જે પરિવાર ભેગા મળીને રહે છે તે પરિવારમાં હંમેશા એકતા વધારે જોવા મળે છે. પરંતુ એવા પરિવારની અંદર જ કોઈને કોઈ સભ્યોને અંદરો અંદર મનમાં ખટાશો પણ ઉત્પન્ન થઈ જતી હોય છે. અને એ ખટાશ એક દિવસ જે તે પરિવારને જુદો કરાવી નાખે છે. પાછળના સમયમાં આપણે એવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે, જેમાં નાના અમથા મતભેદો પણ આખાને આખા પરિવારને છૂટા પડાવી દે છે..
અને ખૂબ જ મોટો લડાઈ ઝઘડો પણ થઈ જતો હોય છે. અત્યારે એક પરિવારમાં સાસુએ તેના દીકરાની વહુને ખૂબ જ વેણ વચ્ચેનો કહ્યા હતા અને તેનો ગુસ્સો રાખીને માથા ફરેલ દીકરાની વહુ એવો કાંડ કરી નાખ્યો છે કે, અત્યારે આખો પરિવાર સમસમી ગયો છે. આ ઘટના નમ્રતા પાર્ક સોસાયટીની છે.
અહીં મકાન નંબર 74 ની અંદર રજનીશભાઈ નામના વડીલનો પરિવાર રહે છે. રજનીશ ભાઈના એકનો એક દીકરો બીપીનના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા સુંદર નગરની અનિતા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન થયા બાદ અનિતા તેના પરિવારજનોને સારી સલાહ શિખામણો આવતી હતી..
પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વનિતા અને તેની સાસુ કમલાબેન વચ્ચે મત ભેદો વધવા લાગ્યા હતા. કમલાબેન અવારનવાર જાહેરમાં અનિતાને કહેતા કે, તારામાં અક્ક્ક્લનો છાંટો નથી. તું અમારા ઘરે પણ સાચવી શકીશ નહીં, જ્યારે કમલાબેન જાહેર ની અંદર દીકરાની વહુની આવી રીતે ઝાટકણી કાઢતા હતા ત્યારે અનિતાને ખૂબ જ માઠુ લાગી આવતું હતું..
પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી આ બધી બાબતો સહન કરતી હતી. એક દિવસ તેણે તેના પતિ બીપીન ભાઈને પણ જણાવી દીધું કે, તેમની સાસુ તેને ખૂબ જ કડવા વેણ વચનો કહે છે. તેને ક્યારેય પણ ઘરના કોઈ કામકાજ ની અંદર કચાસ બાકી મૂકી નથી. આ ઉપરાંત વ્યવહારની અંદર પણ ક્યારેય કોઈ ઢિલાસ મૂકી નથી..
છતાં પણ તેની સાસુ વારંવાર સંભળાવ્યા કરે છે, એક દિવસ આ તમામ બાબતોથી કંટાળી જઈને માથા ફરેલ દીકરાની વહુ અનિતાએ તેની સાસુને જમવાની અંદર ઝાડના ટુકડા ભેળવીને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો અને એ મુજબ તેણે ઘરે ખીર બનાવી હતી ખીરની અંદર તેને ઝેરી દવા ભેળવી દીધી અને તેની સાસુને પીવડાવી દઈ તેને મોતને ઘાટ ઉતારી નાખી હતી..
અને પરિવારજનોની સામે એવો ઢોળ કરવામાં આવ્યો કે, કમલાબેન ને તબિયત નાજુક હોવાને કારણે મૃત્યુ થઈ ગયું છે. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે ખબર પડી કે કમલાબેન નું મૃત્યુ ઝેરી દવા પીવાને કારણે થયું છે. ત્યારબાદ જ્યારે કડક પૂછતાછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ મૃત્યુના બનાવ પાછળ અનિતા જ જવાબદાર છે..
અને તેને જણાવ્યું કે તે તેની સાસુથી ખૂબ જ કંટાળી ગઈ હતી એટલા માટે તેને આ પગલું ભર્યું છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સમાજના દરેક લોકો કહેવા લાગ્યા કે દીકરાની વહુ સાથે ખૂબ જ પ્રેમ ભર્યું વર્તન કરવું જોઈએ આ ઉપરાંત દીકરાની વહુને પણ તેના સાસુ સસરા અને તેના પતિ સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરવું જોઈએ તો જ પરિવાર સારી રીતે ચાલે છે નહીં તો એકને એક દિવસ જરૂર લડાઈ જડેલા ઉત્પન્ન થઈ જતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]