુભાઈ સુધી પણ પહોંચાડી હતી, વિષ્ણુભાઈ પણ પોતાના કારખાનેથી ઘરે આવવા માટે નીકળી ગયા હતા, ત્યારબાદ સોસાયટીના ગેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરાની પણ તેઓએ તપાસ કરી કે આ બંને બાળકો ક્યાં ગયા છે અને કઈ હાલતમાં હશે તેવું એ જોયું તો એક અજાણ્યો યુવક બપોરના સમયે બાઇક લઈને તેમની કોલોનીમાં આવી પહોંચ્યો હતો..
અને આ બંને બાળકોને પોતાની બાઈક ઉપર બેસાડીને ત્યાંથી નીકળી ગયો હતો, આ ઘટનાને લઈને તેઓ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને પણ હાજર થયા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી કે મુકુંદ અને નૈતિક નામના બંને નાનકડા દીકરાને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપાડીને જતો રહ્યો છે..
સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે તપાસ શરૂ કરી અને એક પછી એક કડીઓ મેળવવાની પણ શરૂ કરી દીધી હતી, કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી નાના બાળકોને ઉપાડી જનાર ટોળકી સક્રિય થઈ ચૂકી છે. પોલીસની સર્તકતા હોવાને કારણે તેઓ આસાનીથી પોતાના કામની અંદર પાર પાડી શકતા નથી, પરંતુ આ વખતે એક સાથે બે બાળકોને આજાણ્યો યુવક ઉપાડીને ક્યાં જતો રહ્યો હશે..
અને આ બાળકો સાથે તેણે શું કર્યું હશે તેનું પણ કશું નક્કી કહી શકાતું નથી. હાલ પોલીસ આ બંને બાળકોની શોધખોળ કરવામાં લાગી ચૂકી છે, અને માત્ર 10 કલાકની અંદર જ આ અજાણ્યા યુવકને બંને બાળકો સાથે પકડી પાડ્યો હતો. આ અજાણ્યો યુવક શહેર મૂકીને બંને બાળકોને સાથે લઈને જઈ રહ્યો હતો..
આ બંને બાળકોની હાલત ખૂબ જ દયનીય થઈ ચૂકી હતી, કારણ કે તેઓ છેલ્લા દસ કલાકથી ભૂખ્યા તરસ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે નૈતિક અને મુકુંદના માતા-પિતા માટે તો આફતોના આભ ફાટી નીકળ્યા હતા, કારણ કે, તેમના લાડકવાયા દીકરા ને કોઈ અજાણ્ય વ્યક્તિ આવી રીતે ઉપાડીને ચાલ્યો ગયો હતો..
માત્ર દસ મિનિટ પહેલા જ તેમની નજર સામે હસતી ખેલતી જિંદગી જીવતા તેમના બંને બાળકો 10 મિનિટ બાદ એવી રીતે ગાયબ થઈ ગયા કે, મા બાપ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં. પરંતુ પોલીસની સતર્કતા અને બહાદુરીને કારણે જલ્દી તપાસ ચલાવામાં આવી હતી અને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે..
આ આરોપીની સાથે અન્ય કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે, અને તેઓ પાછળના સમયમાં શું અન્ય બાળકોને પણ આવી રીતે હેરાન પરેશાન કર્યા છે કે, નહીં વગેરેની પૂછપરછ મેળવવામાં આવી રહી છે. આપણે જ્યારે જ્યારે આવા હોશ ઉડાવતી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે ત્યારે બે ઘડી આપણું મગજ પણ ચકરાવે ચડી જતું હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]