સવાર પડતાની સાથે જ ઘરના ભરોસો પોતાને કામ ધંધાએ જવા માટે નીકળી પડે છે અને સમગ્ર દિવસ દરમિયાન ધંધો કરીને સાંજના સમયે ઘરે પરત ફરતા હોય છે, મહેનતની કમાણીથી જે પણ મૂડી મળે તેનાથી તેમના ઘર પરિવાર સંસાર ચાલતા હોય છે. એવી જ રીતે રોજની જેમ બદરીયા ગામના લાલજીભાઈ અને તેમનો એકનો એક દીકરો પ્રીતમ બંને પોતાની બાઇક લઈને પોતાના ગામડેથી..
અંદાજે 45 કિલોમીટર દૂર આવેલા એક શહેરમાં નોકરી કરવા માટે નીકળી પડ્યા હતા અને તેઓ રોજબરોજ 45 kmનું અંતર કાપીને શહેરમાં આવેલી એક કંપનીમાં કામકાજ કરતા હતા અને પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા. પણ તેઓને એવી તો શી ખબર કે એક દિવસ સવારના સમયે જ તેઓ કાળનો કોળિયો બની જવાના છે..
સવારે પરિવારના સભ્યોને લાલજીભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે તેઓ જ્યારે ઘરે પરત આવશે ત્યારે દરેકને માટે કોઈને કોઈ સારી ચીજ વસ્તુઓ લઈને આવશે કારણ કે આજે તેમનો જન્મદિવસ હતો અને આ જન્મદિવસ ઉપર તેઓ તેમના પરિવારના સભ્યોને કંઈક ને કંઈક આપવા માંગતા હતા..
પરંતુ તેઓ સાંજે ઘરે પરત પહોંચે એ પહેલાં તો તેમના મૃત્યુના સમાચાર ઘરે પહોંચીયા હતા, એવામાં ચારે કોર રોકકળ મચી ગઈ હતી, તેઓ સવારના સમયે પોતાના દીકરા પ્રીતમને બાઈકની પાછળ બેસાડીને શહેરમાં જવા નીકળી પડ્યા હતા, ત્યારે સામેની બાજુએથી એક ડમ્પર ઝડપે આવી પહોંચ્યો હતો..
અને તેણે આ બાઈકની લઈ લેતા લાલજીભાઈ તેમજ તેમનો એક દીકરો પ્રીતમ પણ કાળનો કોળીયો બની ગયા હતા, આ દર્દનાક અકસ્માતને જોઈને આસપાસના ઘણા બધા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા, અકસ્માત સર્જાતાની સાથે જ ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો..
એટલા લોકોએ આ ડમ્પર ચાલકનો પીછો પણ કર્યો, પણ તે ફૂલ ઝડપે ત્યાંથી ભાગી ગયો અને કોઈ પણ વ્યક્તિના હાથે ચડ્યો નહીં, તો બીજી બાજુ લાલજીભાઈ તેમજ તેમના દીકરા તમને ત્યાં હાજર રહેલા લોકો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા લાગ્યા હતા. પરંતુ હોસ્પિટલે પહોંચવામાં મોડું થઈ જવાને કારણે રસ્તામાં જ લાલજીભાઈ અને તેમના દીકરા પ્રીતમ બંનેનો જીવ ચાલ્યો ગયો હતો..
ઘટનાના સમાચાર તાત્કાલિક ધોરણે તેમના ઘર પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા કે, હવે તેમના ઘરના મોભી લાલજીભાઈ અને તેમનો દીકરો પ્રીતમ આ દુનિયામાં હાજર રહ્યા નથી. આ સમાચાર સાંભળતાની સાથે જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું, આ રુદન જોઈને ત્યાં ઉભેલા પહેલા લોકો પણ મૂંઝાઈ ગયા હતા કે, ભગવાન આ પરિવારને એક સાથે બે બે મૃત્યુનો સમાચાર સહન કરવાની શક્તિ આપે..
હકીકતમાં આ કાળમુખો અકસ્માત સર્જાતા જ આ પરિવાર ખૂબ જ ઊંડા શોકમાં ચાલ્યો ગયો હતો. લાલજીભાઈની દીકરી અને લાલજીભાઈની પત્ની બંને વારંવાર પ્રીતમ અને લાલજીભાઈના મૃત્યુના બાબતોને લઈને પોક મૂકીને રડવા લાગતા હતા, તેમને સંભાળવા માટે તેમના આસપાસના પડોશીઓ પણ ત્યાં હાજર થઈ ચૂક્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]