આજના સમયમાં યુવાન પેઢીના લોકો ખાણીપીણીના ખૂબ જ શોખીન રહ્યા છે. દરેક લોકોને બહારનું વધારે ખાવાનું પસંદ આવે છે. જેના કારણે બહાર મળતી વસ્તુઓ ખાઈને લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ઘણી બધી જગ્યાએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાવા પીવાની વસ્તુઓ બનાવવામાં આવે છે.
પરંતુ અમુક લોકો ખાણીપીણીમાં ભેળસેળ કરી રહ્યા હોય છે, જેના કારણે તેઓ તે વસ્તુઓ ખાતા-પીતા તરત જ લોકો મોટી બીમારીના ભોગ બની જાય છે અને ક્યારેક તેમાંથી તેઓ પોતાના જીવ પણ ગુમાવી બેસે છે. આવી જ ખાણીપીણીને કારણે બનેલી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના એક ગામડામાં બની હતી.
દેવ કિરારી ગામડામાં એક પરિવાર રહે છે. પરિવારમાં માતા-પિતા અને તેમની માસુમ બાળકી રહેતા હતા. બાળકીની ઉંમર 9 વર્ષની હતી. બાળકીનું નામ મીનાક્ષી કોશલે હતું. બાળકી દરરોજ શેરીમાં પોતાના મિત્રો સાથે રમતી હતી અને શેરીમાંથી કોઈ પણ ફેરવ્યાઓ કે બીજી કોઈ લારી લઈને વસ્તુ વેચવા આવતા લોકો પાસે તે અવારનવાર વસ્તુની જીદ કરતી હતી.
જેના કારણે બાળકીની માતા તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી પરંતુ એક દિવસ બાકીની માતા ઘરમાં કામ કરી રહી હતી. તે સમયે શેરીમાં પાણીપુરીની લારી લઈને એક વ્યક્તિ આવ્યો હતો. વ્યક્તિને જોઈને બાળકોએ પાણીપુરી ખાવાની જીદ કરી હતી. પાણીપુરી મોટાભાગે મહિલાઓ અને બાળકોને ખૂબ જ પ્રિય હોય છે.
જેના કારણે બાળકીએ પાણીપુરીની જીદ કરી હતી. તે સમયે પાણીપુરીના ચાલકે દરેક બાળકોને પાણીપુરી ખવડાવી હતી. ત્યારબાદ તે શેરીમાંથી જતો રહ્યો હતો. બાળકીની માતાને બાળકીએ પાણીપુરી ખાધાની જાણ થતા તે બાળકીને ખીજાઈ હતી પરંતુ આસપાસના લોકોએ તેને સમજાવી હતી.
ત્યારબાદ બીજા દિવસ થતાં બાળકીને અચાનક ઉલટી અને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. બાળકની સાથે જે બાળકોએ પાણીપુરી ખાધી હતી. તે બાળકોને પણ ઉલટી અને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જેના કારણે શરીરના લોકોને લાગ્યું કે કાલે પાણીપુરી બાળકોએ ખાધી જેના કારણે તેઓની તબિયત બગડી છે.
તરત જ બહાર શેરીના બાળકોને બિરહા સમુદાયક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેઓની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવતા તેમને છત્તીસગઢની મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા પરંતુ ચાર બાળકોમાંથી એક બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. આ બાળકી મીનાક્ષી હતી.
મીનાક્ષીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ જતા તેમના માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા. એકની દીકરીને માતા પિતાએ ગુમાવી દીધી હતી. પાણીપુરી ખાતા બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેના કારણે દરેક માતા પિતાને ખૂબ જ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને શેરીના લોકો બાળકીને પાણીપુરી વેચવા આવેલા લારીવાળા સામે ખૂબ જ ગુસ્સે થયા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]