જ્યારે પણ આપણી સાથે દુઃખની ઘડીઓ ચાલતી હોય ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવી બાબતોને લઈને મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ, કારણ કે દુઃખની ઘડીની અંદર મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે. અને લોકોના જવાબ પણ વ્યવસ્થિત મળવાના બંધ થઈ જતા હોય છે..
દુઃખના સમયની અંદર ભગવાન હંમેશા આપણી સાથે રહે છે, એટલા માટે ક્યારે પણ મૂંઝવવું જોઈએ નહીં પરંતુ અત્યારે સાસરે રહેલી એક દીકરીએ મૂંઝવણમાં આવીને એવું પગલું ભરી લીધું હતું કે, તેનો પરિવાર બીજે દિવસે દોડતો થઈ ગયો હતો, આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે..
આ હચમચાવી દેતી ઘટના ઈશ્વર ચોક પાસે આવેલી કૈલાશ નગર માંથી સામે આવી છે, આ સોસાયટીની અંદર તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેના પતિ હિતેશ તેની સાસુ કમલા તેમજ તેના સસરા નારાયણભાઈનો સમાવેશ થતો હતો, મોનિકા અને હિતેશના લગ્ન થયા તેના બે વર્ષ વીતી ચુક્યા હતા..
જ્યાંથી મોનિકા લગ્ન કરીને તેના સાસરે રહેવા માટે આવી હતી ત્યારથી જ મોનિકાને તેની સાસુ નાની નાની બાબતોને લઈને રૂકટોક કરવા લાગતી હતી, અને સાવ મામૂલી વાતમાં લડાઈ ઝઘડો પણ કરતી હતી. મોનિકા તેની સાસુને ઘણું બધું માઠું સહન કરતી હતી, તેને ઘણી બધી વાર આ ઘટનાને લઈને તેના પતિને પણ જણાવવાની કોશિશ કરી કે, તેની સાસુ તેને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યું છે..
પરંતુ હિતેશ પણ તેની પત્નીની વાતોને નકારી કાઢીને તેની માતાની સાઇડ લઈ લેવાની કારણે મોનિકા ખૂબ જ હેરાન પરેશાન થઈ જતી હતી, એટલું જ નહીં પરંતુ હવે તો તેની સાસુની સાથે સાથે તેના સસરા પણ મોનિક અને હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. હંમેશા કડવા વેણ વચનો કહેતા અને મોનિકાને ઘરમાંથી બહાર કાઢી મુકવાની પણ ધમકીઓ દેતા હતા..
મોનિકા તેના પિયર માંથી કોઈ પણ સારો સામાન કે પૈસા લાવી નથી તેમ કહીને નારાયણભાઈ હંમેશા તેના દીકરાની વહુને ત્રાસ પહોંચાડવાની કોશિશ કરતા હતા, રોજબરોજની હેરાનગતિથી કંટાળી જઈને મોનિકાએ તેના પરિવારના દરેક સભ્યોને જણાવી દીધો હતો કે જો તમે મને ત્રાસ પહોંચાડવાનું બંધ નહીં કરો તો હું એવું પગલું ભરી લઈશ કે તમારે આખી જિંદગી પર પછતાવું પડશે..
મોનિકાના શબ્દોને તેના પરિવારજનોએ ખૂબ જ હળવાશથી લીધા અને મોનિક અને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકી હતી, મોનિકાએ તેના પિયર એ તેની માતાને ફોન કરીને જણાવ્યું કે, અત્યારે તે ખૂબ જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. જો આ મુશ્કેલીમાંથી તે બહાર નહીં નીકળે તો બીજા દિવસે તેના સસરા તેને જાનથી મારી નાખશે..
કારણ કે જ્યારે મોનિકાને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી, ત્યારે જ નારાયણભાઈએ મોનિકાને જણાવી દીધું હતું કે, જો તું આજ પછી અમારા પરિવારને સામું જોઈશ તો તારો જીવ જશે, આ શબ્દોને લઈ મોનિકાને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું અને બીજા જ દિવસે મોનિકાએ સવારના સમયે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું..
તેના સાસુ સસરા તેની સાથે અન્ય હેરાનગતિઓ કરે એ પહેલા તો મોનિકાનો જીવ જતો રહેતા દરેક લોકોમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર ખૂબ ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયો હતો, કારણકે મોનિકાએ ચાર પન્નાની અંતિમ નોટ લખી હતી જેની અંદર તેના સાસુ સસરાની સાથે તેના પતિ નહીં પણ હેરાનગતિનો સમાવેશ થતો હોય તેવા શબ્દો લખવામાં આવ્યા હતા..
મોનિકા આપઘાત કરી લેતા જ સમાચાર નજીકના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા, પોલીસનો કફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો અને તપાસ કરતી વખતે તેમને આ અંતિમ નોટ મળી હતી. આ અંતિમ નોટના આધારે પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી હતી, જેમાં પરિવારના દરેક સભ્યોના નિવેદનોને પણ નોંધવામાં આવ્યા હતા..
મોનિકાના માતા પિતાનું કહેવું હતું કે, તેના સાસુ સસરા તેને હદથી પણ વધારે હેરાન પરેશાન કરતા હતા, જેનાથી કંટાળી જઈને તેમની દીકરી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. તો બીજી બાજુ મોનિકા તેની માતાને ફોનમાં જે પણ વાતો જણાવી હતી, તેના કોલ રેકોર્ડિંગ પણ પોલીશને હાથે લાગ્યા હતા..
મોનિકાના મૃત્યુ પાછળ તેના સાસુ સસરા જવાબદાર છે, આ માહિતી જ્યારે દરેક લોકો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા, સમગ્ર વિસ્તારમાં પણ હોબાળો પામ્યો હતો કારણ કે, ઘરેલુ બાબતને લઈને જ્યારે પણ કોઈ વ્યક્તિનો જીવ જતો હોય ત્યારે પરિવારના દરેક સભ્યો ચોકી ઉડતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]