ઘરેથી કોઈ કામે બહાર નીકળેલા લોકો સાથે અચાનક ક્યારેક કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર લોકોએ ક્યારેય ધાર્યું ન હોય તેવું તેની સાથે આવી જતા લોકો ગભરાઈ જાય છે. આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના બકસર જિલ્લાના ચૌસા ચુન્ની માર્ગ પર બની હતી. ગામમાં રહેતા લોકો દરરોજ સવારના સમયે પોતાના ખેતરે કામ કરવા માટે જતા હતા.
તેઓ પોતાના ખેતરમાં ખેતી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ ગામના કેટલાક લોકો સવારના સમયે ખેતરમાં પાણી વાળવા માટે નીકળ્યા હતા. તેઓ ગામની બહાર પાદરે પહોંચ્યા અને ગામના રસ્તે તેઓ ચાલીને જતા હતા. તે સમયે ગામની બહાર નીકળતા પાદરે પાણી ભરેલા ખાડાઓ જોયા હતા.
અને આ ખાડાની બહાર ખેડૂતોને એક બુટ મળ્યું હતું. ખેડૂતોએ વિચાર્યું કે અહીંયા આ બુટ ક્યાંથી આવ્યુ હશે. ત્યારબાદ તેઓ થોડું આગળ ચાલ્યા હતા. તે સમયે પાણી ભરેલા ખાડામાં દુરથી ખેડૂતોએ એવું જોયું કે, જોઇને ખેડૂતોના આંખના ડોળા ફાટી ગયા હતા. દરેક ખેડૂતો ભેગા થયા હતા.
દરેક ખેડૂતોએ પાણી ભરેલા આ ખાડામાં જોયું તો એક વ્યક્તિની લાશ જોવા મળી હતી. આ વ્યક્તિના પગમાં એક બુટ પહેરેલું હતું અને બીજું ખેડૂતોને થોડુ દુર મળ્યું હતું. જે જગ્યાએથી વ્યક્તિની લાશ મળી આવી હતી. તે ખાડાની બહાર વ્યક્તિની ટોપી પણ પડેલી મળી હતી. તરત જ ખેડૂતોએ ભેગા મળીને આ વ્યક્તિ કોણ છે.
તેમની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતું આ કોઈ અજાણ્ય વ્યક્તિ હતું. જેના કારણે તરત જ ખેડૂતોએ મળીને પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે વ્યક્તિના મૃતદેહ પાસે પડેલી ટોપી અને બુટ તપાસ માટે લઈ લીધા હતા.
અને ધીમે ધીમે આખા ગામમાં આ ઘટનાની જાણ થતા ગામના લોકો ગામના પાદરે પહોંચ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. જે વ્યક્તિની લાશ મળી આવી હતી. તે વ્યક્તિએ ગુલાબી રંગનું સ્વેટર અને ફુલ પેન્ટ પહેર્યું હતું અને આ વ્યક્તિની ઉંમર 45 થી 50 વર્ષની આસપાસ હોવાનો પોલીસે અનુમાન લગાવ્યું હતું. પોલીસમાં આગળની તપાસ કરી રહી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]