રાજ્યમાં અવારનવાર મારામારીના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. દરેક શહેરોમાં લોકો પરિવારના લોકો સાથે નાની-નાની વાતમાં ઝઘડાઓ કરીને મારામારીઓ કરી રહ્યા છે અને જ્યારે આ મારામારીમાં ઉશ્કેરાઈ જઈને તેમના જીવ પણ લઈ રહ્યા છે. અવારનવાર યુવક યુવતીઓ સાથે પ્રેમ સંબંધને કારણે,..
પણ આવી ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. જેને કારણે એક ચોકાવનારો કિસ્સો ખૂબ જ સામે આવ્યો છે. હાલમાં આ કિસ્સો બનતા જ શહેરના આ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ઘટના તરનતારના કસ્બા પટ્ટીના વોર્ડ નંબર સાતમાં બની હતી. વોર્ડ નંબર સાતમાં એક પરિવાર રહેતું હતું.
પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન રહેતા હતા. પરિવારમાં રહેતી દીકરીનું નામ સ્નેહા હતું અને તેમના ભાઈનું નામ રોહિત હતું સ્નેહા પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી પરંતુ તેને થોડા સમય પહેલા કોઈએ તેના જ વિસ્તારના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના કારણે સ્નેહા અને આ યુવક લગ્ન કરવા માગતા હતા.
આ યુવકનું નામ રાજન જોશન હતું. સ્નેહાને ઘણા સમયથી રાજન સાથે અફેર હતું. જેના કારણે બંને મળીને સ્થાનિક કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. સ્નેહા જાણતી હતી કે તેના પરિવારના લોકો ક્યારેય પણ આ લગ્ન માટે હા નહીં કહે તેને કારણે તેણે રાજન સાથે છુપાઈને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.
જેની જાણ યુવતીના સંબંધીઓ અને તેના પિતરાઈ ભાઈઓને થઈ હતી. ભાઈઓએ અવારનવાર સ્નેહા પર નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું. એક દિવસ સ્નેહા કોઈ કામ હોવાને કારણે તેના ઘરથી બહાર બજારમાં જવા માટે નીકળી હતી અને બજાર તરફ કેટલીક વસ્તુઓ તે લઈ રહી હતી. તે સમયે તેના ભાઈઓ પહેલેથી જ સ્નેહાનું ધ્યાન રાખવા માટે બજારમાં પહોંચી ગયા હતા.
અને અચાનક સ્નેહા તેમની નજીક આવી જતા તેને રસ્તાની વચ્ચે જ ઘેરી લઈને થપ્પડ મારીને માર માર્યો હતો અને ત્યારબાદ તેને ચાકુના ઉપરાપર ઘા મારીને લોહી લુહાણ કરી નાખી હતી. બંને ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતા. દરેક લોકો સ્નેહાને તડપતી હાલતમાં જોઈ રહ્યા હતા સ્નેહાના શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું.
લોહીના ખાડા ભરાઈ ગયા હતા અઢી મિનિટમાં જ આ ઘટના બની ગઈ હતી. પાંચ મિનિટ સુધી સ્નેહા રસ્તા પર તડપતી રહી હતી પરંતુ કોઈએ મદદ કરી ન હતી જેને કારણે સ્નેહાનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ નો કબજો લઈને હોસ્પિટલ પોસ્મોતમ માટે સ્નેહાના મૃતદેહને મોકલવામાં આવ્યો હતો.
સ્નેહાના પરિવારના લોકો પ્રેમ લગ્નથી ખુશ ન હતા. જેને કારણે તેને સ્નેહા સાથે આ ઘટના કરી નાખી હતી. સ્નેહાના પ્રેમી અને તેના પરિવારના લોકોને ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે બંને ભાઈઓને શોધવાની તપાસ હાથ ધરી હતી પરંતુ પરિવારના તમામ સભ્યો ગુમ થઈ ગયા હતા. જેની પોલીસ તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]