Breaking News

સાવરકુંડલામાં પરિવારે પોતાની વિધવા પુત્રવધુના ઘરઆંગણે પુન:લગ્ન કરાવીને દીકરીની જેમ વળાવીને આપ્યું એવું કે, જોતા જ ગામના લોકોના હોંશ ઉડી ગયા..!!

સમાજમાં દીકરીઓને પિયરમાં માતા-પિતા દ્વારા ખૂબ જ લાડ લડાવવામાં આવે છે પરંતુ સાસરે જતા દીકરીને બધા જ લાડ ભૂલી જવા પડે છે પરંતુ સાસરીયામાં વહુને દીકરીની જેમ રાખતા અમુક પરિવાર જોયા છે. હાલમાં એવી એક ઘટના સામે આવી હતી કે જેમાં પોતાની પુત્ર વધુને દીકરીની જેમ ઘર આંગણેથી વળાવી હતી.

આ ઘટના અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલામાં રહેતા પરિવારમાં બની હતી. સાવરકુંડલાના જયાણી પરિવારએ પોતાની પુત્રવધુ ના લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા. પરિવારમાં માતા-પિતા અને દીકરો અને દીકરાની વહુ રહેતા હતા. જેમાં પિતા રમેશભાઈ અને તેમનો દીકરો આશિષ પોતાના પરિવારને ગુજરાન ચલાવતા હતા.

દીકરાની વહુ કોમલ પોતાના સાસરિયાંઓ સાથે ખૂબ જ હળીમળીને રહેતી હતી. આશિષ અને કોમલના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. પરંતુ આશિષનું કોરોનાના સમયમાં બીમારીને કારણે નિધન થયું હતું. જેના કારણે દીકરાની વહુ કોમલ વિધવા બન્યા હતા. કોમલની ઉંમર ખૂબ જ નાની હતી અને તે પોતાનું જીવન આગળ કેવી રીતે પસાર કરશે તેમ સસરાએ વિચાર્યું હતું.

રમેશભાઈ કોમલના જીવનથી ચિંતિત રહેતા હતા. તે પોતાની દીકરાની વહુને દીકરીની જેમ રાખતા હતા પરંતુ ગમે તે જગ્યાએ તેઓ કોમલને ખુશ જોઈ રહ્યા ન હતા. જેના કારણે તેમણે પોતાના દીકરાની વહુના ફરીથી લગ્ન કરાવવાનો વિચાર મૂક્યો હતો. તેમણે પોતાના પરિવારના લોકોને કોમલના ફરી લગ્નની વાત કરી હતી.

જેના કારણે પરિવારે પણ આ વિચારનો સ્વીકાર કર્યો હતો. કોમલના માતા-પિતા સાથે પણ રમેશભાઈએ આ વિચાર મૂક્યો હતો. ત્યારે તેમના માતા-પિતાએ પણ કોમલના લગ્ન ફરી કરાવવા માટે હા કહી હતી. રમેશભાઈએ કહ્યું હતું કે, હું મારા દીકરાની વહુને દીકરીની જેમ મારા ઘર આંગણેથી જ વળાવીશ. જેના કારણે કોમલ માટે એક સારો યુવક શોધ્યો હતો.

જે પોતાના દીકરા સમાન હતો. કોમલનું જીવન એકલવાયુ અને ખૂબ જ કઠિન જીવન જોઈને તેમના સસરા અને સાસુએ પોતાના પુત્રવધુના દીકરીની જેમ લગ્ન કરાવ્યા હતા અને કોમલના જીવનમાં ફરીથી અંજવાળું થશે તેમ વિચાર્યું હતું. જેના કારણે કોમલના લગ્ન સાસરિયાઓએ મળીને એક યુવક સાથે કરાવ્યા હતા.

જેમાં કોમલના માતા-પિતા અને કોમલના પરિવારના લોકો તેમજ સાધુ સંતોની હાજરીમાં લગ્નની વિધિ કરવામાં આવી હતી. પરિવારે તેમના દીકરાની વહુના પુન:લગ્ન કરાવીને સમાજને એક નવો ઉદ્દેશ આપ્યો હતો. દીકરાની વહુની ઉંમર નાની હોવાને કારણે તે પોતાનું એકલવાયું જીવન કઈ રીતે પસાર કરશે?..

આ જીવન ખૂબ જ કઠિન તેમને પસાર કરવું પડશે તેમ વિચારીને દીકરાની વહુને ખુશી આપી હતી અને પોતાની દીકરીની વિદાયની જેમ કોમલની વિદાય કરવી હતી. સમાજમાં આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા બનતા જોવા મળે છે. દરેક લોકો પોતાના સાસરિયામાં દીકરાની વહુઓને વહુ જેમ જ રાખી રહ્યા છે પરંતુ જયાણી પરિવારમાં પુત્રવધુના લગ્ન પુનઃ કરાવીને સમાજને એક નવો વિચાર આપ્યો છે. દરેક લોકોના વિચાર આવા બની જાય તો સમાજમાં ઘણી બધી જાગૃતતા જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *