Breaking News

સાસુ પીઠ પાછળથી તેના દીકરાની વહુની ખરાબ-ખરાબ વાતો આખા ગામ કરતી, એકવાર મહિલાએ ભરી લીધું એવું પગલું કે સાસુના મોઢું નીચે ઉતરી ગયું.. વાંચો..!

જો પરિવારજનો રાજી ખુશીથી હળી મળીને જીવન જીવે તો તેમનું ઘર સંસાર લાંબો સમય સુધી ચાલે છે. પરંતુ નાની નાની બાબતોને લઈને ઝઘડાઓ શરૂ કરી દેવામાં આવે તો લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકતું નથી. અત્યારના વધતા જતા ડિજિટલ જમાનાની અંદર સાસુ અને વહુના ઝઘડા વધીને પ્રતિદિન સામે આવતા હોય છે..

તેમાં કંટાળી જઈને અંતે કોઈ વ્યક્તિ એવું પગલું ભરી લે છે કે, તેને કારણે પરિવારજનોને ખૂબ જ માઠું પરિણામ સહન કરવાનો વારો આવતો હોય છે. અત્યારે એક પરણિત મહિલાએ અવળું પગલું ભરી લેતા તેની સાસુનું મોઢું નીચે ઉતરી ગયું છે. આ પરણીતાને અંતિમ ચિઠ્ઠીની અંદર જે શબ્દો લખ્યા હતા તે શબ્દો વાંચીને સૌ કોઈ લોકોના હોશ ઊડી ગયા છે..

આ ઘટના ઉત્તર પ્રદેશના કોસંબીની છે. અહીં સાંઢેલા ગામની અંદર સિદ્ધાર્થ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. સિદ્ધાર્થ છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં રહીને એક નોકરી કરે છે. જ્યારે તેની પત્ની સંધ્યા તેના સાસુ-સસરા સાથે અહીં ગામડામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી સંધ્યાને તેની સાસુ મહેણાં ટોણા મારતી હતી..

અને કહેતી કે તું અમારા ઘર માટે કલંક રૂપ સાબિત થઈ ગઈ છે. કારણ કે તું જ્યારથી અમારા ઘરમાં આવી ત્યારથી અમારા ઘરની પ્રગતિ અટકી ગઈ છે. આ ઉપરાંત તે આખા ગામના મોટાભાગના લોકોને સંધ્યા વિશે એવી ખરાબ વાતો કહેવા લાગી હતી કે, તેની જાણકારી જ્યારે સંધ્યાને મળી ત્યારે તેને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું..

અને તેણે ઝેરના ઘૂંટડા પીઈને આપઘાત કરી લીધું છે. સંધ્યાની સાસુ ગામની અન્ય મહિલાઓને કહેતી કે, સંધ્યા બાળકને જન્મ આપી શકતી નથી, એટલા માટે તેમનો કુળ આગળ વધ્યો નથી. સંધ્યા જો બાળકને જન્મ આપશે તો તેમનો વંશવેલો આગળ ચાલશે. નહીં તો તેમને ખરાબ પરિસ્થિતિ ઓનો સામનો કરવો પડી શકે તેમ છે.

જ્યારે સંધ્યા સુધી આ વાત ઉડતી ઉડતી પહોંચી ત્યારે તેને તેની સાસુને પૂછવાની કોશિશ કરી હતી કે, તમે શા માટે આખા ગામમાં મારી આવી ખોટી ખોટી બદનામી કરો છો. ત્યારે સંધ્યાની સાસુ સંધ્યા સાથે લડાઈ ઝઘડો કરવા લાગી હતી અને આ લડાઈ ઝઘડો ગાળાગાળીમાં પ્રવેશ કરી ચૂક્યો હતો..

સંધ્યાની સાસુએ સંધ્યાને માતા પિતા સમાણી ગાળો પણ આપી દીધી હતી. જેનું સંધ્યા અને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને તેણે જ્યારે ઘરે કોઈ વ્યક્તિ હાજર હતું નહીં ત્યારે દૂધના વાટકાની અંદર ઝેરી દવા ભેળવી દઈને ઘૂંટડા પીઈ લીધા હતા અને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કરી લીધો હતો…

તેણે અંતિમ ચિઠ્ઠીની અંદર લખ્યું છે કે, તેની સાસુએ ક્યારે પણ તેને માન સન્માન આપ્યું નથી. હંમેશા તેની પીઠ પાછળ ખૂબ ખરાબ ખરાબ વાતો કહી છે. જેને લઈને હવે તે જીવવા માંગતી નથી અને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ સાથે સાથે તેણે લખ્યું કે, વિદેશમાં રહેતા તેના પતિને એક પણ વખત તેને મળવા આવવાની ઈચ્છા જાગી નથી..

હંમેશા તેણે વિદેશમાં રહીને મોજ શોખ કર્યા છે. જ્યારે તેનો પરિવાર કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે તેની એક પણ વખત જાણકારી મેળવવાની પણ કોશિશ કરી નથી. લગ્ન કરીને તે વિદેશ ચાલ્યો ગયો હતો, જ્યારે તે તેના સાસુ સસરા સાથે જીવન જીવતી હતી. આ ઉપરાંત તેણે અંતિમ ચિઠ્ઠીની અંદર લખ્યું હતું કે, તેણે તેના પતિ સાથે રહેવા માટે લગ્ન કર્યા હતા..

પરંતુ તેનો પતિ વિદેશ ચાલ્યો ગયો અને આખી જિંદગી તે તેના સાસુ સસરા સાથે વિતાવે તે યોગ્ય હતું નહીં એટલા માટે તેણે તેનો રસ્તો કાઢી લીધો છે. જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે દરેક કુટુંબ અને સમાજના લોકો માટે નવી ચેતવણી અને પડકારો ઉભા થાય છે કે કેમ કરીને આવી ઘટનાઓ ને બનતી અટકાવી શકાય..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *