Breaking News

શેરડીના ખેતર વચ્ચે ઉડતા કાગડાનું ટોળું જોઈને ખેડૂતે તપાસ કરી, ખેતરમાં વચ્ચે જ મળ્યું એવું કે જોઈને પરસેવે રેબઝેબ થઈ ગયો..!

સવાર પડતાની સાથે જ ગિરીશચંદ્ર નામના એક ખેડૂત તેમના ખેતરે જવા માટે નીકળી ગયા હતા, તેઓએ તેમના ખેતરમાં શેરડીનો પાક લીધો હતો, તો તેમના બીજા ખેતરની અંદર કપાસનો પાક લેવામાં આવ્યો હતો, તેઓ હંમેશાં સવારના સમયે તેમના ખેતરે આંટો મારવા માટે જતા હતા. જ્યારે તેઓ ખેતરે પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે, તેમના શેરડીના ખેતરની વચ્ચોવચ કાગડાનું એક ટોળું ઉડી રહ્યું હતું..

એક સાથે આટલા બધા કાગડાનો ટોળું તેમણે જોતાની સાથે જ તેમને ખુબ જ આશ્ચર્ય લાગ્યુ હતું કે, અચાનક જ શા માટે આટલા બધા કાગડા તેમના ખેતરની વચ્ચોવચ ઉડવા લાગ્યા છે. નક્કી ખેતરની વચ્ચે કંઈક અજુગતું બન્યુ છે. તેઓએ તરત જ તેમના ખેતરમાં કામ કરતા અન્ય મજૂરોને પોતાની પાસે બોલાવ્યા અને શેરડીના ખેતરની વચ્ચે જઈને જોવાની કોશિશ કરી હતી..

તેઓ જ્યારે ખેતરમાં તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે એવું મળ્યું હતું કે, તે જોતાની સાથે જ તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તો તેમની સાથે રહેલા મજૂરો પણ માથે હાથ દઈને નીચે બેસી ગયા હતા. તેમના ખેતરની અંદર તેમના જ ગામમાં રેહતી 27 વર્ષની પ્રીતિ નામની યુવતીની લાશ મળી આવી હતી..

ગિરીશચંદ્રભાઈ બૈરાલ ગામના રહેવાસી છે. તેમના ગામમાં રહેતી 27 વર્ષની પ્રીતિની લાશ તેમના ખેતરની અંદરથી મળી આવતા તેમના હોશ ઉડી ગયા હતા. તેઓ તરત જ ખેતરની બહાર નીકળ્યા અને ઘટનાની જાણકારી પ્રીતિના પરિવારજનો સુધી પહોંચાડી હતી. પ્રીતિના પરિવારજનોએ કહ્યું કે, પ્રીતિ છેલ્લા 11 દિવસથી ઘરેથી ગાયબ છે..

તે સવારના સમયે ખેતર તરફ જવા માટે નીકળી હતી. પરંતુ ત્યાર પછી તે ક્યારેય ઘરે પરત આવી નથી. તેના લગ્ન આજથી એક વર્ષ પહેલાં પડોશના લોધાસા ગામની અંદર રહેતા એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના થોડા સમયની અંદર જ સાસરિયાંઓ સાથે વાત વિભાગ સર્જાઈ ગયેલો હોવાથી તે પોતાને પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી..

જ્યારે તે તેના ઘરેથી ગાયબ થઈ ગઈ ત્યારે તેના પરિવારજનો એ વિચાર્યું કે, તે પોતાની સાસરીયે પરત ચાલી ગઈ હશે. તેણે તેના સાસરિયાંઓને પણ સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ પ્રીતિનો ક્યાંથી અતોપતો ન મળતા અને તેઓ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવા માટે પહોંચી ગયા હતા..

પોલીસે પણ ફરિયાદ નોંધીને પ્રીતિની શોધખોળ શરૂ કરી દીધી, પરંતુ ક્યાંથી અતો પતો ન મળતા તેની તપાસને શરૂ રાખવામાં આવી હતી. અચાનક જ ગિરીશચંદ્ર ભાઈના ખેતરમાં કાગડા ઉડવા લાગ્યા હતા, તેઓ જ્યારે ખેતરની વધુ પહોંચ્યા તો ત્યાંથી પ્રીતિની લાશ મળી આવી હતી અને આ લાશ ઉપર કાગડાનું ટોળું આવી પહોંચ્યું હતું..

અને તેના શરીરને ખૂબ જ ખરાબ રીતે ખાઈ જવામાં આવ્યું હતું. પ્રીતિને ગળાના ભાગે ઊંડા ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે તેની લાશને નજીકના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધી છે. તેમજ તેનું મૃત્યુ કેવી રીતે થયું છે, અને તેને કોણે મોતને ઘાટ ઉતારીને આ ખેતરની અંદર ફેંકી દીધી છે..

તેની તપાસ મેળવવા માટે પોલીસે કામગીરી શરૂ કરી દીધી હતી. ગામની બહારના ખેતરની અંદર આ હાચમચાવી દેતી ઘટના બની જતા ગામ લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડ્યા હતા અને અહીં શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. ખેતરના માલિક ગિરીશચંદ્ર સહિત તેમના ખેતરમાં કામ કરતા મજૂરો અને આસપાસના અન્ય ખેતરના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે..

તેમજ પ્રીતિના પરિવારજનો તેમજ તેના સાસરિયાવાળા લોકોને પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. પ્રીતિના માતા-પિતાનું કહેવું છે કે નક્કી આ ઘટનાની પાછળ તેના પતિનો હાથ હોવો જોઈએ, કારણ કે થોડા સમય પહેલા તેને પતિ સાથે તેનો ઝઘડો થયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *