સાંજે સૂઈ ગયા બાદ સવારે ઊઠીને આપણી સાથે શું થશે તેની આપણને ખબર હોતી નથી. કોઈક વખત સવાર થતાની સાથે ખૂબ જ સારા સમાચાર આવતા હોય છે. તો કોઈક વખત સવાર પડતા જ એટલો મોટો હંગામો આપણી નજર સમક્ષ ઉભો થઈ જતો હોય છે કે, આ મુશ્કેલીઓને સહન કરવી ખૂબ જ અઘરી બની જતી હોય છે..
અત્યારે એક સોની ઉપર આફતોનું આભ ફાટી નીકળ્યું છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠના મોચંદી વિસ્તાર પાસેની છે. અહીં ફરિયા જ્વેલર્સ નામની એક સોનીની રામચંદ દુકાન આવેલી છે. અહીં ઘણા બધા લોકો જ્વેલરી ખરીદવા માટે પણ આપણી બોલાવતા હતા. આ દુકાનના માલિક હેમંતભાઈ રાણા મયુર બિહાર કોલોનીમાં રહે છે.
તેમની આ દુકાન હાપોડી નજીક આવેલી છે. તેઓ દુકાન બંધ કરીને રાત્રે ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે તેઓ સવારે પોતાને સોનીની દુકાને પરત આવી પહોંચ્યા અને શટર ખોલતાની સાથે જ તેઓએ જોયું તો તેમની દુકાનની અંદર એક સુરંગ બનાવવામાં આવી હતી. સવારના સમયે હેમંતભાઈ તેમના દીકરા શિવમની સાથે દુકાન ઉપર પહોંચ્યા ત્યારે તેઓએ જ્યારે સુરંગ જોઈ ત્યારે તેમના હોસ ઉડી ગયા હતા..
કારણ કે સાંજના સમય જ્યારે તેઓએ દુકાન બંધ કરી ત્યારે તેમની દુકાને એકદમ બરાબર હતી. પરંતુ સવાર થતા જ આટલી મોટી સુરંગ કેવી રીતે ખોદાઈ હશે..? અને શા માટે આ સુરંગને ખોદવામાં આવી છે. તેની જાણકારી તેઓ મેળવવા લાગ્યા હતા. હેમંતભાઈના દીકરા શિવમે તેમની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું.
આ સીસીટીવી કેમેરામાં તેઓએ જોયુ કે રાત્રે 2:30 વાગે આસપાસ આ સુરંગને ખોદવામાં આવી હતી. સુરંગની દુકાનની પાછળના ભાગેથી ખોદતા ખોદતા બે વ્યક્તિ દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓએ દુકાનની અંદરથી અંદાજિત બે થી ત્રણ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાને ચોરી કરી લીધા છે..
અને ત્યારબાદ આ સુરત મારફતે તેઓ તેમની દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમની દુકાનમાં અંદાજે સાત લાખ રૂપિયા રોકડા તેમજ 15 થી 20 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના હાજર હતા. પરંતુ તેમાંથી માત્ર બે સોનાના હાર તેમજ બે સોનાના પાટલા સહિત બે થી ત્રણ લાખ રૂપિયાની કિંમતના જ સોના ચાંદીના દાગીના ચોરોએ ચોરી કરી લીધા છે..
આ પાછળ કયું કારણ જોડાયેલું હોય તેવો જાણવા માટે મજબૂર બન્યા છે. કારણ કે એટલું બધું સોના ચાંદીનો માલ સામાન જોયા બાદ પણ ચોરોએ માત્ર અમુક જ ચીજ વસ્તુની ચોરી કરીને ત્યાંથી રફૂચક્કર થયા છે. હેમંતભાઈનું કહેવું છે કે, આ ચોર લુંટારા નક્કી તેમની કોઈ નજીકના વ્યક્તિ હોવા પડે કારણ કે તેઓ જે બે થી ત્રણ ચીજ વસ્તુઓની ચોરી કરીને ગયા છે..
તે ચીજ વસ્તુની ડિમાન્ડ સોની માર્કેટમાં ખૂબ જ વધારે હતી. તેમજ એ દાગીનાના નમુના મળવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન હતા. કદાચ એવું પણ બની શકે છે કે, આ ચોર લૂંટારા પૈસા માટે નહીં પરંતુ આ નમૂનાની કોપી બનાવવા માટે આ દાગીના ને ચોરી કરીને જતા રહ્યા હોય તેમની દુકાનમાં એવી રીતે સુરંગ ખોદવામાં આવી હતી કે, તેને ખોદવા માટે ખૂબ જ મોટી મશીનરીની પણ જરૂર પડતી હોય..
તેમની પાછળના ભાગે આવેલી અનેક દુકાને જ્યારે ખોલીને ચેક કરવામાં આવી ત્યારે જણાયું કે, આ દુકાન ને છેલ્લા કેટલાક સમયથી ભાડે રાખવામાં આવતી હતી અને રાત્રિના સમયે આ દુકાનની અંદર બે યુવકો પ્રવેશ કરતા હતા. તેઓ રાત્રે રાત્રે સુરંગ હોતા હતા અને એક દિવસ જ્યારે તેઓ સ્વામી દુકાનની એકદમ નજીકના ભાગે પહોંચી ગયા ત્યારે મશીનરી થી સુરંગ ખોદીને સોનીની દુકાનની અંદર પ્રવેશ કરી લીધો હતો અને આ દાગીનાને ચોરી કરીને ત્યાંથી જતા રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]