એક શિક્ષક સો માતા પિતા ની ગરજ સારે છે. બાળકોને યોગ્ય શિક્ષણ આપીને દેશ માટે યોગ્ય ભવિષ્ય બનાવનાર શિક્ષક આજે જિંદગીની જંગ હારી ગયો છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે એક શિક્ષક જ શીખવાડી શકે છે. જીવન જીવવાના સિદ્ધાંતો શીખવનાર જામનગરના કાલાવાડ ના એક શિક્ષિકા પોતે જ જીંદગીની જંગ હારી ગયા છે.
કાલાવાડ રોડ નજીકના વિસ્તારમાં જીવરાજ પાર્ક પાસે હવેલી આદીલેન્ડ સોસાયટી માં એક શિક્ષિકા રહેતી હતી. જેણે આજે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. આમ તેણે શા માટે કર્યું હશે તે જાણવા માટે તાલુકા પોલીસ મથામણ કરી રહી છે. જોકે પ્રાથમિક તપાસમાં તો કોઈ કારણ મળી આવ્યું નથી.
શિક્ષિકાના પતિ સંદીપીર્તભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે શિક્ષિકા પોતે ત્યાં નજીક આવેલી મોદી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષિકા નું નામ અર્પિતા બેન જ્યારે તેમના પતિનું નામ સંદીપીર્તભાઈ છે. શિક્ષિકા અર્પિતા બેનને બે સંતાનો છે જેમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.
અર્પિતા બેન ની ઉંમર ૪૨ વર્ષ છે. તેઓએ પોતાના 2 સંતાનો અને પતિને પડતા મૂકીને કોઈપણ પ્રકારના વિચાર કાર્ય વગર ઘરે પંખા પર દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો છે. આ ઘટના બનતા જ તેના પતિ સંદીપીર્તભાઈનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. કારણ કે હસતી ખેલ તી જિંદગી માંથી શિક્ષિકા અર્પિતા બેન ને અલવિદા કહી દીધું છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં તો કોઈ કારણ મળ્યું નથી. પોલીસ અર્પિતાના પતિ અને બાળકો તેમજ પાડોશીઓ સાથે પૂછતાછ કરે છે. આ ઘટનાની બહોળી અસર તેના સંતાનો પર પડી છે. તેઓ પણ માતા વગર સાવ એકલા પડી ગયા છે.
આ પગલું ભરવા અંગેના કારણોમાં તેઓની વચ્ચે વારવાર ઝગડા થતા હોય કે પછી કામ નું ભારણ વધી હતું હોઈ કે પછી આર્થિક રીતે તંગીમાં માનસિક તાણવ ઉભું થયું હશે આ બધા પગલાંઓ માંથી કોઈ પણ કારણ હોઈ શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]