Breaking News

સાસરીયાઓની રોજની મારપીટને કારણે ગર્ભવતી પરણીતાને સાતમાં મહીને જ બાળકનું ગર્ભમાં મોત થતા મચી ગયો હાહાકાર.. અને પછી તો..!

દેશની ઘણી બધી મહિલા તેના સાસરિયાઓના ત્રાસને કારણે ખૂબ જ કંટાળી ગયેલી હાવતમાં જીવન જીવે છે. જ્યારે કેટલાક સાસરિયાવાળા તેમના ઘરે રહેલી પુત્રવધુના અતિશય ત્રાસને કારણે દબાણમાં આવીને જીવન જીવતા હોય છે. જુદા જુદા પરિવારની સ્થિતિ જુદી જુદી હોય છે. હકીકતમાં જો સાસરીયા વાળા તેમજ પુત્રવધુ એટલે કે સમગ્ર પરિવારજનોમાં ખૂબ જ સારો સંપ હોય તો ક્યારેય જીવનમાં અડચણ આવતી નથી..

અને દરેક પરિસ્થિતિનું ખૂબ સારી રીતે સમાધાન મળી જતું હોય છે. પરંતુ હાલ રોજ રોજ મળતા ત્રાસને કારણે અંતે પરણીતાઓ એવું પગલી ભરી લે છે કે, જેના કારણે સાસરિયાવાળાના મોઢા ફાટેલા રહી જતા હોય છે. આજથી એક દિવસ પહેલા વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી હથમચાવી દે તો એક બનાવો સામે આવી ચૂક્યો છે.

તાંદલજા વિસ્તારમાં એક પરણીતા રહે છે. તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેના લગ્ન ચાણસદ વિસ્તારમાં રહેતા બિલાલ હસનભાઈ ઘાંચી નામના યુવક સાથે આજથી બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન થયા બાદ થોડા સમય સુધી ઘર પરિવાર ખૂબ જ સારી રીતે ચાલતો હતો. પરંતુ જ્યારે તેના સાસરીયા વાળાને જાણ થઈ કે તેમની પુત્ર વધુના પિતાએ પુત્રવધુના નામે બેંકમાં ફિક્સ ડિપોઝિટ પૈસા મૂક્યા છે..

ત્યારે સાસુ સસરા અને નણંદ વારંવાર નાની નાની વાતોની અંદર મહેણા ટોણા મારીને આ પૈસાને સાસરીયે લઈ આવવા માટે દબાણ આપતા હતા. સાસુ સસરા અવારનવાર કહેતા કે તારા બાપે દહેજમાં કાંઈ પણ આપ્યું નથી. એટલે તારે આ રૂપિયા લઈ આવવા પડશે આમ કહીને શારીરિક અને માનસિક ત્રાસ પણ ગુજારતા હતા…

લગ્નજીવન દરમિયાન આ પરણીતા ગ.ર્ભ.વ.તી બની હતી. આ સાથે તેને વિચાર્યું કે, પરિવારમાં નવા સભ્યની એન્ટ્રી થતાં જ માહોલ બદલાઈ જશે. અને સૌ કોઈ લોકો ખુશ થશે. પરંતુ સાસરીયા વાળા ખુશ થવાને બદલે આ પરણીતા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. અને કહ્યું કે એક તો તારા બાપે દહેજ ઓછું આપ્યું છે. અમારાથી તારી પણ માંગણીઓ પૂરી થતી નથી.

અને હવે તું એક બાળકને જન્મ આપવા જઈ રહી છે. અમારી પાસે તારા બાપે આપેલો ખજાનો નથી. અમારે દરેક બાબતો જોવી પડે છે. એમ કહીને .ગ.ર્ભ.વ.તી થયેલી આ પરણીતાને ખૂબ જ ત્રાસ સહન કરવો પડતો હતો. જ્યારે આ પરણીતાને દવાખાને જવાનું થાય ત્યારે પણ સાસરિયાવાળા લોકો તેને પૈસા આપતા હતા નહીં..

આ પરણીતા તેની માતાના ઘરે જતી અને ત્યાં સ્વખર્ચે દવાખાને જતી હતી. આ ઉપરાંત જ્યારે પરણીતાને સાતમો મહિનો ચાલતો હતો ત્યારે શ્રીમંત કરવા બાબતે સાસરિયાવાળા ફરીવાર તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને ખૂબ જ મારપીટ કરીને તેને ઘરમાંથી કાઢી પણ મૂકી હતી. રોજ રોજની આ મારપીટ સહન કરીને આ પરણીતા ખૂબ જ થાકી ગઈ હતી..

જ્યારે તે ઘરમાંથી નીકળી ત્યારે તેને પેટમાં ખૂબ જ દુખાવો પડ્યો હતો. એટલે તાત્કાલિક કે હોસ્પિટલ પહોંચી અને તપાસ કરાવી હતી જ્યારે ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે આ પરણીતાને મિસકરેજ થઈ ગયું છે. એટલે કે સાત મહિનાના સંતાનનું પેટમાં જ મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળતા જ આ પરણીતાના દુઃખનો કોઈ પાર રહ્યો હતો નહીં.

ત્યારબાદ પણ સાસરિયાવાળા ખૂબ જ ત્રાંસ પહોંચાડી રહ્યા હતા. રોજ રોજની આ માથાકૂટથી કંટાળીને અંતે પરણીતાએ વડોદરા ના મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ તેમજ તેના સાસુ સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. અને પોતાની સાથે થયેલી તમામ બાબતોની જાણ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *