Breaking News

સ્કુલે જવાના બહાને જુવાન દીકરી તેના પ્રેમીને મળવા જતી હતી, પરિવારે ઠપકો આપ્યો તો લટકીને આપઘાતનો પ્રયાસ કર્યો અને બચી ગયા બાદ અંતે એસીડ ઘટઘટાવીને…

દરેક માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. તેઓ અવારનવાર વિચાર કરતા હોય છે કે તેઓના બાળક ભવિષ્યમાં ક્યાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવી છે. અને તેનું ભવિષ્ય ઉજ્જવળ રહે એ માટે માતા-પિતા પૂરતા પ્રયાસો કરતા હોય છે. એ માટે જરૂર પડયે બાળકોને સાચી રાહ દેખાડવા ઠપકો પણ આપવો પડતો હોય છે..

પરંતુ આજકાલના બાળકોને મા-બાપએ આપેલો ઠપકો ખૂબ જ આઘાતમય લાગે છે. એટલા માટે તેઓ ન કરવાનું કરી બેસે છે. અને અંતે મા-બાપ પાસે પસ્તાવા સિવાય કોઇ પણ વિકલ્પ બાકી રહેતો નથી. આ પ્રકારની ઘટના ને સત્ય માં પરિવર્તન કરી નાખે તેવી એક ઘટના ટીમાનવાડી વિસ્તારમાંથી સામે આવી છે..

ટીમાનવાડીમાં એક ખૂબ મોટો પરિવાર રહે છે. પરિવારમાં પાંચ ભાઈ બહેન તેમજ માતા-પિતા સહિત કુલ સાત જણા રહે છે. જેમાં પરિવારની સૌથી નાની દીકરી જે ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. તેને માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. અને આ દીકરીને લાગી આવતા તેણે લટકીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારના સભ્યોને આ દીકરી કેહતી હતી કે પોતે અભ્યાસ માટે સ્કૂલે જાય છે. પરંતુ તે સ્કૂલે નહિ જતા પોતાના પ્રેમીને મળવા માટે નીકળી જતી હતી. આ વાતની જાણ પરિવારના સભ્યોને થઈ ચૂકી હતી. એટલા માટે તેઓએ તેમની દીકરીને સરખી રીતે અભ્યાસ કરવા માટે જણાવ્યું હતું તેમજ અન્ય કોઈપણ બાબતોમાં ન પડવા માટે કહ્યું હતું..

છતાં પણ આ દીકરી શાળાએ જવાના સમયે શાળાનું બહાનુ બનાવીને ઘરેથી નીકળી જતી હતી. અને ત્યારબાદ પોતાના પ્રેમીને મળવા માટે જતી હતી. એટલા માટે પરિવારના અન્ય ભાઈ-બહેનો તેના ઉપર નજર રાખતા હતા. અને તેને યોગ્ય માર્ગે દોરવા માટે કહી રહ્યા હતા. પરંતુ આ દીકરી સમજવા માટે તૈયાર ન હતી..

તે ઘરેથી નીકળો એટલે પોતાના પરિવારના સભ્યો સાથે તૂ તૂ મેં મેં કરીને નીકળી જતી હતી. અને ત્યારબાદ પોતાના પ્રેમી સાથે અંગત પળો વિતાવતી હતી. એટલા માટે પરિવારે તેને ઠપકો આપ્યો હતો. તેમજ એકવાર તેના ભાઈ બહેન તેને પોતાના પ્રેમી સાથે ઝડપી પાડી હતી. બસ આ ઘટનાનો તેને લાગી આવ્યું હતું..

અને તેણે ઘરે આવીને લટકીને આપઘાત કરીને જીવન ટૂંકાવાનો નિર્ણય બનાવી લીધો હતો. તેણે આપઘાતનો પ્રયાસ પણ કરી લીધો હતો. પરંતુ કોઇ કારણોસર સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. ભગવાને કદાચ તેને બીજી જિંદગી આપી હોઈ એમ તેનો જીવ બચી ગયો હતો. પરતું આ દીકરીની ઉંમર નાની હતી અને અણસમજુ હોવાને કારણે તેણે ફરીવાર એક એવું પગલું ભર્યું કે જે ખુબ જ ખોટું હતું.

તેણે ત્યાં પડેલી એસીડની બોટલ ગટગટાવી લીધી હતી. જેથી કરીને પોતાનો જીવ ફરી વખત ચાલ્યો જાય. પરંતુ એસિડ પીતાની સાથે જ પરિવારના કોઈ સભ્યને ત્યાં આવી પહોંચ્યા હતા. અને તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આ દીકરી ની તબિયત હાલ સારી છે.

હકીકતમાં આજકાલ બાળકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ બનતાં જાય છે. તેઓ ખોટા માર્ગે જતા હોય તેઓને પાછા વાળવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે દરેક મા-બાપ તેને પ્રેમથી સમજાવતો હોય છે. છતાં પણ તે ન સમજે તો તેને ઠપકો આપવો પડે છે. પરંતુ ઠપકો આપવા જતાની સાથે જ બાળકોને લાગી આવે છે.

અને તેઓ ન કરવાના કામ કરી નાખે છે. જેના કારણે દરેક લોકોની સમાજમાં બદનામી થાય છે. અને અંતે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ બાકી રહેતો નથી. દિન પ્રતિ દિન આવી ચોંકાવનારી ઘટનાઓ વધારે માત્રામાં સામે આવવા લાગતા ભારે ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *