રોજ રોજ એવી ઘટનાઓ સામે આવવા માંડી છે કે જેના વિશે માણસ ક્યારેય વિચાર્યું પણ ન હોય. એમાં પણ બાળકી અને મહિલાઓ સાથે તો એ પ્રકારના વર્તન થવા લાગ્યા છે કે, જેના કારણે સૌ કોઈ લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે મહિલાઓ સાથે અત્યા.ચા.ર કરતા નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે છે..
જેથી કરીને તેઓ બીજીવાર કોઈપણ ગુનાઓ કરતા પહેલા સો વખત વિચાર કરે. આપણા દેશમાં સાધુ, સંત, મહંત અને બાબાઓને ખૂબ જ માન સન્માન આપવામાં આવે છે. તેમજ તેની ભગવાનની જેમજ પૂજા આરાધના પણ કરવામાં આવતી હોય છે. આ બાબા, સંતોમાં ઘણા ખરા સાધુ-સંતોની એવી કાળી કરતૂતો સામે આવી છે કે જે સામે આવ્યા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી જાય છે.
બધા લોકો એવા નથી હોતા. પરંતુ અમુક ચપટી ભર્યા લોકોના કારણે લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે. વાંચીને રુવાડા બેઠા થઈ જાય તેવી ઘટના હાલ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી સામે આવી છે. અહીંયા એક મહંતે 16 વર્ષની ફૂલ જેવી બાળકીને પિંખી નાખી છે.
મહંત સીતારામ દાસ તેમજ મિત્રો સાથીદાર વિનોદ પાંડે નામના બંને વ્યક્તિઓ પર ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ એક બાળકીને સર્કિટ હાઉસમાં ગોંધી રાખ્યા બાદ તેને દારૂ પીવડાવ્યો હતો. અને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. આ ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસખાતું એક્શનમાં આવી ગયું હતું..
અને મહંત સીતા રામદાસના ચેલા તેમજ સાથીદાર વિનોદ પાંડેને દબોચી લેવામાં આવ્યો હતો. સોળ વરસની દીકરી અને તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વિનોદ પાંડે નામનો યુવક રીવા જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરીને છોકરીઓ ને બોલાવતો હતો.
હકીકતમાં મહંત સીતારામ દાસ રીવા જિલ્લામાં એક મોલના ઉદ્ઘાટન દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર તરીકે પધાર્યો હતો. કથા થોડા દિવસ પછી શરૂ થવાની હતી. ત્યાં સુધી રામદાસ તેમજ તેના સાથીદારો એક હોટલ તેમજ સર્કીટ હાઉસમાં રોકાયા હતા..
સોળ વરસની દીકરી રીવા જિલ્લામાં એક વિકટ પરિસ્થિતિમાં મુકાઇ ગઇ હતી. તે રસ્તા પર મદદ માંગી હતી. એ સમય દરમ્યાન વિનોદ પાંડે રસ્તા પરથી પસાર થતો હતો તેણે મદદ આપવાના બહાને આ દીકરીને તેની સાથે લઈ ગયો હતો. મહંત સીતા રામદાસ તેમજ તેના સાથીદારો એ દિવસે સાંજે સર્કિટ હાઉસમાં પધાર્યા હતા..
સર્કિટ હાઉસમાં તેઓ એક રૂમ બુક કરીને આ દીકરીને ત્યાં લઈ આવ્યા હતા. અને જ્યારે દીકરીની અંદર પ્રવેશ કર્યો ત્યારે ની અંદર કુલ ૬ થી ૭ લોકો હાજર હતા. અને તમામ લોકો દારૂના નશામાં ધૂત હતા. ત્યારબાદ તેઓએ આ દીકરીને વારંવાર પીંખી નાખી હતી. આ દીકરી પોતાને બચાવવાની ખૂબ કોશિશ કરતી હતી..
પરંતુ રૂમની અંદર રહેલા લોકો તેને મારપીટ કરવા લાગ્યા હતા. અને જો આ બાબતની જાણ કે અન્ય કોઈ વ્યક્તિને કરશે તો તેને જીવતી મારી નાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. હકીકતમાં દીકરી એ ખૂબ જ વેદના સહન કરી હતી. છતાં પણ આ મહંત પોતાની કાળી કરતુતોથી થાક્યો હતો નહીં..
અને ન કરવાનું કામ કરી બેસ્યો હતો. પરંતુ આ મામલો સામે આવ્યા બાદ મધ્ય પ્રદેશમાં અરેરાટી મચી ગઇ છે. તો બીજી બાજુ આ બાબતને લઈને રાજકારણમાં પણ હગામા થઈ રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે જણાવ્યું હતું કે, રીવાના સર્કિટ હાઉસમાં આ દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની એ ખૂબ જ દુઃખ દાયક છે..
પરંતુ આવા લોકોને સર્કિટ હાઉસમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવ્યો..? તેમજ સર્કીટ હાઉસની અંદર દારૂની પાર્ટી કેવી રીતે શરૂ થઈ આ બધી બાબતોને લઇને તપાસ કરવામાં આવે. તેમજ આ ઘટનામાં જોડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને દીકરી ને ન્યાય મળે.
હકીકતમાં આ મહંત બોવ જ પહોચેલી ચીજ છે, તેની ઓળખાણ રાજકારણમાં ખુબ મોટી હોવાને કારણે હમેશા બે ફૂટ ઊંચા જ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. આ મહંતના ભક્તોમાં પોલીસ ઓફિસરોની સાથે સાથે વિધાનસભાના સભ્યો પણ સામેલ છે. ખરેખર આ ઘટના બન્યા બાદ સૌ કોઈની સામે એવી સત્યતા બહાર આવી ગઈ છે કે સામે આવતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]