Breaking News

શાળાએ થી પ્રવાસમાં ગયેલી 75 બાળકો ભરેલી બસના ડ્રાઈવરે બાઈક ચાલકને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ, સર્જાઈ મોટી દુર્ઘટના.. વાંચો..!

આજકાલ રસ્તાઓ પર એવા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે કે જેમાં એક જ પરિવારના અથવા તો એકસાથે ઘણા બધા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. લોકો પોતાનું વાહન બેફામ રીતે ચલાવીને બીજાના નિર્દોષને જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક અકસ્માતની કરુણઘટના હાલમાં સામે આવી હતી.

આ ઘટના હાંડિયા કોતવાલીના સઈદાબાદના ભેંસકી ગામમાં ગામ પાસે બની હતી. ભેસકી ગામ પાસે ઝોનપુરની શ્રીમતી ક્રાંતિદેવી જનતા વિદ્યાલય પરમાનપુર ભારતીપુરની શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે જઈ રહ્યા હતા. શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થીઓને માનગઢ પ્રતાપગઢ લઈ જવામાં આવી રહ્યા હતા.

જેના કારણે બસમાં એક સાથે 75 બાળકો અને તેમના શિક્ષકો બેઠા હતા. જેમાં 35 છોકરીઓ અને 40 છોકરાઓ બેઠા હતા. બાળકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી બસમાં બેસીને પ્રવાસ માટે જઈ રહ્યા હતા. તે સમયે બસ સહીદાબાદના ભેસકી ગામની બહારના રસ્તા પર પહોંચી હતી. તે સમયે અચાનક સામેની તરફથી એક બાઈક ચાલક રોંગ સાઈડમાં આવી રહ્યો હતો.

અને બાઈક ચાલકનું ધ્યાન ન હતું. જેના કારણે બસ ડ્રાઈવરે બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક ચાલકને બચાવવા જતા બસ ડ્રાઈવરે પોતાની બસ પરનું સંતુલન ગુમાવ્યું હતું અને બસ બેકાબૂ બની હતી. બસ બેકાબુ બનતા બસ પલટી મારી ગઈ હતી. જેના કારણે બસમાં બેઠેલા દરેક વિદ્યાર્થીઓ એક સાથે ચીસો પાડી બેઠા હતા.

વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા અને આ અકસ્માત સર્જાતા તરત જ આસપાસના સ્થાનિક લોકોને વિદ્યાર્થીઓની ચીસો સંભળાઈ હતી. જેના કારણે તેઓ બસમાં વિદ્યાર્થીને બચાવવા માટે દોડી ગયા હતા. દરેક વિદ્યાર્થીઓને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. જેમાં દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા.

અને તેમાંથી 30 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. બે વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા અને બે વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. જેના કારણે પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. તરત જ એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ લઈ ગયા હતા.

ત્યારબાદ બાળકોના પરિવારના લોકોને પણ બાળકોના અકસ્માત થયાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે બે વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા છે. આ બંને વિદ્યાર્થીઓને આઇડી કાર્ડ પરથી વિદ્યાર્થીઓના માતા પિતાને તેમના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.

આ બંને વિદ્યાર્થીઓ ધોરણ 9 અને ધોરણ 10 ના હતા. ધોરણ નવનો વિદ્યાર્થી અંકિત અને ધોરણ 10 ની વિદ્યાર્થી અનુરાગ બંનેના કરુણમોત થઈ જતા બીજા બાળકો ગભરાઈ ગયા હતા અને તેમના પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. શાળામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અચાનક વિદ્યાર્થીઓની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *