આજકાલ ની નવી પેઢી હરવા ફરવાની ખૂબ શોખીન હોય છે. વેકેશનની રજાઓ પડી નથી કે બીજી બાજુ નાસ્તો અને જરૂરી સામાન લઈને ફરવા માટે નીકળી જતા હોય છે. પરંતુ ફરવા જાય ત્યારે મગજ ફરવા માટે એટલું હરખમય હોય છે. કે કઈ એક્ટિવિટી માં કેટલું રિસ્ક રહેલું છે. તેનો ખ્યાલ રાખ્યા વગર જ જીવના જોખમે નત નવીન રાઈડ્સની મજા માણતા હોય છે.
પરંતુ છેલ્લા થોડાક સમયથી પેરાશૂટ ના દોરડા તૂટી જવાના કે અન્ય કોઈ રાઈડસમા ખામીના કારણે અનેક લોકોના મોત થવાના સમાચાર સાંભળ્યા હશે. આ પ્રકારના બનાવો બનતા જ ફરવાની મજા મોત ની સજા માં બદલાઈ જતી હોય છે. આજે દીવના નાગવા બીચ ખાતે એવો જ એક કિસ્સો બન્યો છે.
સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ અત્યાર સુધીમાં ઘણીવાર નજરે ચડતી હોઈ છે. આવો જ એક બનાવ દિવના નાગવા બીચ ખાતે બન્યો છે. પોતાના મિત્રો સાથે દીવના નાગવા બીચ 38 વર્ષીય સુત્રાપાડાનો યુવક ફરવા આવ્યો હતો. આ યુવક જયારે સેલ્ફી લેતો હતો ત્યારે દરિયામાંથી ખુબ મોટું મોજું ઉછળતા જ તેનો પગ લપસ્યો હતો…
શરીરનું સંતુલન બગડી જતા જ જોતજોતામાં તે દરિયામાં ડૂબી ગયો હતો. સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. તે દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવાકનુ દરિયાના પાણીમાં ડૂબી જવાને કારણે કરૂણ મોત નિપજ્યું છે.
યુવકનુ નામ દુર્ગા પ્રસાદ વેંકટરાવ છે. તે મૂળ આંધ્ર પ્રદેશનો છે. અને તે સૂત્રાપાડાની કંપનીમાં નોકરી કરતો હતો. તે રજાના દિવસોમાં તે મિત્રો સાથે ફરવા બીચ પર આવ્યો હતો. નાગવા બીચમાં મિત્રો સાથે દરિયામાં ન્હાવા ગયા ત્યારે સેલ્ફી લેવાની ઘેલછામાં યુવકે જીવ ગુમાવ્યો હતો.
યુવક દીવમાં ડુબી જતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક વોટર સ્પોર્ટ્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. દરિયામાંથી બહાર કાઢીને યુવકને 108 દ્વારા દિવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પી.એમ અર્થે મોકલ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]