ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, એટલા માટે ડગલેને પગલે સાવચેતી ભર્યું જીવન જીવવું જોઈએ, ઘણી વખત તો સામેથી કે પાછળથી મોત આંબી જતુ હોય છે અને જે તે વ્યક્તિનું માત્ર ગણતરીની સેકન્ડોમાં જ મૃત્યુ થઈ જતું હોય છે, અત્યારે ધર્મરાજભાઈ નામના એક વડીલ વ્યક્તિ સાથે એવી હચમચાવી દેતી ઘટના બની છે કે…
જેને જાણ્યા બાદ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓના પણ મોઢા ફાટેલા રહી ગયા હતા, ધર્મરાજભાઈ સરિતા પાર્ક સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની તેમજ તેમની પાંચ દીકરીઓનો સમાવેશ થાય છે. આ પાંચ દીકરીઓના પ્રથમ પિતાનું થોડા વર્ષો પહેલા મૃત્યુ થઈ જતા ધર્મરાજભાઈ સાથે આ પાંચેય દીકરીઓની માતાએ બીજી વખત લગ્ન કર્યા હતા..
પાંચ દીકરીઓના સાવકા પિતા સાથે સવારના સમયે અતિશય હચમચાવી દેતી ગંભીર ઘટના બની ગઈ હતી, ધર્મરાજભાઈ સવારના સમય નાસ્તો કરવા માટે ઊઠીને તેમની પાસે દીકરીઓ માટે ખમણ લેવા માટે જઈ રહ્યા હતા. એ વખતે તેઓ જ્યારે નારાયણ ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે પાછળના ભાગેથી એક ડમ્પર કાળમુખી ગતિએ બેકાબુ બનીને આવી રહ્યો હતો..
અને ધર્મરાજભાઈના માથા પરથી આ ડમ્પરના ટાયર ફરી વળતા રસ્તા પર લોહીની પિચકારીઓ ફાટી નીકળી હતી, જ્યાં જુઓ ત્યાં લોહી લોહી જ દેખાઈ રહ્યું હતું. ધર્મરાજભાઈનો મોબાઇલ હાથમાંથી દૂર થઈ ગયો અને આસપાસના રહેદારીઓને જ્યારે આ મોબાઈલ મળ્યો ત્યારે તેમાંથી તેમની એક દીકરીને ફોન કરીને જાણકારી આપવામાં આવ્યું કે ધર્મરાજભાઈ નામના વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં નારાયણ ચાર રસ્તા પાસે મૃત્યુ થઈ ગયું છે..
તમે તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં પહોંચી જાઓ, રાહદારીઓ નારાયણ ચાર રસ્તાથી ધર્મરાજભાઈને ઉપાડીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ ધર્મરાજભાઈનું કમ કમાટી ભર્યું મૃત્યુ થઈ ગયું હતું. આ પાંચ દીકરીઓના સાવકા પિતાનું પણ મૃત્યુ થઈ જતા બિચારી પાંચ દીકરીઓ નિરાધાર બની હતી..
હવે તેમને પણ સુરક્ષિત સાચવશે તેના વિશે પણ તેઓ વિચારવા લાગ્યા હતા, ધર્મરાજભાઈ કમાણી કરીને તેમની દરેક દીકરીઓના સપના પૂરા કરતા હતા. પરંતુ હવે પરિવારના મોભીનો જ મૃત્યુ થઈ જતા મોટા ભાગની આફત પાંચ દીકરીઓ અને પાંચેય દીકરીઓની માથા ઉપર આવી પડી હતી, આ ઘટનાને લઇને ચારેકોર રોકકળ પણ મચી જવા પામી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]