Breaking News

સત્યનારાયણની કથામાં હાજરી આપવા ગયેલો પરિવાર ઘરે આવતા જ ચીસો નાખી બેઠો, થયું એવું કે આવ્યો રાતા પાણીએ રોવાનો વારો..!

આજના સમયમાં કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. લોકોને વિશ્વાસઘાતના બનાવો બનતા હોવાને કારણે કોઈના પર વિશ્વાસ રહ્યો નથી. અવારનવાર બંધ દુકાનો અને બંધ ઘરોમાં એવા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો.

આ કિસ્સો અનુપગઢ વિધાનસભાના રાવલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામના રહેવાસી પરિવાર સાથે બન્યો હતો. પરિવારમાં પતિ-પત્ની જ રહેતા હતા. પતિનું નામ જગદીશ ખીચડ હતું અને તેમની ઉંમર 65 વર્ષની હતી. તેઓ તેની પત્ની મોહની દેવી સાથે રહેતા હતા. બંને જણા ઘરમાં એકલા જ રહે છે.

પરિવારના અન્ય લોકો જયપુર અને બિકાનેરમાં રહે છે. પતિ-પત્ની એકલા જ રહેતા હોવાને કારણે તેઓએ પોતાના ઘરમાં તેમના સોના-ચાંદીના દાગીના અને બીજી સંપત્તિને ઘરમાં જ રાખતા હતા. જેમાં જગદીશભાઈ એક દિવસ સવારના સમયે સત્યનારાયણની કથા તેમના સંબંધીને ત્યાં હોવાને કારણે ગામથી બહાર ગયા હતા.

અને તેમની પત્ની મોહિની દેવી પણ સવારના સમયે રાવલમાં ચાલી રહેલી કથા સાંભળવા માટે ગયા બંને પતિ-પત્ની પોતાના કામ હોવાને કારણે ઘરથી બહાર ગયા હતા અને ઘરને તેણે તાળું માર્યું હતું પરંતુ પરત આવતા તેઓએ ઘર ખોલીને જોયું તો જોઈને જ પત્ની મોહિની દેવી ત્યાને ત્યાં ચીસ પાડી બેઠા હતા.

જેના કારણે આસપાસના પાડોશીના લોકો ભેગા થઈ ગયા અને ઘરમાં દરેક માલ સામાન વેર વિખેર પડેલો જોવા મળ્યો હતો. પાડોશીના લોકોએ પણ આ માલ સામાનને જેમતેમ પડેલો જોયો ત્યારબાદ તરત જ મોહિની દેવીએ તેમના પતિ જગદીશભાઈને આ ઘટનાની જાણ કરી હતી. જગદીશભાઈ તરત જ ઘરે આવ્યા હતા.

ઘરે જોતા ઘરમાં ચાર-પાંચ વ્યક્તિઓના પગના નિશાન જોવા મળ્યા હતા. જેના કારણે કોઈ અજાણ્યા લોકો ઘરમાં ઘૂસ્યા હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ઘરમાં રહેલા રૂમમાં ચેક કરતા કબાટ પણ ખુલ્લા હતા અને કબાટની તિજોરીઓ પણ ખુલ્લી હતી. જેના કારણે જગદીશભાઈને ઘરે ચોરી થયાની જાણ થઈ હતી.

મોહિની દેવી ચીસ પાડીને રડવાડા રડવા લાગ્યા હતા ત્યારબાદ તરત જ જગદીશભાઈએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા સમયે જાણવા મળ્યું કે જગદીશભાઈ એ પોતાના કબાટમાં મૂકેલી રોકડ પૈસા અને સોના ચાંદીના દાગીનાઓ ગાયબ હતા.

જેના કારણે પોલીસને ચોરીની શંકા હતી ઘરમાં ચાર-પાંચ લુટેરાઓ આવ્યા હોવાની પણ જાણ થઈ હતી. પોલીસને જગદીશભાઈ જણાવ્યું કે તેમના ઘરમાં 61 તોલા સોનું અને 49 તોલા ચાંદી તિજોરીમાં મૂક્યું હતું. જે લુટેરાઓ લૂંટી ગયા છે. અને જગદીશભાઈને પણ ખૂબ જ આ ચોરીનો મોટો આઘાત લાગી ગયો હતો. તેઓએ પોતાની જીવનની સંપત્તિને ભેગી કરીને સાચવી હતી. પરંતુ અચાનક તેની સાથે આવી ઘટના બની જતા તેઓ રડવા લાગ્યા હતા. પોલીસ ચોરની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *