સવાર પડતા જ દરેક લોકો ઉઠીને તૈયાર થયા બાદ પોતાના કામ ધંધે જોવા માટે નીકળી પડે છે, મોટાભાગના લોકો પોતાનું સાંજે બપોરનું ટિફિન પણ લઈને જતા હોય છે. જ્યારે કેટલાક લોકો બપોરનું ખાવા માટે પોતાના ઘરે પરત પણ આવતા હોય છે, જે લોકો નોકરી કરે છે તે લોકો સવારમાં જ પોતાનું ટિફિન લઈને નોકરીએ જતા રહેતા હોય છે..
સવારમાં વહેલા જાગીને ઘરમાં રહેતી મહિલાઓએ ઘરના કામકાજની સાથે સાથે તેમના પતિ કે દીકરાઓ માટે ટિફિનની વ્યવસ્થા પણ કરવી પડે છે, સવાર પડતા જ મહિલાઓ માથે કામનું ખૂબ જ વધારે ભાર રહેતો હોય છે, અત્યારે એક પરિવારમાં સવાર સવારમાં એવી ઘટના બની ગઈ હતી કે પરિવારની મહિલાની અર્થી ઉઠી ગઈ હતી..
આ ઘટના રાધેશ્યામ પાર્ક માંથી સામે આવી છે, અહીં ધીરેન્દ્ર ભાઈ નામના એક નોકરિયાત વ્યક્તિ તેમના પરિવાર સાથે જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. ધીરેન્દ્રભાઈ સવારના સમયથી તેમની નોકરીએ જતા રહેતા હતા, તેઓ તેમની સાથે બપોરનું ખાવાનું ટિફિન પણ લઈને જતા હતા એટલા માટે તેમની પત્ની અંજલીબેન તેમને ટિફિન બનાવીને આપતી હતી..
અંજલીબેન સવારમાં ખૂબ જ વહેલા ઉઠી જતા, ત્યારબાદ ઘરના કામકાજની સાથે સાથે તેમના પતિ અને તેમના બંને બાળકો માટે ટિફિનની પણ વ્યવસ્થા કરી આપતા હતા. સવાર સવારમાં તેઓ જ્યારે રસોડામાં ટિફિન બનાવવા માટે ગયા અને તેઓએ જ્યારે ગેસ શરૂ કર્યો ત્યારે એવી ઘટના ઘટી ગઈ કે બીચારા અંજલિબેનનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થઈ ગયું હતું..
ગેસ શરૂ કરતાની સાથે જ અચાનક જ સિલિન્ડર માંથી બ્લાસ્ટ થયો અને અંજલિ બેનના માથાના ભાગ વાગતા તેમનું મૃત્યુ થયું હતું, આ ઉપરાંત તેમના રસોડામાં આગ પણ ફાટી નીકળી હતી. રસોડાથી થોડે દૂર આવેલા બે રૂમની અંદર તેમના નાના બાળકો તેમજ તેમના પતિ પણ ઊંઘ લઇ રહ્યા હતા..
અચાનક જ અવાજ સાંભળતા તેમની ઊંઘ પણ ઉડી ગઈ અને તેઓ જ્યારે રસોડામાં પહોંચ્યો ત્યારે તેમની પત્ની અંજલીબેન રસોડામાં નીચે ઢળેલી પડેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેના શરીર ઉપર આગ પણ લાગી ગઈ હતી, રસોડામાં પણ આગ લાગી જતા પડોશમાં રહેતા લોકો આ અવાજનો ધડાકો સાંભળીને આગ બજવવા માટે તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા..
તેઓએ આગ બુઝાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધીમાં તો અંજલીબેનનું મૃત્યુ થઈ ગયું હતું, અંજલીના પતિ અને તેના બાળકો માટે ટિફિન બનાવતા હતા અને ગેસ શરૂ કરતાં તેમની સાથે આ ઘટના બની ગઈ હતી. હકીકતમાં સાંજના સમયે ગેસમાં થોડું ઘણું લીકેજ રહી જવાને કારણે સમગ્ર રસોડાની અંદર આ ગેસ ફેલાઈ ચૂક્યો હતો..
અને જ્યારે આ ગેસ અગ્નિની સંપર્કમાં આવતાની સાથે જ અચાનક જ ધડાકો થઈ જવા પામ્યો હતો. આ અગાઉ પણ ગેસનો સિલિન્ડર ફાટી જવાને કારણે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના બનાવો પાછળના કેટલાક વર્ષોમાંથી સામે આવ્યા છે, રસોડામાં કામકાજ કરતી વખતે નાની બાબતોનો ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે..
જો સહેજ અમથી પણ ચૂક થઈ જતી હોય તો જીવને ખૂબ જ મોટું જોખમ રહે છે, આ ઘટનાને લઈને ચારેકરો ચકચાર મચી જવા પામ્યો છે. અંજલિબેનના મોતને લઈને ધીરેન્દ્રભાઈ તો ભાંગી પડ્યા છે, તેમજ તેના બંને બાળકો પણ સતત રડી રહ્યા છે, આ બનાવને લઇને સોસાયટીમાં મોતનો માતમ છવાઈ ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]